ગુજરાતમાં વરસાદી માહોલ : 7 જિલ્લામાં આજે, 4 જિલ્લામાં કાલે અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું આરંભી ગયું હોવા છતાં 26મી મે પછી અનેક વિસ્તારોમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હતી. હવે 19 દિવસ બાદ ફરી ચોમાસાની ગતિવિધિમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસું બેસી શકે છે.

ઉત્તર રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજસ્થાનથી વિદર્ભ સુધીની ટ્રફ લાઇન, તેમજ અરબ સાગરથી ઓડિશા સુધી સક્રિય ટ્રફ લાઇનના કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બન્યો છે.

Air India plane crash

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસો દરમિયાન રાજ્યમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે.આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.આવતીકાલ નર્મદા, તાપી અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. લોકોને હવામાન અંગે અપડેટ રહવા અને સલામતી અંગે પૂરતી કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે.

rain
deshgujarat.com

હવામાન વિભાગ મુજબ 17 જૂને અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ પડવાની શકયતા છે. આ બંને જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં 17 અને 18 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.