ભાજપે ભોજપુરી એક્ટરને ટિકિટ આપી, પણ તેણે લોકસભા લડવાનો ઇનકાર કરી દીધો

લોકસભાની ટિકીટ મેળવવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવતા હોય છે અને બધા હઠકંઠા અપનાવતા હોય છે, પરંતુ એક ઉમેદવારની ટિકીટ મળી તો એણે ચૂંટણી લડવાની ના પાડી દીધી. ભાજપે પશ્ચિમ બંગાળની એક બેઠક પરથી ભોજપુરી એકટરને લોકસભાની ટિકીટ આપી હતી, પરંતુ એકટરે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.

ભોજપુરી સ્ટાર પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. ભાજપે પવન સિંહને પશ્ચિમ બંગાળના આસનસોલથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા જ્યાંથી TMC નેતા શત્રુઘ્ન સિંહા હાલમાં સાંસદ છે.

પવન સિંહે X પર પોસ્ટ કરીને કહ્યું કે, હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકું તેમ નથી.પવન સિંહની આ પોસ્ટને રિપોસ્ટ કરીને TMCના મહાસચિવ અભિષેક બેનર્જિએ મજાકમાં લખ્યું કે,પશ્ચિમ બંગાળના લોકોની અદમ્ય ભાવના અને શક્તિ.

અગાઉ જ્યારે ભાજપે શનિવારે આસનસોલ બેઠક માટે પવન સિંહના નામની જાહેરાત કરી હતી, ત્યારે તેમણે તરત જ ભાજપ હાઈકમાન્ડનો આભાર માનતો સંદેશ પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે,મને આસનસોલથી લોકસભાના ઉમેદવાર બનાવવા માટે રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના તમામ આદરણીય વ્યક્તિઓને વંદન અને અભિનંદન પાઠવું છું.

પશ્ચિમ બંગાળના આસનસોલથી ટિકીટ મળ્યા પછી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા પવન સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો છે. અહીંનું પાણી અને નમક મારા શરીરમાં છે. મને આસોનસોલની જનતાનો પ્રેમ મળશે અને હું ચોક્કસ જીતી જઇશ.

અભિનેતામાંથી રાજકારણી બનેલા TMC સાંસદ શત્રુઘ્ન સિંહા બંગાળના આસનસોલના સાંસદ છે અને તેમની સામે લડવા માટે ભાજપે ભોજપુરી સ્ટાર પવન સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. પવન સિંહની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને ફિલ્મોમાં તેની એક્ટિંગ અને સિંગિંગની સાથે તેની સંપત્તિ પણ કરોડોમાં છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પવન સિંહની અંદાજિત નેટવર્થ 6-8 મિલિયન ડોલર અંદાજે આશરે રૂ. 50-65 કરોડ રૂપિયા છે. પવન સિંહની ગણતરી ભોજપુરી સિનેમાના સૌથી મોંઘા કલાકારોમાં થાય છે.

પણ હવે તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા ભાજપ માટે મુસીબત ઉભી થઇ છે. ભાજપ તેમને મનાવી લેશે કે પછી બીજા કોઇને ટિકીટ આપશે તે આગામી દિવસોમાં ખબર પડશે.

Related Posts

Top News

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફુલ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા 2027ની તૈયારી...
Gujarat 
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા...
National 
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.