વારંવાર ફોન ચેક કરતા લોકો કામો અધૂરા છોડી દેતા હોય છે, તેમનામાં...

દરેક સમયે હાથમાં સ્માર્ટફોન હવે સામાન્ય બાબત બની ગયું છે. દરેક ઉંમરના લોકોનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફોનને વારંવાર ચેક કરવું એ સ્ક્રીન ટાઈમ વધારવા જેટલું જ જોખમી છે. બ્રિટિશ જર્નલ ઑફ સાઈકોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વારંવાર ફોન ચેક કરવાથી રોજિંદા જીવનમાં નાની નાની સમસ્યાઓને સમજવા અને તેના ઉકેલવાની ક્ષમતાને ઓછી ફોન ચેક કરવાની આદત વધવાની સાથે જ આપણો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો અભિગમ નબળો પડવા લાગે છે.

સાથે જ રિસર્ચમાં આ પણ જાણવા મળ્યું છે કે હવે લોકો નાની-નાની સમસ્યાઓથી ધ્યાન હટાવવા માટે ફોન ઉપાડતા હોય છે. કંટાળાને દૂર કરવા કે સમય પસાર કરવા માટે તેઓ પોતાના સ્માર્ટફોન ચેક કરતા રહે છે. આના કારણે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી જાય છે અને વ્યક્તિ કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકતો નથી. મન ભટકે છે અને વાતો ભૂલાઈ જાય છે. સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર અને આ રિસર્ચના મુખ્ય સંશોધક એન્ડ્રી હેરટેન્ટો કહે છે સ્માર્ટફોને વિશ્વભરની માહિતી મેળવવાની અને વાતચીત કરવાની રીત બદલી નાખી છે.

ઘણી વખત આપણને ખ્યાલ પણ નથી આવતો કે આપણે જરૂર વગર પણ આપણો સ્માર્ટફોન ચેક કરી રહ્યા છીએ. તેઓ કહે છે કે આ અભ્યાસ માટે સિંગાપોરની એક યુનિવર્સિટીના આઈફોનનો ઉપયોગ કરતા 181 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા.

સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે આંખની રોશની પણ જતી રહે છે. આની સૌથી વધુ અસર બાળકોને થઈ રહી છે. જેના કારણે આંખના રોગો જેમ કે માયોપિયા અને એસ્થેનોપિયા થઈ રહ્યા છે. જર્નલ ઑફ મેડિકલ ઈન્ટરનેટ રિસર્ચમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ 2050 સુધીમાં વિશ્વભરમાં 5–8 વર્ષની વયના 49.8% બાળકો માયોપિયાનો શિકાર થઈ જશે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.