દરરોજ માત્ર 4000 પગલાઓ ચાલો, આ બીમારીઓ થશે છુમંતર, BP-હાર્ટ એટેકનો ડર થશે દૂર

દરરોજ ચાલવાનો કોઈ વિકલ્પ નથી. રોજ ચાલવાથી ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો દૂર થાય છે. અગાઉના અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, દરરોજ 10000 પગલાં ચાલવા જોઈએ. આનાથી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. હવે એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો તમે દરરોજ માત્ર 1.5 થી 2 કિલોમીટર જ ચાલશો તો પણ તમે ઘણી બીમારીઓથી મુક્ત રહી શકો છો. આ માટે માત્ર 15 થી 20 મિનિટ ચાલવાની જરૂર છે અને આમાં 4000 પગલાં ચાલવા પડશે. આટલું જ નહીં, દરરોજ માત્ર 4000 પગલાં ચાલવાથી હાર્ટ એટેક અથવા હાર્ટ સંબંધિત મૃત્યુનું જોખમ પણ ઘટી જાય છે. આ અભ્યાસ યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેન્ટિંગ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયો છે.

આ અભ્યાસમાં 226,889 લોકોની દિનચર્યાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વિશ્લેષણના આધારે, એવું જાણવા મળ્યું કે, જો તમે દરરોજ ચાલો છો તો, તેમાં તમારા ચાલવાની સંખ્યામાં 1000 પગલાં વધારશો, તો કોઈ પણ કારણોથી અકાળ મૃત્યુનું જોખમ 15 ટકા ઓછું થઈ જશે. બીજી તરફ, જો તમે હાલમાં ચાલો છો તેમાં માત્ર 500 ડગલા વધુ ચાલવાનો વધારો કરો છો, તો હૃદય સંબંધિત રોગોને કારણે મૃત્યુનું જોખમ 7 ટકા ઓછું થઈ જાય છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે આ સ્ટેપમાં રોજની સ્પીડ જાળવી રાખશો તો તેનો ફાયદો પણ બમણો થશે. પગપાળા ચાલવા વિશે આ પહેલા પણ ઘણા અભ્યાસો થયા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, ચાલવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ આ પહેલો અભ્યાસ છે, જેમાં એકદમ પરફેક્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, કેટલા પગલાં ચાલવાથી કઈ પ્રકારની બીમારીઓનું જોખમ કેટલું ઓછું થઈ શકે છે. અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જે રીતે દવાથી ફાયદો થાય છે, તે જ રીતે ચાલવાથી પણ ફાયદો થાય છે.

અભ્યાસ મુજબ, દરરોજ 4000 પગલાં ચાલવાથી બ્લડ પ્રેશરમાં 5 Hgનો ઘટાડો થાય છે. એટલે કે ઉપર અને નીચે બંને બ્લડ પ્રેશર ઘટી જાય છે. જ્યારે, સરેરાશ બ્લડ સુગર એટલે કે ત્રણ મહિનાની HBA1Ac પણ ઘણી નીચે આવે છે. આ સાથે 4000 ડગલાં ચાલવાથી તમે તમારી ઉંમર કરતા નાના દેખાશો, એટલે કે તે એન્ટી એજિંગ જેવું છે. 4000 પગલાં ચાલવાથી કેન્સર, હાર્ટ એટેક વગેરે જેવા જીવલેણ રોગોના જોખમને ઘણી હદ સુધી ટાળી શકાય છે. અભ્યાસ અનુસાર, દરરોજ 7 હજારથી 13 હજાર પગલાં ચાલનારા ટીનેજ બાળકોના સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના સુધારા જોવા મળ્યા હતા. પછીના જીવનમાં, તેમનામાં જીવનશૈલી સંબંધિત કોઈ ક્રોનિક રોગો જોવા મળ્યા ન હતા.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.