વિવાદમાં રહેતી કિર્તી પટેલનો આક્ષેપ ચિન્ટુએ મારા મિત્રની ગાડી-સોનું વેચી નાંખ્યુ

એક જમાનાની ટિકટોક સ્ટાર અને અત્યારે રીલ સ્ટાર તરીકે ઓળખાતી કિર્ટી પટેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને બેફામ બોલતી કિર્તીએ ચિન્ટુ નામના એક વ્યકિત સામે પોલીસમાં અરજી કરીને આરોપ લગાવ્યો છે કે તે મારા મિત્રની ગાડી અને સોનું લઇ ગયો હતો અને બંને વસ્તુ બારોબાર વેચી નાંખી હતી. જો કે બીજી તરફ ચિન્ટુએ આરોપ લગાવ્યો છે કે કિર્તી પટેલે 10 લાખ ઉછીના લીધા હતા જે પાછા આપતી નથી. બંનેએ એકબીજા સામે સામ સામે પોલીસમાં અરજી કરી છે.

હમેંશા જાણી જોઇને વિવાદો ઉભી કરતી કિર્તી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારું નામ કિર્તી અસુંલભાઇ અડાલજા છે અને મેં જેની સામે ફરિયાદ કરી છે તેનું નામ ચિન્ટુ ગોટી છે. કિર્તીએ કહ્યું કે, ચિન્ટુ મારા ઘરે આવ્યો હતો અને મારા મિત્રની ગાડી અને મારું ગોલ્ડ લઇ ગયો હતો. થોડા દિવસ પછી તેણે કહ્યું કે કાર તેણે 2 લાખમાં વેચી નાંખી છે અને મારું સોનું તેણે 5 લાખ 35 હજાર રૂપિયામાં વેચી નાંખ્યું છે.

કિર્તી પટેલે કહ્યું કે, ચિન્ટુ ગોટી મારી પર આરોપ મુકે છે કે મેં તેની પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તો મારે પુછવું છે કે 10 લાખ રૂપિયા આપ્યા હોય તો કોઇક તો પુરાવા હશે ને, તે ચિન્ટુ રજૂ કરે. કિર્તીએ કહ્યું કે મેં કોઇ 10 લાખ રૂપિયા તેની પાસેથી લીધા નથી. રિલ સ્ટાર કિર્તીએ મીડિયા સમક્ષ ચિન્ટુ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ચિન્ટુ અસમાજિક તત્ત્વો દ્રારા મને ધમકી આપી છે.

તેણીએ કહ્યું કે ધમકીને કારણે હું ઘરની બહાર નિકળી શકતી નથી, હું ડિપ્રેશનમાં આવી ગઇ છું. ચિન્ટુ મારા પર એવો પણ આરોપ મુકે છે  હું હનીટ્રેપ કરું છું, તોડપાણી કરું છું, ચિન્ટુ જેટલા પણ આરોપો લગાવે છે તેના પુરાવા રજૂ કરે.

કિર્તી પટેલે ચિન્ટુ ગોટી સામે પોલીસમાં અરજી કરી છે તો સામે ચિન્ટુ ગોટીએ પણ કિર્તી સામે પોલીસમાં અરજી કરી છે.ચિન્ટુનો આરોપ છે કે એક મિત્ર પાસેથી કિર્તી પટેલને સોનાના દાગીના પર રૂપિયા અપાવ્યા હતા. હવે રૂપિયા તો પાછા આપતી નથી અને ગિરવે મુકેલા સોનાની માંગણી કરે છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચિન્ટુ ગોટી એક બ્લોગર છે અને સટ્ટાનું મોટું માર્કેટ ચલાવે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.