નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે હવે નાના બાળકો પણ જાડા લેન્સવાળા ચશ્મા પહેરતા જોવા મળે છે. આ પાછળ ઘણા કારણો છે, જેમાં સ્ક્રીનનો વધતો ઉપયોગ, અસંતુલિત આહાર અને બહારની પ્રવૃત્તિઓનો અભાવ શામેલ છે.

children-eye-2
kinzoo.com

બાળકોના નાની ઉંમરે ચશ્મા પહેરવાના મુખ્ય કારણો 

- સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ: આજકાલ બાળકો મોબાઈલ, લેપટોપ અને ટીવીનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે. સ્ક્રીનમાંથી નીકળતો વાદળી પ્રકાશ આંખોને નુકસાન પહોંચાડે છે અને દૃષ્ટિને નબળી બનાવે છે. દિવસભર ઓનલાઈન ક્લાસ, ગેમ અને વીડિયો જોવાથી આંખો પર દબાણ વધે છે, જેના કારણે વહેલા કે મોડા ચશ્માની જરૂર પડે છે.

- બહાર રમવાનો અભાવ: પહેલા બાળકો મોટાભાગે ખુલ્લા મેદાનમાં રમતા હતા, જેનાથી તેમની આંખોને કુદરતી પ્રકાશ અને ખુલ્લું વાતાવરણ મળતું હતું. પરંતુ હવે મોટાભાગના બાળકો ઘરની અંદર રહે છે અને સ્ક્રીનમાં જ વ્યસ્ત રહે છે, જેના કારણે આંખોના સ્નાયુઓ નબળા પડી જાય છે.

- ખરાબ આહાર: આંખના સ્વાસ્થ્ય માટે વિટામિન A, C અને E જેવા પોષક તત્વો  જરૂરી હોય છે. લીલા શાકભાજી, ગાજર, ટામેટાં, નારંગી અને બદામનું સેવન આંખો માટે ફાયદાકારક છે. પરંતુ આજકાલ બાળકોનો ખોરાક જંક ફૂડ અને તળેલા ખોરાક પર વધુ આધારિત થઈ ગયો છે, જેના કારણે તેમની દૃષ્ટિ નબળી પડવા લાગે છે.

  • અભ્યાસની ખોટી રીત: ઓછા પ્રકાશમાં વાંચવું, ખોટા પૉસ્ચરમાં બેસીને ભણવું અને પુસ્તકો આંખોની ખૂબ નજીક રાખીને વાંચવાની આદત પણ આંખોને અસર કરે છે.
children-eye
news18.com

ચશ્મા દૂર કરવા અને દૃષ્ટિ વધારવા માટેના ઉપાયો:

- સ્ક્રીન સમય ઓછો કરો: બાળકોને મોબાઇલ અને લેપટોપથી દૂર રાખવાનો પ્રયાસ કરો. જો અભ્યાસ માટે સ્ક્રીનનો ઉપયોગ કરવો જરૂરી હોય, તો 20-20-20 નિયમનું પાલન કરો. એટલે કે, દર 20 મિનિટે, 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર દેખો.

બહાર રમવા માટે પ્રોત્સાહિત કરો: કુદરતી પ્રકાશ અને હર્યા-ભર્યા વાતાવરણમાં સમય વિતાવવાથી આંખનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે. બાળકોને દરરોજ ઓછામાં ઓછા 1 કલાક બહાર રમવા મોકલો.

- સંતુલિત આહાર આપો: બાળકોને ગાજર, પાલક, ટામેટાં, શક્કરીયા, બદામ અને અખરોટ જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાક આપો. ઉપરાંત, વધુ પડતી મીઠાઈઓ અને જંક ફૂડ ખાવાથી બચાવો.

- આંખોની કસરત કરાવો: આંખોને સ્વસ્થ રાખવા માટે, દરરોજ કેટલીક સરળ કસરતો કરાવો, જેમ કે - તમારી આંગળીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ધીમે ધીમે તેમને નજીક અને દૂર લી જાવો. તમારી આંખોને ગોળગોળ ફેરવો. હળવા હાથે આંખોની માલિશ કરવી.

- પૂરતી ઊંઘ જરૂરી છે: બાળકોને દરરોજ 8-10 કલાક ગાઢ ઊંઘ લેવા દો. સારી ઊંઘ આંખોનો થાક ઘટાડે છે અને દ્રષ્ટિ સારી રાખે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -17-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારતની GPS સિસ્ટમ બંધ થવાની અણી પર, ટ્રેનોથી લઈને વાહનો સુધી બધું જ પ્રભાવિત થવાનો તોળાઈ રહેલો ભય!

ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ (NavIC) હવે નબળું પડી ગયું છે. તેના ચાર ઉપગ્રહોમાંથી એક ઉપગ્રહે કામ કરવાનું બંધ કરી...
Science 
ભારતની GPS સિસ્ટમ બંધ થવાની અણી પર, ટ્રેનોથી લઈને વાહનો સુધી બધું જ પ્રભાવિત થવાનો તોળાઈ રહેલો ભય!

સલમાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું, ચીન આ ફિલ્મથી નારાજ છે

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ ...
Entertainment 
સલમાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું, ચીન આ ફિલ્મથી નારાજ છે

કિંજલ રબારીની ઘર વાપસી બાદ ચૌધરી સમાજની દીકરી પરત લાવવા માંગ, ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયાના આક્ષેપ

તાજેતરમાં જ કિંજલ રબારીને પરત તેના પરિવારજનોને સોપવામાં આવી છે. ત્યારે હવે ચૌધરી સમાજ મેદાનમાં આવ્યો છે. તેણે પણ પોતાના...
Gujarat 
કિંજલ રબારીની ઘર વાપસી બાદ ચૌધરી સમાજની દીકરી પરત લાવવા માંગ, ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયાના આક્ષેપ
Copyright (c) Khabarchhe All Rights Reserved.