ન મકાન, ન દુકાન, PM મોદી પાસે છે 52920 રૂપિયા, પણ સંપત્તિ આટલા કરોડની

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર (14 મેના રોજ) વારાણસીથી પોતાનું નામાંકન દાખલ કર્યું. તેઓ ત્રીજી વખત અહીથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના મુખિયા હોવા છતા નરેન્દ્ર મોદી પાસે પોતાની સંપત્તિ લગભગ ન બરાબર છે. ચૂંટણી પંચમાં દાખલ કરેલી એફિડેવિટ મુજબ, વડાપ્રધાન મોદી પાસે માત્ર 52,920 રૂપિયા રોકડ છે. તેમાંથી પણ 24,920 રૂપિયા પહેલાના હતા અને 28,000 રૂપિયા નામાંકનના એક દિવસ અગાઉ જ બેંકમાંથી કાઢ્યા હતા.

જો સંપત્તિના હિસાબે જોવા જઈએ તો વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી તાકતવાન નેતાઓમાં સામેલ હોવા છતા ખિસ્સામાં કંઇ નથી. તેમની પાસે 2 બેંક અકાઉન્ટ છે. એક ગાંધીનગરમાં અને એક તેમના મતવિસ્તાર વારાણસીમાં. ગાંધીનગરની ભારતીય સ્ટેટ બેંક (SBI)માં વડાપ્રધાન મોદીના 73 હજાર રૂપિયા જમા છે અને વારાણસીવાળા અકાઉન્ટમાં માત્ર 7,000 રૂપિયા બેલેન્સ છે. બચત ખાતા સિવાય વડાપ્રધાન મોદીનું SBIમાં 2.85 કરોડ રૂપિયાનું ફિક્સ ડિપોઝિટ છે. એ સિવાય તેમણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં 9,12,398 રૂપિયાનું રોકાણ કર્યું છે.

રોકડ સિવાય નરેન્દ્ર મોદી પાસે 45 ગ્રામ વજનની 4 સોનાની અંગૂઠીઓ છે, જેની કિંમત 2.67 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. આ પ્રકારે વડાપ્રધાન મોદી પાસે કુલ 3.02 કરોડ રૂપિયાની રોકડ (પૈસા અને સોનું) છે. પ્રોપર્ટીના નામ પર ઝીરો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન તો કોઈ પોતાનું મકાન છે, ન ખેતીની જમીન છે, ન દુકાન વગેરેની જમીન કે સંપત્તિ છે. તેઓ દેશની જનતા માટે જીવે છે અને રાજનીતિક ગતિવિધિઓમાં સામેલ રહે છે. એફિડેવિટ મુજબ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વડાપ્રધાન મોદીની કુલ સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે. તેમની સંપત્તિ ગયા વર્ષની 2.85 કરોડ રૂપિયાથી વધીને 3,07,68,885 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં તેમનું નેટવર્થના 22 લાખ રૂપિયાનો વધારો થયો છે.

વડાપ્રધાન પાસે 31 માર્ચ સુધી 1,52,480 રૂપિયાનું બેંક બેલેન્સ અને 36,900 રૂપિયાની રોકડ હતી. તેમની સંપત્તિમાં વધારો ગાંધીનગરની SBI શાખામાં તેમની જમા ફિક્સ ડિપોઝિટના કારણે થયો છે. SBI ગાંધીનગર NSC શાખાની FD આ વર્ષે 31 માર્ચ સુધી 1.83 કરોડ રૂપિયા હતી, જ્યારે ગયા વર્ષે એ 1.6 કરોડ રૂપિયા હતી. નામાંકન દાખલ કર્યા બાદ સોશિયલ મીડિયા મંચ X પર પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાશીના મારા પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર! વારાણસીથી સતત ત્રીજી વખત નામાંકન કરીને ખૂબ જ ઉત્સાહિત છું.

About The Author

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.