ભાજપે ભોજપુરી એક્ટરને ટિકિટ આપી, પણ તેણે લોકસભા લડવાનો ઇનકાર કરી દીધો

લોકસભાની ટિકીટ મેળવવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવતા હોય છે અને બધા હઠકંઠા અપનાવતા હોય છે, પરંતુ એક ઉમેદવારની ટિકીટ મળી તો એણે ચૂંટણી લડવાની ના પાડી દીધી. ભાજપે પશ્ચિમ બંગાળની એક બેઠક પરથી ભોજપુરી એકટરને લોકસભાની ટિકીટ આપી હતી, પરંતુ એકટરે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.

ભોજપુરી સ્ટાર પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. ભાજપે પવન સિંહને પશ્ચિમ બંગાળના આસનસોલથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા જ્યાંથી TMC નેતા શત્રુઘ્ન સિંહા હાલમાં સાંસદ છે.

પવન સિંહે X પર પોસ્ટ કરીને કહ્યું કે, હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકું તેમ નથી.પવન સિંહની આ પોસ્ટને રિપોસ્ટ કરીને TMCના મહાસચિવ અભિષેક બેનર્જિએ મજાકમાં લખ્યું કે,પશ્ચિમ બંગાળના લોકોની અદમ્ય ભાવના અને શક્તિ.

અગાઉ જ્યારે ભાજપે શનિવારે આસનસોલ બેઠક માટે પવન સિંહના નામની જાહેરાત કરી હતી, ત્યારે તેમણે તરત જ ભાજપ હાઈકમાન્ડનો આભાર માનતો સંદેશ પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે,મને આસનસોલથી લોકસભાના ઉમેદવાર બનાવવા માટે રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના તમામ આદરણીય વ્યક્તિઓને વંદન અને અભિનંદન પાઠવું છું.

પશ્ચિમ બંગાળના આસનસોલથી ટિકીટ મળ્યા પછી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા પવન સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો છે. અહીંનું પાણી અને નમક મારા શરીરમાં છે. મને આસોનસોલની જનતાનો પ્રેમ મળશે અને હું ચોક્કસ જીતી જઇશ.

અભિનેતામાંથી રાજકારણી બનેલા TMC સાંસદ શત્રુઘ્ન સિંહા બંગાળના આસનસોલના સાંસદ છે અને તેમની સામે લડવા માટે ભાજપે ભોજપુરી સ્ટાર પવન સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. પવન સિંહની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને ફિલ્મોમાં તેની એક્ટિંગ અને સિંગિંગની સાથે તેની સંપત્તિ પણ કરોડોમાં છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પવન સિંહની અંદાજિત નેટવર્થ 6-8 મિલિયન ડોલર અંદાજે આશરે રૂ. 50-65 કરોડ રૂપિયા છે. પવન સિંહની ગણતરી ભોજપુરી સિનેમાના સૌથી મોંઘા કલાકારોમાં થાય છે.

પણ હવે તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા ભાજપ માટે મુસીબત ઉભી થઇ છે. ભાજપ તેમને મનાવી લેશે કે પછી બીજા કોઇને ટિકીટ આપશે તે આગામી દિવસોમાં ખબર પડશે.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.