દરરોજ માત્ર 4000 પગલાઓ ચાલો, આ બીમારીઓ થશે છુમંતર, BP-હાર્ટ એટેકનો ડર થશે દૂર

દરરોજ ચાલવાનો કોઈ વિકલ્પ નથી. રોજ ચાલવાથી ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો દૂર થાય છે. અગાઉના અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, દરરોજ 10000 પગલાં ચાલવા જોઈએ. આનાથી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. હવે એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો તમે દરરોજ માત્ર 1.5 થી 2 કિલોમીટર જ ચાલશો તો પણ તમે ઘણી બીમારીઓથી મુક્ત રહી શકો છો. આ માટે માત્ર 15 થી 20 મિનિટ ચાલવાની જરૂર છે અને આમાં 4000 પગલાં ચાલવા પડશે. આટલું જ નહીં, દરરોજ માત્ર 4000 પગલાં ચાલવાથી હાર્ટ એટેક અથવા હાર્ટ સંબંધિત મૃત્યુનું જોખમ પણ ઘટી જાય છે. આ અભ્યાસ યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેન્ટિંગ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયો છે.

આ અભ્યાસમાં 226,889 લોકોની દિનચર્યાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વિશ્લેષણના આધારે, એવું જાણવા મળ્યું કે, જો તમે દરરોજ ચાલો છો તો, તેમાં તમારા ચાલવાની સંખ્યામાં 1000 પગલાં વધારશો, તો કોઈ પણ કારણોથી અકાળ મૃત્યુનું જોખમ 15 ટકા ઓછું થઈ જશે. બીજી તરફ, જો તમે હાલમાં ચાલો છો તેમાં માત્ર 500 ડગલા વધુ ચાલવાનો વધારો કરો છો, તો હૃદય સંબંધિત રોગોને કારણે મૃત્યુનું જોખમ 7 ટકા ઓછું થઈ જાય છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે આ સ્ટેપમાં રોજની સ્પીડ જાળવી રાખશો તો તેનો ફાયદો પણ બમણો થશે. પગપાળા ચાલવા વિશે આ પહેલા પણ ઘણા અભ્યાસો થયા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, ચાલવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ આ પહેલો અભ્યાસ છે, જેમાં એકદમ પરફેક્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, કેટલા પગલાં ચાલવાથી કઈ પ્રકારની બીમારીઓનું જોખમ કેટલું ઓછું થઈ શકે છે. અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જે રીતે દવાથી ફાયદો થાય છે, તે જ રીતે ચાલવાથી પણ ફાયદો થાય છે.

અભ્યાસ મુજબ, દરરોજ 4000 પગલાં ચાલવાથી બ્લડ પ્રેશરમાં 5 Hgનો ઘટાડો થાય છે. એટલે કે ઉપર અને નીચે બંને બ્લડ પ્રેશર ઘટી જાય છે. જ્યારે, સરેરાશ બ્લડ સુગર એટલે કે ત્રણ મહિનાની HBA1Ac પણ ઘણી નીચે આવે છે. આ સાથે 4000 ડગલાં ચાલવાથી તમે તમારી ઉંમર કરતા નાના દેખાશો, એટલે કે તે એન્ટી એજિંગ જેવું છે. 4000 પગલાં ચાલવાથી કેન્સર, હાર્ટ એટેક વગેરે જેવા જીવલેણ રોગોના જોખમને ઘણી હદ સુધી ટાળી શકાય છે. અભ્યાસ અનુસાર, દરરોજ 7 હજારથી 13 હજાર પગલાં ચાલનારા ટીનેજ બાળકોના સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના સુધારા જોવા મળ્યા હતા. પછીના જીવનમાં, તેમનામાં જીવનશૈલી સંબંધિત કોઈ ક્રોનિક રોગો જોવા મળ્યા ન હતા.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.