ગુજરાતમાં વરસાદી માહોલ : 7 જિલ્લામાં આજે, 4 જિલ્લામાં કાલે અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું આરંભી ગયું હોવા છતાં 26મી મે પછી અનેક વિસ્તારોમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હતી. હવે 19 દિવસ બાદ ફરી ચોમાસાની ગતિવિધિમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસું બેસી શકે છે.

ઉત્તર રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજસ્થાનથી વિદર્ભ સુધીની ટ્રફ લાઇન, તેમજ અરબ સાગરથી ઓડિશા સુધી સક્રિય ટ્રફ લાઇનના કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બન્યો છે.

Air India plane crash

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસો દરમિયાન રાજ્યમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે.આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.આવતીકાલ નર્મદા, તાપી અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. લોકોને હવામાન અંગે અપડેટ રહવા અને સલામતી અંગે પૂરતી કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે.

rain
deshgujarat.com

હવામાન વિભાગ મુજબ 17 જૂને અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ પડવાની શકયતા છે. આ બંને જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં 17 અને 18 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

About The Author

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.