દરરોજ માત્ર 4000 પગલાઓ ચાલો, આ બીમારીઓ થશે છુમંતર, BP-હાર્ટ એટેકનો ડર થશે દૂર

દરરોજ ચાલવાનો કોઈ વિકલ્પ નથી. રોજ ચાલવાથી ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો દૂર થાય છે. અગાઉના અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, દરરોજ 10000 પગલાં ચાલવા જોઈએ. આનાથી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. હવે એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો તમે દરરોજ માત્ર 1.5 થી 2 કિલોમીટર જ ચાલશો તો પણ તમે ઘણી બીમારીઓથી મુક્ત રહી શકો છો. આ માટે માત્ર 15 થી 20 મિનિટ ચાલવાની જરૂર છે અને આમાં 4000 પગલાં ચાલવા પડશે. આટલું જ નહીં, દરરોજ માત્ર 4000 પગલાં ચાલવાથી હાર્ટ એટેક અથવા હાર્ટ સંબંધિત મૃત્યુનું જોખમ પણ ઘટી જાય છે. આ અભ્યાસ યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેન્ટિંગ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયો છે.

આ અભ્યાસમાં 226,889 લોકોની દિનચર્યાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વિશ્લેષણના આધારે, એવું જાણવા મળ્યું કે, જો તમે દરરોજ ચાલો છો તો, તેમાં તમારા ચાલવાની સંખ્યામાં 1000 પગલાં વધારશો, તો કોઈ પણ કારણોથી અકાળ મૃત્યુનું જોખમ 15 ટકા ઓછું થઈ જશે. બીજી તરફ, જો તમે હાલમાં ચાલો છો તેમાં માત્ર 500 ડગલા વધુ ચાલવાનો વધારો કરો છો, તો હૃદય સંબંધિત રોગોને કારણે મૃત્યુનું જોખમ 7 ટકા ઓછું થઈ જાય છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે આ સ્ટેપમાં રોજની સ્પીડ જાળવી રાખશો તો તેનો ફાયદો પણ બમણો થશે. પગપાળા ચાલવા વિશે આ પહેલા પણ ઘણા અભ્યાસો થયા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, ચાલવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ આ પહેલો અભ્યાસ છે, જેમાં એકદમ પરફેક્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, કેટલા પગલાં ચાલવાથી કઈ પ્રકારની બીમારીઓનું જોખમ કેટલું ઓછું થઈ શકે છે. અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જે રીતે દવાથી ફાયદો થાય છે, તે જ રીતે ચાલવાથી પણ ફાયદો થાય છે.

અભ્યાસ મુજબ, દરરોજ 4000 પગલાં ચાલવાથી બ્લડ પ્રેશરમાં 5 Hgનો ઘટાડો થાય છે. એટલે કે ઉપર અને નીચે બંને બ્લડ પ્રેશર ઘટી જાય છે. જ્યારે, સરેરાશ બ્લડ સુગર એટલે કે ત્રણ મહિનાની HBA1Ac પણ ઘણી નીચે આવે છે. આ સાથે 4000 ડગલાં ચાલવાથી તમે તમારી ઉંમર કરતા નાના દેખાશો, એટલે કે તે એન્ટી એજિંગ જેવું છે. 4000 પગલાં ચાલવાથી કેન્સર, હાર્ટ એટેક વગેરે જેવા જીવલેણ રોગોના જોખમને ઘણી હદ સુધી ટાળી શકાય છે. અભ્યાસ અનુસાર, દરરોજ 7 હજારથી 13 હજાર પગલાં ચાલનારા ટીનેજ બાળકોના સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના સુધારા જોવા મળ્યા હતા. પછીના જીવનમાં, તેમનામાં જીવનશૈલી સંબંધિત કોઈ ક્રોનિક રોગો જોવા મળ્યા ન હતા.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.