AAPના MLA, બસપામાંથી MPની ચૂંટણી લડી, હવે ન ઘરના ન ઘાટના

લોકસભાની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ બળવાના સૂર અપનાવનાર અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી રહેલા રાજકુમાર આનંદને દિલ્હી વિધાનસભા અધ્યક્ષે વિધાનસભાની સભ્યતાથી ડિસ્ક્વાલિફાઈ કરી દીધા છે. વિધાનસભા ઓફિસ મુજબ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહેતા રાજકુમાર આનંદે બહુજન સમાજ પાર્ટી (BSP)ની ટિકિટ પરથી નવી દિલ્હી લોકસભા ક્ષેત્રથી ચૂંટણી લડી. આ મામલે વિધાનસભાએ રાજકુમાર આનંદને જવાબ ફાઇનલ કરવા માટે 10 જૂન સુધીનો સમય આપ્યો હતો. જવાબ ન આપવા પર 11 અને 14 જૂન વિધાનસભામાં હજાર થવા કહેવામાં આવ્યું હતું.

વિધાનસભાએ રાજકુમાર આનંદને પૂછ્યું હતું કે પાર્ટી બદલીને ચૂંટણી લડવા માટે તમને ટર્મિનેટ કેમ ન કરી દેવામાં આવે? દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલ મુજબ રાજકુમાર આનંદને એન્ટિ ડિફેક્શન લૉનો સંદર્ભ આપતા ડિસ્ક્વાલિફાઈ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં સમાજ કલ્યાણ મંત્રી રાજ કુમાર આનંદનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું. ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ રાષ્ટ્રપતિને તેની ભલામણ પણ મોકલી હતી. તેને લઈને ઉપરાજ્યપાલ ઓફિસે નિવેદન જાહેર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 31 મેના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકુમાર આનંદના રાજીનામને મંજૂર કરવાની ભલામણ ઉપરાજ્યપાલને મોકલી હતી. રાજકુમાર આનંદ વર્ષ 2020માં પહેલી વખત પટેલ નગર સીટથી ધારાસભ્ય બન્યા હતા. આ અગાઉ તેમના પત્ની વીના આનંદ પણ આ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની જગ્યાએ રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. બૌદ્ધ સંમેલનના એક કાર્યક્રમમાં હિન્દુ દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જ્યાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ ઉપસ્થિત હતા. ત્યારબાદ ખૂબ હોબાળો થયો અને રાજેન્દ્ર ગૌતમને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

દિલ્હી સરકારમાં મંત્રી રહેલા રાજકુમાર આનંદે ગત 6 મેના રોજ બહુજન સમાજ પાર્ટીમાં એન્ટ્રી લઈ લીધી હતી. સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ નવી દિલ્હી લોકસભા સીટથી બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડશે. પૂર્વ AAP નેતાએ બહુજન સમાજ પાર્ટી જોઇન્ટ કર્યા બાદ કહ્યું હતું કે, હું પોતાની પાર્ટીમાં પરત આવી ગયો છું. રાજકુમાર આનંદે બહુજન સમાજ પાર્ટીનો હાથ પકડ્યા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે હું બાબાસાહેબ આંબેડકારને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. મને લાગે છે કે હું પોતાની પાર્ટીમાં પરત આવી ગયો છું.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.