આ મહિલા પત્રકારના લગ્ન 19000 કરોડની સંપત્તિ ધરાવતા બિઝનેસમેન સાથે થયા

એક એવા મહિલા પત્રકારની તમારી સાથે વાત કરવી છે જેમના લગ્ન 19000 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા ઉદ્યોગકાર સાથે થયા છે અને આજે આ મહિલા પત્રકાર લકઝરી અને લાઇફ સ્ટાઇલની દુનિયામાં જાણીતું નામ છે.

અનુરાધા મહિન્દ્રા અબજોપતિ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના પત્ની છે અને આનંદ મહિન્દ્રા ખૂબ જ લોકપ્રિય નામ હોવા છતાં, અનુરાધા મહિન્દ્રા લક્ઝરી અને લાઇફ સ્ટાઇલની દુનિયામાં નોંધપાત્ર છાપ બનાવવામાં સફળ રહ્યા છે. અનુરાધા મહિન્દ્રા મેન્સ વર્લ્ડ મેગેઝિન અને લક્ઝરી લાઈફસ્ટાઈલ મેગેઝિન Verve ના સ્થાપક છે. અનુરાધા મહિન્દ્રાનો જન્મ મુંબઈમાં એક  હિંદુ પરિવારમાં થયો હતો. આનંદ મહિન્દ્રા અને અનુરાધા મહિન્દ્રા પ્રથમ વખત એકબીજાને મળ્યા હતા જ્યારે અનુરાધા સોફિયા કોલેજમાં અભ્યાસ કરતા હતા.

આનંદ મંહિન્દ્રા અને અનુરાધા મહિન્દ્રાની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. આનંદ એક સ્ટુડન્ટ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા જ્યારે તે અનુરાધાને પહેલી વાર મળ્યા, તે સમયે અનુરાધા માત્ર 17 વર્ષના હતા. આનંદ મહિન્દ્રા અનુરાધાની બુદ્ધિ અને વર્તનથી પ્રેમમાં પડ્યા અને બંને વચ્ચે ત્વરિત મિત્રતા શરૂ થઇ હતી.

થોડા વર્ષો પછી, આનંદ મહિન્દ્રાએ અનુરાધા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનું નક્કી કર્યું અને તેણીને પોતાની દાદીની વીંટી આપીને અનુરાધાને પ્રપોઝ કર્યું. અનુરાધા મહિન્દ્રાના જણાવ્યા અનુસાર, આનંદ મહિન્દ્રા દ્વારા તેમને ભેટમાં આપવામાં આવેલી વીંટી તેમની સૌથી પ્રિય સંપત્તિ છે.

આનંદ મહિન્દ્રા અનુરાધા સાથે લગ્ન કરવા માટે તેના અભ્યાસમાંથી એક સેમેસ્ટર છોડી દીધું હતું. તેમના લગ્ન પછી, દંપતી બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા. આનંદ મહિન્દ્રા અને અનુરાધા મહિન્દ્રાના લગ્ન 17 જૂન 1985ના રોજ થયા હતા અને હવે તેઓ બે પુત્રીઓના માતા-પિતા છે. અમેરિકાથી પરત ફર્યા બાદ અનુરાધા મહિન્દ્રાએ 'મેન્સ વર્લ્ડ' મેગેઝિનની શરૂઆત કરી.

મેન્સ વર્લ્ડ મેગેઝિન સાથે સફળતા મેળવ્યા પછી, અનુરાધા મહિન્દ્રાએ લક્ઝરી લાઈફસ્ટાઈલ સેગમેન્ટમાં પ્રવેશવાનું નક્કી કર્યું અને 'વર્વ' મેગેઝિન લોન્ચ કર્યું. અનુરાધાને પુસ્તકોનો વાંચવાનો ઘણો શોખ છે અને તેમને હારુકી મુરાકામી, ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ અને વીએસ નાયપોલ જેવા લોકપ્રિય લેખકોની કૃતિઓ વાંચવી ગમે છે. અનુરાધા મહિન્દ્રા વ્યવસાયે પત્રકાર છે અને એમ કહેવું ખોટું નહીં હોય કે તેઓ ભારતની સૌથી સફળ પત્રકારોમાંના એક છે.

અનુરાધા મહિન્દ્રા એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે સાથે પરોપકારી પણ છે. તેઓ કે.સી. મહિન્દ્રા એજ્યુકેશન ટ્રસ્ટ અને વંચિત બાળકોને શૈક્ષણિક અને નાણાકીય સહાય પૂરી પાડવામાં સક્રિય રસ લે છે. ફોર્બ્સ અનુસાર, આનંદ મહિન્દ્રા ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક છે અને તેમની કુલ સંપત્તિ લગભગ 2.3 બિલિયન ડોલર છે.

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.