કૂતરાને બચાવવા જતા માલિકે જીવ ગુમાવ્યો...માલિકની વફાદારી પર લોકોની આંખો ભરાઈ આવી

On

પ્રાણીઓમાં, કૂતરાને ખૂબ જ વફાદાર પ્રાણી માનવામાં આવે છે. કૂતરાની વફાદારી પર સેંકડો કહેવતો અને કવિતાઓ લખાઈ છે. એક કહેવત છે કે કૂતરો માર ખાધા પછી પણ વફાદાર રહે છે, પરંતુ માણસ પ્રેમ પામ્યા પછી પણ ગદ્દારી કરે છે, પરંતુ એક એવી ઘટના ગુજરાતના વડોદરામાં સામે આવી છે કે જેમાં માલિકે પોતાના કૂતરા પ્રત્યેની વફાદારી માટે પોતાનો જીવ આપી દીધો. આ દુ:ખદ ઘટના વિશે લોકોને સાચી માહિતી મળતાં જ તેમનું દિલ એક ધડકન ચુકી ગયું. વડોદરા ગ્રામીણ વિસ્તારમાં નર્મદા કેનાલ પર બનેલી આ ઘટના બાદ પડોશીઓ રડી પડ્યા છે.

વડોદરાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, નહેર પાસે પોલીસનું વાહન ઊભું છે. આ સાથે, પરિવારના સભ્યો મૃતદેહ પાસે રડી રહ્યા છે. જ્યારે, ઘટના સ્થળે એક કૂતરો પણ બેઠો જોઈ શકાય છે. આ ઘટના અને વિડીયો ખૂબ જ ભાવનાત્મક છે. જ્યારે મૃતક સાથે આ અકસ્માત થયો ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. આ જ કારણ છે કે રઘુનાથ પિલ્લઈનું પાણીમાં ડૂબી જવાથી પીડાદાયક મૃત્યુ થયું.

પોલીસના જણાવ્યા અનુસાર, વડોદરાના ગ્રામીણ વિસ્તારના રહેવાસી રઘુનાથ પિલ્લઈ (51) તેમના પ્રિય કૂતરા સાથે ફરવા ગયા હતા. ચાલવા દરમિયાન કૂતરો નર્મદા કેનાલમાં પડી ગયો. પિલ્લઈ, જે પોતાના કૂતરા સાથે ભાવનાત્મક રીતે ખૂબ જ જોડાયેલા હતા, તેને બચાવવા માટે તેઓ પાણીમાં કૂદી પડ્યા. પિલ્લાઈ કૂતરાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા પણ તે પોતે બહાર નીકળી શક્યા નહીં. નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. નર્મદા કેનાલમાં એક મૃતદેહ જોવા મળ્યો હોવાની માહિતી મળતાં પોલીસ અને ફાયર ટીમો ત્યાં પહોંચી હતી. આ પછી પિલ્લઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. લોકો કહે છે કે, નર્મદા કેનાલનો આ રસ્તો ખૂબ જ શાંત રહે છે, તેથી અકસ્માત સમયે પિલ્લાઈને ત્યાં મદદ મળી શકી ન હતી. ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે ઘટનાની પુષ્ટિ કરી છે.

ઘટના પછી ઘટનાસ્થળે પહોંચી ગયેલી પત્ની અને પુત્રી પિતાના મૃતદેહને જોઈને બેભાન થઈ ગયા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પિલ્લઈ દર્શન ક્લબ લાઈફ પાસે રહેતા હતા. તેઓ સવારે તેમના કૂતરા સાથે ફરવા ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો લીધા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યાર પછી, તેમને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપવામાં આવશે. અંકોડિયામાં બનેલી આ ઘટના પછી, પડોશીઓ કહે છે કે, રઘુનાથ પિલ્લઈ, જે કૂતરાને ખૂબ પ્રેમ કરતા હતા, તેમણે તેના માટે પોતાના જીવનું બલિદાન આપ્યું.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.