બગસરા APMCના અધ્યક્ષ પદે AAP નેતા કાંતિ સતાસિયા બિનહરીફ ચૂંટાયા, BJPને ઝટકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 14 ટકા વોટ હાંસલ કરીને રાષ્ટ્રીય પાર્ટી બનેલી આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાતમાં લાંબા સમય બાદ સારા સમાચાર મળ્યા છે. પાર્ટીએ અમરેલી જિલ્લાની બગસરા APMCમાં જીત હાંસલ કરી છે. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સહકારી ક્ષેત્રના દિગ્ગજ દીલિપ સંઘાણીનું ગૃહ જનપદ છે. એટલું જ નહીં રાજકોટથી જીતેલા પરસોત્તમ રૂપાલાનું આ પોતાનું ક્ષેત્ર છે. અહી AAPની જીતથી પાર્ટીમાં ખુશીની લહેર છે. ગત દિવસોમાં દીલિપ સંઘાણીને ફરીથી IFFCOના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સતાસિયા બિનહરીફ ચેરમેન બની ગયા છે. એવું લાગે છે કે, બગસરા APMCમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. બગસરા APMCના અધ્યક્ષ પદ માટે કાંતિ સતાસિયા અને ઉપાધ્યક્ષ પદ માટે સંજય રફાલિયા બિનહરીફ ચૂંટાયા છે. એમ માણી શકાય છે કે સહકારી ક્ષેત્રમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ધમાસાણ થવા જઇ રહ્યું છે.

APMC બગસરામાં સંખ્યાબળની વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 9 અને ભાજપના 6 સભ્ય હતા. તેના કારણે AAP નેતા કાંતિ સતાસિયાએ જીત હાંસલ કરી છે. તેઓ ચેરમેન તરીકે ચૂંટાયા. વાઇસ ચેરમેનની ચૂંટણી પણ બિનહરીફ થઈ. સતાસિયા ધારી વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. APMC બગસરાના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા કાંતિ સતાસિયા વિધાનસભાની ચૂંટણીમાં બીજા નંબર પર રહ્યા હતા. તેમને 37,749 હજાર વોટ મળ્યા હતા. તેઓ 8717 વૉટથી જયસુખ કાકડિયા સામે હારી ગયા હતા. હવે સતાસિયાએ મજબૂત વાપસી કરતા બગસરા બજાર સમિતિના ચેરમેન પદ પર કબજો કર્યો છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સતાસિયાની જીત પર ખુશી વ્યક્ત કરી છે. લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસ સાથે મળીને લડી હતી. આમ આદમી પાર્ટીને ચૂંટણીઓમાં 2.69 ટકા વોટ મળ્યા હતા. પાર્ટીએ 2 લોકસભા સીટ પર ચૂંટણી લડી હતી. તેને કુલ 7 લાખ 75 હજાર 321 વોટ મળ્યા હતા. ભરૂચની સીટ પર આમ આદમી પાર્ટીએ ભાજપને સખત ટક્કર આપી.

Related Posts

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.