અંબાલાલે આગામી 4 દિવસને લઈને ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદી માહોલ ફરી સક્રિય બન્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે, જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ઝાપટા પડી રહ્યા છે. ઉપરવાસ અને રાજ્યમાં પડેલા વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે અને ડેમોમાંથી પાણી છોડવાની સ્થિતિ ઊભી થઈ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમના જણાવ્યા મુજબ, 23થી 26 ઑગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે થવાની સંભાવના છે.

rain1
news18.com

તેમણે વધુમાં જણાવ્યું કે, 25થી 28 ઑગસ્ટ દરમિયાન બંગાળના ઉપસાગરમાંથી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબકશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે અસર જોવા મળશે.

લગભગ 28 ઑગસ્ટ સુધી નર્મદા વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થઈ શકે છે અને નર્મદા ડેમની પાણીની આવક વધતાં નદી બે કાંઠે થવાની શક્યતા છે. 28 પછી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેના કારણે તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે.

rain2
punemirror.com

હવામાન નિષ્ણાતે કહ્યું કે 25થી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. સાથે જ પવનનું જોર પણ રહેશે.

 

 

 

About The Author

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.