આ વર્ષે ગુજરાત સરકારની નવરાત્રીના પાસ 100 રૂપિયા આપી લેવા પડશે

અમદાવાદમાં દર વર્ષે જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજાતા વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલમાં આ વર્ષે કેટલીક નવી વ્યવસ્થાઓ દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ ઉત્સવમાં આ વખતે પહેલીવાર પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેના હેઠળ વિશેષ વીઆઈપી ઝોનમાં ગરબા રમવા માટે 100 રૂપિયાની ટિકિટ લેવી પડશે.

Navratri
abplive.com

સરકારના પ્રવાસન વિભાગ અને ગુજરાતના ઉદ્યોગપતિઓની બનેલી વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલ કમિટીએ આ પગલું લીધું છે જેથી ઉત્સવને વધુ ખાનગી અને સુરક્ષિત બનાવી શકાય. આ માટે ગરબાના સ્થળે ખાસ 9 ઝોન બનાવવામાં આવશે, જેમાં દરેક ઝોનમાં 50 સભ્યોનું ગ્રુપ ગરબા રમી શકશે.

વિશેષ વ્યવસ્થા અને બુકિંગ

વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલમાં વધુ ભીડને કારણે ઘણા લોકો ખાનગી ક્લબ અને પાર્ટી પ્લોટમાં જવાનું પસંદ કરે છે. આ પ્રેક્ષકોને આકર્ષવા માટે ખાસ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે.

Navratri
divyabhaskar.co.in

આ ઝોનમાં 25 અને 15 સભ્યોના ગ્રુપ માટે બુક માય શો એજન્સી મારફતે પાસનું વેચાણ કરવામાં આવશે. આ ખાસ ગરબા વિસ્તાર માટે એમ્ફીથિયેટર શૈલીનું લેઆઉટ તૈયાર કરવામાં આવશે, જેમાં આરામદાયક બેઠક વ્યવસ્થા પણ હશે જેથી લોકો શાંતિથી ગરબા નિહાળી શકે.

મહત્વની વાત એ છે કે, આ વિશેષ ઝોન સિવાયના અન્ય વિસ્તારોમાં પ્રવેશ અને ગરબા રમવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

ઉત્સવની થીમ અને મુખ્ય આકર્ષણો

આ વર્ષે ઉત્સવની થીમ ‘આહ્વાન મા આદ્યાશક્તિ’ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળુ બેરા દ્વારા 22 સપ્ટેમ્બરે આ ઉત્સવનું ઉદ્ઘાટન થશે. યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા 1,000થી વધુ કલાકારોના ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉત્સવમાં અન્ય આકર્ષણોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

-સેલ્ફી પોઈન્ટ અને ફોટો ઝોન

-મહા આરતીનું આયોજન

-બાળકો માટે ‘બાળ નગરી’ (કિડ્સ સિટી) જેમાં ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, રમતો અને VR અનુભવ સામેલ છે.
-26 સ્ટોલવાળી ફૂડ કોર્ટ, જેમાં વિવિધ સ્થાનિક અને પ્રાદેશિક વાનગીઓ ઉપલબ્ધ હશે.

-GLPC અને ગરવી ગુજરાત દ્વારા પરંપરાગત હસ્તકલાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ.

કલાકારોનો કાર્યક્રમ:

ઉત્સવ દરમિયાન ગરબાની રમઝટ બોલાવવા માટે જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહેશે.

22 સપ્ટેમ્બર: સમીર રાવલ

23 સપ્ટેમ્બર: પ્રહર વોરા

24 સપ્ટેમ્બર: કાજલ મેહરિયા

25 સપ્ટેમ્બર: યશ બારોટ

26 સપ્ટેમ્બર: ઓસમાણ મીર

27 સપ્ટેમ્બર: નારાયણ ઠક્કર

28 સપ્ટેમ્બર: જિગ્નેશ કવિરાજ

29 સપ્ટેમ્બર: અભિતા પટેલ

30 સપ્ટેમ્બર: પાયલ વખારિયા

29 ઓક્ટોબર: લાલિત્ય મુનશા

About The Author

Related Posts

Top News

માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

ચીની વૈજ્ઞાનિકો દ્રાક્ષના બીજમાંથી મેળવેલી PCC1 નામની દવા પર કામ કરી રહ્યા છે, જે ઉંદરોના આયુષ્યને 150 વર્ષ સુધી...
Science 
માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.