આયુર્વેદથી કેન્સરની સારવાર શક્ય છે હવે ક્લિનિકલ ટ્રાયલ થશે: આચાર્ય બાલકૃષ્ણ

પતંજલિ યોગપીઠના આચાર્યએ કેન્સરના ઇલાજ વિશે જે વાત કરી છે જો તે શક્ય બને તો એ દુનિયાભરના કેન્સરના દર્દીઓને રાહત આપનારી વાત બનશે. પતંજલિના આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે કેન્સર પર અનેક સંશોધનો થયા છે અને હવે આંતરારાષ્ટ્રીય સ્તરે તેના કલિનિકલ ટ્રાયલ માટેની તૈયારી ચાલી રહી છે.

પતંજલિ યોગપીઠના અધ્યક્ષ આચાર્ય બાલકૃષ્ણએ કહ્યુ કે, આયુર્વેદથી કેન્સરનો ઇલાજ સંભવ છે. તેમણે કહ્યુ કે, પતંજલિ આયુર્વેદના વિસ્તરણ પર સતત કામ કરી રહ્યું છે અને તેના પરિણામો ઘણા સારા આવી રહ્યા છે. એ જ કારણ છે કે કોરાના મહામારીના સમયમાં લોકો આયુર્વેદનું મહત્ત્વ સમજ્યા છે. આવનારા સમયમાં આયુર્વેદ ઘર ઘર સુધી પહોંચશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.

મેરઠમાં અખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલન અને પ્રાદેશિક આયુર્વેદ સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા પતંજલિના આચાર્ય બાલકૃષ્ણએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આચાર્ય બાલકૃષ્ણએ મીડિયા સાથેની વાતચીતમાં આયુર્વેદના ક્ષેત્રમાં વર્તમાનમાં શું ચાલી રહ્યું છે? આયુર્વેદનું ભવિષ્ય કેવું હશે? આ બધા મુદ્દાઓ પર તેમણે ખુલીને વાત કરી હતી.

 આયુર્વેદના ક્ષેત્રમાં નવું શું થઇ રહ્યું છે? એવા સવાલના જવાબમાં આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, મેરઠની આ પવિત્ર ભૂમિ પરથી આ બ્યૂગલ વાગ્યું છે.આયુર્વેદમાં સંશોધનો વધારવા અને આયુર્વેદને પુરાવા આધારિત દવા બનાવવા માટે સતત કામ ચાલુ છે. લોકોમાં આયુર્વેદની સ્વીકૃતિ વધે એના માટે પણ કામ ચાલી રહ્યું છે. પતંજલિ પણ આયુર્વેદના વિસ્તરણ પર સતત કામ કરી રહ્યું છે.

આયુર્વેદની સ્વીકાર્યતા હજુ ઓછી કેમ છે? એવા એક સવાલના જવાબમાં આચાર્યએ કહ્યું કે, આવનારા સમયમાં આયુર્વેદ લોકોના ઘર ઘર સુધી પહોંચવાનું છે એમાં શંકાને કોઇ સ્થાન નથી. ભારત સરકાર, આયુષ મંત્રાલય લગાતાર આયુર્વેદના પ્રચાર પ્રસાર પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના સમયમાં લોકોને આયુર્વેદનું મહત્ત્વ સમજાયું છે. આયુર્વેદ પર લોકોનો વિશ્વાસ વધશે, એમાં સમય લાગશે, પરંતુ એવું થશે જરૂર.

આર્યુવેદમાં કઇ કઇ જટિલ બિમારીઓનો ઇલાજ સંભવ છે? એવા મીડિયાના સવાલના જવાબમાં આચાર્ય બાલકૃષ્ણએ કહ્યુ કે, આયુર્વેદમાં તમામ રોગોની સારવાર સંભવ છે. એમાં શંકા ન રાખવી જોઇએ. આજે આયુર્વેદમાં દરેક બિમારીનો ઇલાજ શક્ય બન્યો છે. તેમણે કહ્યુ કે, કેન્સપ પર પણ આયુર્વેદમાં ખાસ્સું સંશોધન ચાલી રહ્યું છે અને તેના સારા પરિણામો પણ સામે આવ્યા છે. હવે અમે આંતરરાષ્ટ્રીય સ્તર પર કેન્સરના ઇલાજ માટે  ક્લિનિકલ ટ્રાયલ કરવા જઇ રહ્યા છે. ઘણા કેન્સરના દર્દીઓ આયુર્વેદને કારણે સાજા પણ થયા છે.

About The Author

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.