- Health
- દૂધ અને કેરીનું એકસાથે સેવન કેમ ન કરવું જોઈએ? અહીં જાણો કારણ
દૂધ અને કેરીનું એકસાથે સેવન કેમ ન કરવું જોઈએ? અહીં જાણો કારણ

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ બજારમાં મેંગો શેક વેચાવા લાગે છે. મેંગો શેક પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને પીવું સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું માનવામાં આવતું નથી. આયુર્વેદ અનુસાર, દૂધ અને કેરીનું એકસાથે સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. કેરી એક મીઠી અને પલ્પી ફળ છે જેમાં કુદરતી ખાંડ અને ફાઇબર હોય છે, જ્યારે દૂધ એક પ્રાણી આધારિત ઉત્પાદન છે જે પચવામાં વધુ સમય લે છે. જ્યારે એકસાથે સેવન કરવામાં આવે છે, ત્યારે આ મિશ્રણ પાચનમાં સમસ્યા પેદા કરે છે. ચાલો જાણીએ કે તમારે દૂધ અને કેરીનું એકસાથે સેવન કેમ ન કરવું જોઈએ-
ટોક્સિન બનવાનું જોખમ
આયુર્વેદ આ ચેતવણી આપે છે કે કેરી સહિત કેટલાક ફળોમાં દૂધ ભેળવવાથી ટોક્સિન બને છે. કેરી સહિત કેટલાક ફળોમાં દૂધ ભેળવવાથી "અમા" ની રચના થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે અમા શરીરમાં સંચયિત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે, ત્વચાની સમસ્યાઓ અને મેટાબોલિજ્મ ધીમો પડે છે.

ત્વચાને સંબંધિત સમસ્યાઓ
કેરી અને દૂધ એકસાથે સેવન કરવાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. કેરી અને દૂધના મિશ્રણથી ત્વચા પર ખીલ, ફોલ્લીઓ અથવા એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
લેક્ટોઝ ઈન્ટોલરેંસની સમસ્યાઓ
જે લોકો લેક્ટોઝ ઈન્ટોલરેંસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેઓએ કેરી અને દૂધ એકસાથે ન ખાવા જોઈએ.કેરીમાં રહેલું કુદરતી એસિડ શરીર માટે લેક્ટોઝને પચાવવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે, જેના કારણે પેટમાં ખેંચાણ, ઉબકા અથવા ઝાડા થઈ શકે છે. પાચનમાં મદદ કરવાને બદલે, દૂધ સાથે કેરી ખાવાથી સમસ્યા વધી શકે છે.

સ્વસ્થ વિકલ્પ
દૂધમાં તાજી કેરી ભેળવીને પીવાને બદલે, તેને અલગથી પીવું વધુ સારું છે. જો તમને મેંગો મિલ્કશેક પીવાનું મન થઈ રહ્યું હોય, તો પ્રયાસ કરો કે કેરી પાકેલી, મીઠી હોય અને દૂધ ઉકાળીને ઠંડુ કરવામાં આવે અથવા પ્લાંટ (જેમ કે બદામ અથવા ઓટ મિલ્ક) માંથી બનાવવામાં આવે જેથી ફર્મેંટેશનનું જોખમ ઓછું થાય.
Related Posts
Top News
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
Opinion
