પ્રેમી માટે પોલેન્ડથી યુવતી જૂનાગઢ પહોંચી, 6 માર્ચે કરશે લગ્ન

On

ગુજરાતના જૂનાગઢમાં રહેતો અજય આખેડ પોલેન્ડમાં રહેતી એલેક્ઝાંડરા પાહુસકા નામની યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંને 6 માર્ચે લગ્ન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, એલેક્ઝાંડરા ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત છે અને તે ભારતીય પરંપરા અનુસાર લગ્ન કરશે.

આ અંગે મળતી માહિતી મુજબ, જૂનાગઢના નાના એવા ખાડીયા ગામે રહેતા પરબતભાઈ કાનાભાઈ આખેડ અને જાહીબેનના પુત્ર અજય પોલેન્ડ રહેવાનું સપનું જોતા હતા. આ પછી અજય પોલેન્ડ ગયો અને ત્યાંની ગોડેન્સ બેંકમાં નોકરી મળી એટલે તે ત્યાં જ રહ્યો.

આ સમય દરમિયાન, અજયને બોઇંગ કંપનીમાં સ્પેશિયલ ટેક્નિશિયન તરીકે કામ કરતી એલેક્ઝાંડરા પાહુસકા સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. માતા-પિતાને એક જ પુત્ર અજય છે અને તેઓ ઈચ્છતા હતા કે, તેમના પુત્રના લગ્ન ખાડિયામાં જ થાય.

તેથી, અજયે એલેક્ઝાંડરા પાહુસકાને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો, જેનાથી તે પ્રભાવિત થઈ. હવે પિતા સ્ટેની સ્લેવ, માતા બોઝેના, બહેન મોનિકા અને આનના ખાડિયા ભારતીય પરંપરા મુજબ તેમની પુત્રીના લગ્ન કરાવવા પહોંચ્યા છે. દરમિયાન ખાડિયા પહોંચ્યા પછી એલેક્ઝાંડરા દેશી ખોરાક ખાઈ રહી છે. તે બાજરીના રોટલા અને રીંગણનું ભર્તુ બનાવતા શીખી રહી છે. આ ઉપરાંત, તેણે આહીર સમુદાયના વિશિષ્ટ વસ્ત્રો પહેર્યા છે. તેમના લગ્ન ડો.સુભાષ મહિલા મહાવિદ્યાલયના કર્મચારી રાયસીભાઈ સિંહાર અને તેમના પત્ની મનીષાબેન સિંહારના હાથે કરાવવામાં આવશે.

આ લગ્નની તૈયારીમાં દુલ્હનનું કન્યાદાન રાયસીભાઈ સિંહર અને તેમના પત્ની મનીષાબેન સિંહાર કરશે. તેઓ એલેક્ઝાંડરા પાહુસકાને ભારતીય પોશાક, આહીર સમાજના પોશાક, લગ્નના રીતરિવાજો, પરંપરાગત ઘરેણાં અને રીતરિવાજો વિશે માહિતી આપી રહ્યા છે અને એલેક્ઝાન્ડ્રા પણ હિન્દુ ધર્મ વિશે સમજવાનો પ્રયાસ પણ કરી રહી છે. એલેક્ઝાંડરા પાહુસકા હિન્દુ ધર્મમાં માને છે અને અહીંની ભાષા શીખવાનો પણ પ્રયાસ કરી રહી છે.

એલેક્ઝાંડરા કહે છે કે મને આ આઉટફિટ ગમે છે અને આ ટ્રેડિશનલ ડ્રેસ અને જ્વેલરી ખૂબ જ સુંદર છે. અહીં તમને જણાવી દઈએ કે, એલેક્ઝાંડરાનો પરિવાર પણ અજય અને તેના પરિવારના રિવાજો અને પરંપરાઓથી પ્રભાવિત થયો છે અને તેમણે આહીર પરંપરા અપનાવી છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે, તેમને દીકરીનું દાન કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

જાહીબેનને ધરમની બહેન ગણતા રાયસીભાઈ સિંહાર અને તેમના પત્ની મનીષાબેન સિંહાર છેલ્લા 30 વર્ષથી પરબતભાઈ અખેડના પરિવાર સાથે જોડાયેલા છે. તેમના મતે, અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે, પરબતભાઈએ અમને અમારી દીકરીનું કન્યાદાન કરવાની તક આપી. વિદેશી છોકરી સાથે લગ્ન આપણા જીવનની યાદગાર ક્ષણ બની રહેશે. એલેક્ઝાંડરા પાહુસકા છેલ્લા પખવાડિયાથી અમારી સાથે છે. અમારી દેશી રોટલી અને શાક પણ ખાય છે. તેને ભારતીય પોશાક, ખાસ કરીને આહીર પોશાક અને જ્વેલરી પસંદ છે.

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.