આ વર્ષે ગુજરાત સરકારની નવરાત્રીના પાસ 100 રૂપિયા આપી લેવા પડશે

અમદાવાદમાં દર વર્ષે જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજાતા વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલમાં આ વર્ષે કેટલીક નવી વ્યવસ્થાઓ દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ ઉત્સવમાં આ વખતે પહેલીવાર પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેના હેઠળ વિશેષ વીઆઈપી ઝોનમાં ગરબા રમવા માટે 100 રૂપિયાની ટિકિટ લેવી પડશે.

Navratri
abplive.com

સરકારના પ્રવાસન વિભાગ અને ગુજરાતના ઉદ્યોગપતિઓની બનેલી વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલ કમિટીએ આ પગલું લીધું છે જેથી ઉત્સવને વધુ ખાનગી અને સુરક્ષિત બનાવી શકાય. આ માટે ગરબાના સ્થળે ખાસ 9 ઝોન બનાવવામાં આવશે, જેમાં દરેક ઝોનમાં 50 સભ્યોનું ગ્રુપ ગરબા રમી શકશે.

વિશેષ વ્યવસ્થા અને બુકિંગ

વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલમાં વધુ ભીડને કારણે ઘણા લોકો ખાનગી ક્લબ અને પાર્ટી પ્લોટમાં જવાનું પસંદ કરે છે. આ પ્રેક્ષકોને આકર્ષવા માટે ખાસ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે.

Navratri
divyabhaskar.co.in

આ ઝોનમાં 25 અને 15 સભ્યોના ગ્રુપ માટે બુક માય શો એજન્સી મારફતે પાસનું વેચાણ કરવામાં આવશે. આ ખાસ ગરબા વિસ્તાર માટે એમ્ફીથિયેટર શૈલીનું લેઆઉટ તૈયાર કરવામાં આવશે, જેમાં આરામદાયક બેઠક વ્યવસ્થા પણ હશે જેથી લોકો શાંતિથી ગરબા નિહાળી શકે.

મહત્વની વાત એ છે કે, આ વિશેષ ઝોન સિવાયના અન્ય વિસ્તારોમાં પ્રવેશ અને ગરબા રમવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

ઉત્સવની થીમ અને મુખ્ય આકર્ષણો

આ વર્ષે ઉત્સવની થીમ ‘આહ્વાન મા આદ્યાશક્તિ’ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળુ બેરા દ્વારા 22 સપ્ટેમ્બરે આ ઉત્સવનું ઉદ્ઘાટન થશે. યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા 1,000થી વધુ કલાકારોના ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉત્સવમાં અન્ય આકર્ષણોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

-સેલ્ફી પોઈન્ટ અને ફોટો ઝોન

-મહા આરતીનું આયોજન

-બાળકો માટે ‘બાળ નગરી’ (કિડ્સ સિટી) જેમાં ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, રમતો અને VR અનુભવ સામેલ છે.
-26 સ્ટોલવાળી ફૂડ કોર્ટ, જેમાં વિવિધ સ્થાનિક અને પ્રાદેશિક વાનગીઓ ઉપલબ્ધ હશે.

-GLPC અને ગરવી ગુજરાત દ્વારા પરંપરાગત હસ્તકલાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ.

કલાકારોનો કાર્યક્રમ:

ઉત્સવ દરમિયાન ગરબાની રમઝટ બોલાવવા માટે જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહેશે.

22 સપ્ટેમ્બર: સમીર રાવલ

23 સપ્ટેમ્બર: પ્રહર વોરા

24 સપ્ટેમ્બર: કાજલ મેહરિયા

25 સપ્ટેમ્બર: યશ બારોટ

26 સપ્ટેમ્બર: ઓસમાણ મીર

27 સપ્ટેમ્બર: નારાયણ ઠક્કર

28 સપ્ટેમ્બર: જિગ્નેશ કવિરાજ

29 સપ્ટેમ્બર: અભિતા પટેલ

30 સપ્ટેમ્બર: પાયલ વખારિયા

29 ઓક્ટોબર: લાલિત્ય મુનશા

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.