જો તમને તમારા પર ભરોસો છે ને તો દુનિયા ચોક્કસ તમારા પર ભરોસો કરશે.

(Utkarsh Patel)

વાત ભરોસાની...

ભરોસો રાખીએ પરમાત્મા પર,

ભરોસો રાખીએ પોતાના પર.

પરમાત્મા પરનો ભરોસો આત્મબળ આપશે અને પોતાના પરનો ભરોસો તમને સાથ આપશે.

વડીલો શિખવાડે છેને કે ભરોસો સમજી વિચારીને જ કરવો, વાત એકદમ સાચી. પણ પરમાત્મા અને પોતાની જાત પર કંઈ જ વિચાર્યા વગર ભરોસો કરવાનું જો આવડી જાયને તો ભરોસાના સંબંધો શોધવાની જરૂર નહીં રહે, તમને તમારા જેવા જ મજબૂત મનોબળ વાળા લોકો સંગાથે મળી જશે.

તમે ઘેટા બકરા, જીવજંતુને હંમેશાં ટોળામાં જોયા હશે, બને ક્યારેક એકલદોકલ છૂટા પડી ગયેલા જોવા મળી જાય તે અપવાદ. આ ટોળા એટલે હોય કેમ કે એ નબળા છે અને ટોળા હંમેશાં બીજા પર આધારીત રહેનારના અને નબળાના જ હોય.

તમે સાવજ જોયા હશે, હંમેશાં એકલા જ જોવા મળે! પોતાના પરિવાર સાથે સમુહમાં આનંદ કરે ખરા પણ શિકારે તો એકલા જ નીકળે! કેમ? કેમકે એમને પોતાના પર ભરોસો હોય છે કે તે શિકાર કરશે અને પરિવારને વહેચીને પેટ ભરશે.

100 ઘેટાંબકરાનું ટોળું જ્યારે એકલા 1 સિંહને જોવેને ત્યારે શું થાય? ભાગમભાગ થાય અને એમાંથી એકાદ બે ઘેટાંનો હિસાબ તો એકલો સિંહ કરી જ નાંખે.

કેમ આમ થયું?

ઘેટાંબકરાના ટોળાને એકબીજા પર ભરોસો હોય,

એકલા સાવજને પોતાના પર ભરોસો હોય!!

ઉપરોક્ત દૃષ્ટાંતને આધારે જો કોઈને એમ થાય કે તેઓ ઘેંટા બકરાના ટોળામાં છે તો મન પર લેવુ નહીં અને કોઈકને એમ થાય કે સિંહ જેવા છે તો રાજી થઈ જાઓ.

જીવનમાં સાચી નીતિ રાખીને આગળ વધી તો જોવો,

પોતાના પર ભરોસો કરી તો જોવો... સફળતા શોધવી નહીં પડે, સામેથી દોડતી આવશે અને તેમને ભેટી પડશે. PM નરેન્દ્ર મોદીના જ શબ્દો વાંચો...

‘ જો તમને તમારા પર ભરોસો છેને તો દુનિયા ચોક્કસ તમારા પર ભરોસો કરશે.’

ઉપરોક્ત વાત વારંવાર પોતાની જાતને કહો.

હું અહીં તમને મારા આદર્શ અને રાષ્ટ્રપુરુષ વ્યક્તિની કહેલી વાતનું દૃષ્ટાંત આપીને એજ સમજાવા માંગું છું કે તમે તમારા પર ભરોસો રાખો. હું તમને એમ નથી કહી રહ્યો કે હિમ્મત રાખો. તમને તમારા પર ભરોસો નહીં હોય તો તમે ટોળામાં રહી જશો અને તમને તમારા પર ભરોસો હશે તો તમે એકલા ભલે હોવ પણ દુનિયા તમારા પર ભરોસો ચોક્કસ કરશે. આજે નહીં તો કાલે કરશે. તમારો સમય આવશે.

આપણે પહેલ કરીએ તો આપણી પેઢીઓ એજ સંસ્કાર સાથે સુખેથી જીવશે. આપણી સાથે આપણી આવનારી પેઢીઓનું પણ વિચારીએ.

સુખમય રહે સૌના મન અને સુખમય રહે આપણો સમાજ.

સારા વિચારો સાથેજ સુખ આવશે.

સારા આચરણ સાથેજ અનુક્રમે આપનું ગામ, શહેર, રાજ્ય, દેશ સુખી થશે.

એકવાર તમારા પર ભરોસો રાખો અને જોવો ભગવાન, પ્રકૃતિ, સમય અને સંસાર બધાયે તેમને સાથ આપશે.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.