ગરબામાં મુસ્લિમ યુવાનોની જાહેરમાં મારપીટ કેમ? ગુજરાત પોલીસે કોર્ટને આપ્યો આ જવાબ

ગુજરાત પોલીસે મુસ્લિમોને જાહેરમાં માર મારવાની ઘટનાને યોગ્ય ઠેરવી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, પાંચ મુસ્લિમ પુરુષોને પોલીસે રસ્તા પર બધાની સામે માર માર્યો હતો. ગુજરાત પોલીસે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું છે કે, આ વિસ્તારમાં શાંતિ અને સદભાવના જાળવવા માટે મુસ્લિમોને માર મારવામાં આવ્યો હતો.

ખેડા-નડિયાદના પોલીસ અધિક્ષક (SP) રાજેશ કુમાર ગઢિયાએ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, મુસ્લિમ પુરુષોએ તેમના સમુદાયના 150થી વધુ લોકોના ટોળા સાથે મળીને ગરબા કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા માટે પથ્થરમારો કર્યો હતો. આ મામલો ખેડા જિલ્લાના ઉંધેલા ગામનો છે.

એફિડેવિટમાં લખ્યું છે કે, 'આરોપી 3 ઓક્ટોબર, 2022ના રોજ થયેલા રમખાણોમાં સક્રિય હતો. તે એવા ટોળાનો ભાગ હતો, જેણે ગરબા રમી રહેલા હિન્દુ સમુદાયના સભ્યો પર પથ્થરમારો કર્યો હતો. આ બધું હિન્દુ સમુદાયમાં ભય પેદા કરવા અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું. બધું પૂર્વ આયોજિત હતું.'

SPએ કહ્યું કે, આ ઘટનામાં ગામના આઠ હિન્દુ રહેવાસીઓ અને ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. પરિણામે, ત્યાં ભારે હંગામો અને બુમ-બરાડા પડી ગયા હતા, તેથી આ વિસ્તારમાં શાંતિ અને સંવાદિતા જાળવવા માટે શંકાસ્પદોને કોર્ડન કરવામાં આવ્યા હતા, જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

SPએ કહ્યું કે પથ્થરમારાની ઘટના પછી તરત જ ધરપકડ કરાયેલ આરોપી મુસ્લિમ પુરુષોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. એફિડેવિટમાં લખ્યું હતું કે, '4 ઓક્ટોબર, 2022ના રોજ બનેલી કથિત ઘટનાના સંબંધમાં, જ્યારે આરોપીઓને ઉંધેલા ગામમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે તેઓએ પોલીસ અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સ્થળ પર એકઠા થયેલા ટોળાને પણ ઉશ્કેરતા હતા.'

પોલીસ અધિકારીએ એ પણ માહિતી આપી છે કે, વિભાગીય તપાસની શરૂઆત પછી, મુસ્લિમ પુરુષોને માર મારવામાં સામેલ છ દોષિત પોલીસકર્મીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

જાહેરમાં માર મારવામાં આવેલા મુસ્લિમ શખ્સોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ NV અંજારિયા અને જસ્ટિસ નિરલ R મહેતાની બેન્ચ કરી રહી છે.

અરજદારોની મારપીટ પોલીસકર્મીઓ દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. વીડિયોમાં પોલીસ અરજીકર્તાઓને થાંભલા સાથે બાંધીને લાકડીઓ વડે મારતી જોઈ શકાય છે. બાર અને બેંચના અહેવાલ મુજબ, કેસની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ થવાની સંભાવના છે.

About The Author

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.