સુરત એરપોર્ટ એક્શન કમિટીની માગ, ઝીંગા તળાવને બંધ કરાવો

સુરત એરપોર્ટ પર 26 ફેબ્રુઆરીએ સુરતથી દિલ્હી જતી ઇન્ડિગોની ફલાઇટ સાથે બર્ડ હીટની ઘટના બનવાને કારણે વિમાનના એન્જિનને ભારે નુકશાન થયું હતું અને આ ફલાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.  આવા જોખમને નિવારવા માટે સુરત એરપોર્ટ એકશન કમિટીએ ઝીંગા તળાવો સંપૂર્ણ બંધ કરી દેવાની માંગ કરી છે. જો કે બર્ડ હીટની ઘટના પછી સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે તાત્કાલિક ઝીંગા તળાવ સામે કાર્યવાહી કરી હતી.સુરતમાં 2014માં એક ફલાઇટ ભેંસ સાથે ટકરાઇ હતી અને વિમાનને ભારે નુકશાન થયું હતું, એ પછી લાંબા સમય સુધી સુરત એરપોર્ટ પર વિમાની સેવા બંધ થઇ ગઇ હતી.

સુરત એરપોર્ટ એકશન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં  સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઝીંગા તળાવને કારણે પક્ષીઓની અવર જવર વધી ગઇ છે. જ્યારે સુરત એરપોર્ટ પરથી ફલાઇટ ટેક ઓફ કે લેન્ડિંગ થાય છે ત્યારે આ વિસ્તારમાં ઉડતા પક્ષીઓ વિમાન સાથે અથડાઇ જાય છે.

ઇઝાવાએ કહ્યુ કે દેશમાં સૌથી વધારે બર્ડ હીટ થતા એરપોર્ટમાં સુરત એરપોર્ટનો નંબર પાંચમો છે. સુરત એરપોર્ટ પર વર્ષ 2019-20માં 14 વખત બર્ડ હીટની ઘટના બની હતી તો વર્ષ 2020-21માં 8 વખત અને વર્ષ 2021-22માં 10 વખત અને 20222-23માં 2 વખત બર્ડ હીટની ઘટના નોંધાઇ છે.

તાજેતરમાં ઇન્ડિગોની ફલાઇટ સાથે બર્ડ હીટની ઘટના બની અને એન્જિન નંબર-2નું ભારે નુકશાન થયું હતું અને વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. સંજય ઇઝાવાએ કહ્યુ કે સુરત એરપોર્ટ એકશન કમિટી વતી અમે વિનંતી કરીએ છીએકે યાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યમાં આવી બર્ડ હીટની ઘટનાને નિવારવા માટે ઝીંગા તળાવને તાત્કાલિક બંધ કરી દેવામાં આવે.

સુરતમાં વર્ષ 2014માં જેટ એરલાઇન્સની ફલાઇટ સાથે બફેલો હીટની ઘટના બની હતી તે પછી સુરત એરપોર્ટ ઠપ્પ થઇ ગયું હતું. વર્ષો  પછી સુરત એરપોર્ટ ફરી શરૂ થયું છે ત્યારે બર્ડ હીટ જેવી ઘટનાઓને કારણે એરપોર્ટને ફરી બંધ કરવાની નોબત ન  ઉભી થાય તેના માટે ઝીંગા તળાવ સામે એકશન લેવા જરૂરી છે.

જો કે સુરત એરપોર્ટ પર બર્ડ હીટની ઘટના પછી સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ખજોદ વિસ્તારના ઝીંગાતળાવ સામે કાર્યવાહી કરી હતી.મજૂરા મામલતદારની ટીમે 25 ઝીંગાતળાવો પર જરૂરી માલસામાન જપ્ત કર્યો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.