અંબાલાલે આગામી 4 દિવસને લઈને ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદી માહોલ ફરી સક્રિય બન્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે, જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ઝાપટા પડી રહ્યા છે. ઉપરવાસ અને રાજ્યમાં પડેલા વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે અને ડેમોમાંથી પાણી છોડવાની સ્થિતિ ઊભી થઈ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમના જણાવ્યા મુજબ, 23થી 26 ઑગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે થવાની સંભાવના છે.

rain1
news18.com

તેમણે વધુમાં જણાવ્યું કે, 25થી 28 ઑગસ્ટ દરમિયાન બંગાળના ઉપસાગરમાંથી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબકશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે અસર જોવા મળશે.

લગભગ 28 ઑગસ્ટ સુધી નર્મદા વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થઈ શકે છે અને નર્મદા ડેમની પાણીની આવક વધતાં નદી બે કાંઠે થવાની શક્યતા છે. 28 પછી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેના કારણે તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે.

rain2
punemirror.com

હવામાન નિષ્ણાતે કહ્યું કે 25થી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. સાથે જ પવનનું જોર પણ રહેશે.

 

 

 

About The Author

Related Posts

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.