ન મકાન, ન દુકાન, PM મોદી પાસે છે 52920 રૂપિયા, પણ સંપત્તિ આટલા કરોડની

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર (14 મેના રોજ) વારાણસીથી પોતાનું નામાંકન દાખલ કર્યું. તેઓ ત્રીજી વખત અહીથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના મુખિયા હોવા છતા નરેન્દ્ર મોદી પાસે પોતાની સંપત્તિ લગભગ ન બરાબર છે. ચૂંટણી પંચમાં દાખલ કરેલી એફિડેવિટ મુજબ, વડાપ્રધાન મોદી પાસે માત્ર 52,920 રૂપિયા રોકડ છે. તેમાંથી પણ 24,920 રૂપિયા પહેલાના હતા અને 28,000 રૂપિયા નામાંકનના એક દિવસ અગાઉ જ બેંકમાંથી કાઢ્યા હતા.

જો સંપત્તિના હિસાબે જોવા જઈએ તો વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી તાકતવાન નેતાઓમાં સામેલ હોવા છતા ખિસ્સામાં કંઇ નથી. તેમની પાસે 2 બેંક અકાઉન્ટ છે. એક ગાંધીનગરમાં અને એક તેમના મતવિસ્તાર વારાણસીમાં. ગાંધીનગરની ભારતીય સ્ટેટ બેંક (SBI)માં વડાપ્રધાન મોદીના 73 હજાર રૂપિયા જમા છે અને વારાણસીવાળા અકાઉન્ટમાં માત્ર 7,000 રૂપિયા બેલેન્સ છે. બચત ખાતા સિવાય વડાપ્રધાન મોદીનું SBIમાં 2.85 કરોડ રૂપિયાનું ફિક્સ ડિપોઝિટ છે. એ સિવાય તેમણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં 9,12,398 રૂપિયાનું રોકાણ કર્યું છે.

રોકડ સિવાય નરેન્દ્ર મોદી પાસે 45 ગ્રામ વજનની 4 સોનાની અંગૂઠીઓ છે, જેની કિંમત 2.67 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. આ પ્રકારે વડાપ્રધાન મોદી પાસે કુલ 3.02 કરોડ રૂપિયાની રોકડ (પૈસા અને સોનું) છે. પ્રોપર્ટીના નામ પર ઝીરો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન તો કોઈ પોતાનું મકાન છે, ન ખેતીની જમીન છે, ન દુકાન વગેરેની જમીન કે સંપત્તિ છે. તેઓ દેશની જનતા માટે જીવે છે અને રાજનીતિક ગતિવિધિઓમાં સામેલ રહે છે. એફિડેવિટ મુજબ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વડાપ્રધાન મોદીની કુલ સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે. તેમની સંપત્તિ ગયા વર્ષની 2.85 કરોડ રૂપિયાથી વધીને 3,07,68,885 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં તેમનું નેટવર્થના 22 લાખ રૂપિયાનો વધારો થયો છે.

વડાપ્રધાન પાસે 31 માર્ચ સુધી 1,52,480 રૂપિયાનું બેંક બેલેન્સ અને 36,900 રૂપિયાની રોકડ હતી. તેમની સંપત્તિમાં વધારો ગાંધીનગરની SBI શાખામાં તેમની જમા ફિક્સ ડિપોઝિટના કારણે થયો છે. SBI ગાંધીનગર NSC શાખાની FD આ વર્ષે 31 માર્ચ સુધી 1.83 કરોડ રૂપિયા હતી, જ્યારે ગયા વર્ષે એ 1.6 કરોડ રૂપિયા હતી. નામાંકન દાખલ કર્યા બાદ સોશિયલ મીડિયા મંચ X પર પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાશીના મારા પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર! વારાણસીથી સતત ત્રીજી વખત નામાંકન કરીને ખૂબ જ ઉત્સાહિત છું.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.