સુરતની એથર ઈન્ડસ્ટ્રીમાં આગ લાગતા 7 લોકોના કંકાલ મળ્યા, કંપનીના શેર 1000 કરોડ...

સુરતના સચીન GIDCમાં આવેલી એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં મંગળવારે રાત્રે લગભગ 1-30 વાગ્યે જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો અને કંપનીમાં વિકરાળ આગ ફાટી નિકળી હતી. આગને કારણે 27 કામદારો દાઝી ગયા હતા. આગની ભયાનકતા એ વાત પરથી ખબર પડે  છે કે ફાયરના જવાનોને આગ બુઝાવતા 24 કલાક લાગ્યા હતા. બધા ફાયર ફાઇટરોને એથર કેમિકલ પર બોલીવી લેવાયા હતા.

આગ ઠરી ગઇ પછી ખબર પડી તો ફેકટરીની અંદર 7 મજૂરો ભડથૂ થયેલા  મળ્યા હતા. તેમના માત્ર હાડપિંજર દેખાતા હતા. જે 27 કામદારો દાઝી ગયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેમિકલ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે આગ ખુબ ઝડપથી પ્રસરી ગઇ હતી અને ફેકટરીનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

નવાઇની વાત એ છે કે એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીના માલિક અશ્વીન દેસાઇને દેશભરમાં સ્પેલિશ્યલાઇઝડ કેમિકના  ખુભ અનુભવી માણસ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ  અશ્ચિન દેસાઇની પોતાની જ ફેકટરીમાં આગ લાગી ગઇ. એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે અને આગની ઘટના પછી શેરના ભાવમાં ગાબડાં પડ્યા હતા અને કંપનીના માર્કેટ કેપમાં એક જ દિવસમાં 1000 કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું.

ફોર્બ્સ મેગેઝીને તાજેતરમાં 2249 અબજોપતિની યાદી જાહેર કરી હતી તેમાં એથર ઇન્ડસ્ટ્રીના અશ્વીન દેસાઇ 168મા ક્રમે હતા. તેમની સાથે અત્યારે બિઝનેસમાં પત્ની પૂર્ણિમા અને બે પુત્રો અમન અને રોહન સાથે જોડાયેલા છે.

એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીની આગની ઘટના પર GPCBના અધિકારી જીજ્ઞાસા ઓઝાએ કહ્યું હતું કે બેદરકારીને કારણે આગ નથી લાગી આ એક અકસ્માત છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી, પરંતુ પ્રાથમિક નજરે એવું લાગી રહ્યું છે કે ટેન્કફોર્મની અંદર સોલવન્ટ સ્ટોરેજ કરેલું એના લીધે વેપર ક્લાઉડ બન્યું અને આ વેપર ક્લાઉડ કોઇ સ્પાર્કના સંપર્કમાં આવ્યું હશે જેને કારણે આગ લાગવાની સંભાવના છે.

જો કે, આગની ઘટનામાં 7 સાવ નિદોર્ષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ આગની ઘટનામાં કંપનીની બેદરકારી તો છે જ, પરંતુ  GPCB સહિતની અનેક એવી એજન્સીઓ કે જેમની  ઇન્ડસ્ટ્રી જાણકારી રાખવાની જવાબદારી છે તેવા તમામ લોકોના પાપે 27 મજૂરો દાઝી ગયા અને 7 કામદારોએ જીવ ગુમાવ્યો. આ મગરમચ્છોના પેટનું પાણી હાલવાનું નથી, કારણ કે પૈસો બધો ખેલ કરી નાંખતો હોય છે અને મરવાનું નિદોર્ષ લોકોને જ આવે છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.