તમે દિવસમાં આટલા કલાક વેબ સીરિઝ જોતા હોય તો માની લેજો કે તમે એડિક્ટ બની ગયા છો

અત્યારના સમયમાં મોટા ભાગના લોકોની પાસે સ્માર્ટફોન હોય છે અને વેબ સીરિઝનો ક્રેઝ વઘવાના કારણે મોટા ભાગના યુવાનો પોતાનો ઘણો સમય વેબ સીરિઝ જોવા પાછળ કાઢી નાંખે છે અને કેટલાક યુવાનો તો વેબ સીરિઝના એડિક્ટ થઈ જાય છે, જેથી યુવકો સાયકલોજિકલ ડિસઓર્ડરનો ભોગ પણ બને છે.

એક રિપોર્ટ અનુસાર જો કોઈ વ્યક્તિ એક દિવસમાં 7 કલાક કે, તેથી વધારે સમય પોતાના મોબાઈલમાં વેબ સીરિઝ જુએ છે, તો તે વ્યક્તિને વેબ સીરિઝનું વ્યશન થઇ ગયું છે તેમ કહેવાય. આવું અમે નહીં પણ ડૉક્ટર કહી રહ્યા છે. સાઇકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર 15 વર્ષથી 29 વર્ષના યુવાનોમાં 60% યુવાનો વેબ સીરિઝ જુએ છે. વધારે વેબ સીરિઝ જોવાના કારણે 10માંથી 6 કે 7 યુવાનોને વેબ સીરિઝનું વ્યશન થઇ જાય અને તેઓ સાયકલોજિકલ ડિસઓર્ડરનો ભોગ પણ બને છે.

વધારે વેબ સીરિઝ જોવાના કારણે સ્વભાવ ચીડિયો બની જાય છે, નાની-નાની વાત પર ગુસ્સો આવે છે, ધ્યાન કેન્દ્રિત થતું નથી, રિલેશનશીપના ઈશ્યુઓ ઉભા થાય છે, સાયકલોજિકલ ડિસઓર્ડરની સમસ્યા થયા છે અને ડીપ્રેશન વધે છે.

આ બાબતે સાયકલોજિસ્ટનું કહેવું છે કે, વેબ સીરિઝના એડિક્ટેડ હોય તેવા 30થી 32 જેટલા વ્યક્તિઓ દર મહિને સારવાર લેવા માટે આવે છે. વેબ સીરીઝ 7થી 8 કલાક નહીં પણ 2થી 3 કલાક સતત જોવું પણ હિતાવહ નથી.

વેબ સીરિઝના એડિક્ટેડ કિસ્સાની વાત કરવામાં આવે તો એક યુવક સતત 8થી 10 કલાક સુધી વેબ સીરિઝ જોતો હતો. ધીમે-ધીમે તેને વ્યશન થઇ ગયું. વેબ સીરિઝ જોવાના કારણે તે એકલતા મહેસુસ કરતો હતો અને સતત નેગેટીવ વિચાર કરતો હતો. નેગેટીવ વિચારના કારણે તે ડીપ્રેશનની બીમારીનો ભોગ બનતા તેને સાયકલોજિસ્ટ પાસે સારવાર લેવા માટે જવું પડ્યું હતું.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.