કોંગ્રેસના સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણી ચકરડે ચઢી ગયા, ફોર્મ રદ, હવે શું થશે?

ગુજરાતના રાજકારણમાં શુક્રવારે ભારે હોબાળો મચી ગયો હતો. વાત એમ બની હતી કે સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ગુંચવાડો ઉભો થયો છે. ભાજપના ટેકેદારોએ કલેકટરને ફરિયાદ કરી હતી. જેને કારણે નિલેશ કુંભાણી અને કોંગ્રસેના નેતાઓ દોડતા થઇ ગયા હતા. નિલેશ કુંભાણીના ટેકેદારોએ કહ્યું હતું કે ફોર્મમાં જે સહી કરવામાં આવી છે તે અમારી નથી અને બીજી તરફ આ ત્રણેય ટેકેદોરા ગાયબ છે. નિલેશ કુંભાણીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં 3 ટેકેદારોના અપહરણની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. કુંભાણીના વકીલે કહ્યું કે અમે ગુજરાત હાઇકોર્ટમાં પણ ફરિયાદ કરી છે.

ગુજરાતની લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો માટે ફોર્મ ભરવાની તારીખ 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધીનો સમય હતો. શુક્રવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારબાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરાઈ રહી છે. આ વચ્ચે સુરતથી કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવાયો હોવાનુ જાણવા મળ્યું છે. નિલેશ કુંભાણીની ઉમેદવારી સમયે એક પણ ટેકેદાર હાજર નહતો. નિલેશ કુંભાણીના ડમી ઉમેદવારોના ટેકેદારોના એફિડેવિટ પર પણ સવાલ ઉઠાવાયા છે. સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારી ગુમાવી શકે છે. તો ડમી ઉમેદવારની ઉમેદવારી પણ રદ થવાની સંભાવના છે. જોકે, ફોર્મ રદ કરવાની હજુ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.

ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ફરિયાદ કરી હતી કે નિલેશ કુંભાણીના 3 ટેકેદારો જગદીશ સાવલિયા રમેશ પોલરા અને ધ્રુવીન ધામેલિયાએ મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, નિલેશ કુંભાણીના આ 3 ટેકેદારોએ કહ્યું છે કે, ફોર્મમાં અમે સહી નથી કરી. એ પછી કલેકટર ઓફિસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

હવે સમસ્યા એ ઉભી થઇ કે કલેકટરે શનિવારે સાંજે સુનાવણી દરમિયાન કહ્યું કે, ત્રણેય ટેકાદારોને હાજર કરો, પરંતુ ટેકેદારોના ફોન બંધ આવી રહ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા અને કુંભાણીના વકીલ બાબુભાઇ માંગુકીયાએ પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે, નિલેશ કુંભાણીના ફોર્મમાં ત્રણેય ટેકેદારોએ જાતે જ સહી કરેલી છે.તેમાં જગદીશ સાવલિયા તો નિલેશના બનેવી થાય છે. આ ત્રણેય ટેકેદારો સંપર્ક વિહોણા થઇ ગયા છે. નિલેશ કુંભાણીના બહેન પણ ગાયબ છે.

માંગુકીયાએ કહ્યું કે, અમે ઉમરા પોલીસ સ્ટેશનમાં 3 ટેકેદારોના અપહરણની ફરિયાદ નોંધાવી છે. સાથે કલેકટરને રવિવારે સવારે 9 વાગ્યે સુનાવણી કરવા અને ત્રણેય ટેકેદારોને હાજર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. માંગુકીયએ કહ્યું કે અમે હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી દીધી છે અને હેબિયર્સ કોપર્સ કરીશું.માંગુકીયાએ કહ્યું કે, ડમી ઉમેદવારનો ટેકેદાર વિશાલ કોલડીયા પણ ગુમ થઇ ગયો છે.

બાબુ માંગુકીયાએ કહ્યું કે, નિલેશ કુંભાણીના ત્રણેય ટેકેદારોને ધમકાવાવમાં આવ્યા હોય શકે છે અથવા તેમને મોટી લાલચ આપવામાં આવી હોય શકે છે અથવા નિલેશ કુંભાણી સામે કોઇ બદલાની ભાવના હોય શકે છે.

બીજી તરફ મીડિયાના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, નિલેશ કુંભાણી ફરી ઉમરા ફરિયાદ આપવા ગયા હતા કે, ટેકેદારોનું અપહરણ નથી થયું. એક ટેકેદારનો સંપર્ક થયો છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.