પ્રેમી માટે પોલેન્ડથી યુવતી જૂનાગઢ પહોંચી, 6 માર્ચે કરશે લગ્ન

ગુજરાતના જૂનાગઢમાં રહેતો અજય આખેડ પોલેન્ડમાં રહેતી એલેક્ઝાંડરા પાહુસકા નામની યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંને 6 માર્ચે લગ્ન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, એલેક્ઝાંડરા ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત છે અને તે ભારતીય પરંપરા અનુસાર લગ્ન કરશે.

આ અંગે મળતી માહિતી મુજબ, જૂનાગઢના નાના એવા ખાડીયા ગામે રહેતા પરબતભાઈ કાનાભાઈ આખેડ અને જાહીબેનના પુત્ર અજય પોલેન્ડ રહેવાનું સપનું જોતા હતા. આ પછી અજય પોલેન્ડ ગયો અને ત્યાંની ગોડેન્સ બેંકમાં નોકરી મળી એટલે તે ત્યાં જ રહ્યો.

આ સમય દરમિયાન, અજયને બોઇંગ કંપનીમાં સ્પેશિયલ ટેક્નિશિયન તરીકે કામ કરતી એલેક્ઝાંડરા પાહુસકા સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. માતા-પિતાને એક જ પુત્ર અજય છે અને તેઓ ઈચ્છતા હતા કે, તેમના પુત્રના લગ્ન ખાડિયામાં જ થાય.

તેથી, અજયે એલેક્ઝાંડરા પાહુસકાને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો, જેનાથી તે પ્રભાવિત થઈ. હવે પિતા સ્ટેની સ્લેવ, માતા બોઝેના, બહેન મોનિકા અને આનના ખાડિયા ભારતીય પરંપરા મુજબ તેમની પુત્રીના લગ્ન કરાવવા પહોંચ્યા છે. દરમિયાન ખાડિયા પહોંચ્યા પછી એલેક્ઝાંડરા દેશી ખોરાક ખાઈ રહી છે. તે બાજરીના રોટલા અને રીંગણનું ભર્તુ બનાવતા શીખી રહી છે. આ ઉપરાંત, તેણે આહીર સમુદાયના વિશિષ્ટ વસ્ત્રો પહેર્યા છે. તેમના લગ્ન ડો.સુભાષ મહિલા મહાવિદ્યાલયના કર્મચારી રાયસીભાઈ સિંહાર અને તેમના પત્ની મનીષાબેન સિંહારના હાથે કરાવવામાં આવશે.

આ લગ્નની તૈયારીમાં દુલ્હનનું કન્યાદાન રાયસીભાઈ સિંહર અને તેમના પત્ની મનીષાબેન સિંહાર કરશે. તેઓ એલેક્ઝાંડરા પાહુસકાને ભારતીય પોશાક, આહીર સમાજના પોશાક, લગ્નના રીતરિવાજો, પરંપરાગત ઘરેણાં અને રીતરિવાજો વિશે માહિતી આપી રહ્યા છે અને એલેક્ઝાન્ડ્રા પણ હિન્દુ ધર્મ વિશે સમજવાનો પ્રયાસ પણ કરી રહી છે. એલેક્ઝાંડરા પાહુસકા હિન્દુ ધર્મમાં માને છે અને અહીંની ભાષા શીખવાનો પણ પ્રયાસ કરી રહી છે.

એલેક્ઝાંડરા કહે છે કે મને આ આઉટફિટ ગમે છે અને આ ટ્રેડિશનલ ડ્રેસ અને જ્વેલરી ખૂબ જ સુંદર છે. અહીં તમને જણાવી દઈએ કે, એલેક્ઝાંડરાનો પરિવાર પણ અજય અને તેના પરિવારના રિવાજો અને પરંપરાઓથી પ્રભાવિત થયો છે અને તેમણે આહીર પરંપરા અપનાવી છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે, તેમને દીકરીનું દાન કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

જાહીબેનને ધરમની બહેન ગણતા રાયસીભાઈ સિંહાર અને તેમના પત્ની મનીષાબેન સિંહાર છેલ્લા 30 વર્ષથી પરબતભાઈ અખેડના પરિવાર સાથે જોડાયેલા છે. તેમના મતે, અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે, પરબતભાઈએ અમને અમારી દીકરીનું કન્યાદાન કરવાની તક આપી. વિદેશી છોકરી સાથે લગ્ન આપણા જીવનની યાદગાર ક્ષણ બની રહેશે. એલેક્ઝાંડરા પાહુસકા છેલ્લા પખવાડિયાથી અમારી સાથે છે. અમારી દેશી રોટલી અને શાક પણ ખાય છે. તેને ભારતીય પોશાક, ખાસ કરીને આહીર પોશાક અને જ્વેલરી પસંદ છે.

Related Posts

Top News

સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ઓપરેશન સિંદુર વખતે આપણા દેશની વાસ્તવિક સરહદ પર તો પાકિસ્તાને હુમલા કર્યો, પરંતુ તેનાથી પણ વધારે પાકિસ્તાને સાયબર હુમલા કર્યા....
Gujarat 
સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.