કંગના શું બોલી કે પ્રિયંકાએ કહ્યું શું તમે ઈચ્છો છો કે હું એની બકવાસનો જવાબ આપું

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આજે UPના સહારનપુરમાં રોડ શો કર્યો અને કોંગ્રેસના ઉમેદવાર માટે વોટ માંગ્યા. આ દરમિયાન મીડિયા ચેનલ સાથે વાત કરતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકારે અમને દેશભક્તિ શું છે તે શીખવવું જોઈએ નહીં, અમારા પરિવારના લોકો શહીદ થયા છે અને તેઓ સારી રીતે જાણે છે કે વાસ્તવિક ધર્મ શું છે.

કેન્દ્ર સરકારને શક્તિની ઉપાસક ગણાવતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'અમે સત્તાની પૂજા નથી કરતા, પરંતુ શક્તિ અને સત્યની પૂજા કરીએ છીએ. આજે જેઓ સત્તા પર છે તેઓ શક્તિના નહિ પરંતુ સત્તાના ઉપાસક છે. સાચો રામ ભક્ત તે છે જે સત્યના માર્ગ પર ચાલે છે, પછી ભલે તે કોઈપણ ધર્મ કે સંપ્રદાયનો હોય.

સોનિયા ગાંધી પર કંગના રનૌતના નિવેદન પર પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'અમે ખૂબ આભારી છીએ કે તે અમારા વિશે બોલી રહી છે, પરંતુ શું તમે ઇચ્છો છો કે, હું કંગના રનૌતની બકવાસનો જવાબ આપું?... મારા પિતાજી જીવિત હતા તે સમયથી સોનિયાજી સાથે દુર્વ્યવહાર ચાલી રહ્યો છે. PM મોદીની ગેરંટી પર પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'PM મોદીજીએ ખાતરી આપી હતી કે, દરેક ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. શું આવ્યા? PM મોદીએ કહ્યું હતું કે, 2 કરોડ નોકરીઓ અપાશે, શું મળી?'

રોજગાર અને મોંઘવારી મુદ્દે સરકાર પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'PM મોદીજી એ જોઈ શકતા નથી કે દેશના ગરીબ, સામાન્ય માણસ, ખેડૂતો અને યુવાનો દેખાતા નથી જેઓ મોંઘવારી તેની ચરમ સીમાએ છે, તેના કારણે તેઓ પીડાઈ રહ્યા છે. તેઓ ખુદ કહે છે કે, મોદીજી આખી દુનિયાના સૌથી મોટા નેતા છે, તેમની પાસે અપાર શક્તિ છે, જો તેમની પાસે એટલી શક્તિ છે તો તેમણે 10 વર્ષમાં રોજગાર કેમ ન વધાર્યો, મોંઘવારી કેમ ઓછી ન કરી. તમે લોકોના કલ્યાણ માટે કેમ કામ ન કર્યું?'

PM મોદી દ્વારા કોંગ્રેસને સનાતન વિરોધી ગણાવવાના પ્રશ્ન પર પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'હું PM મોદીજીને પૂછવા માંગુ છું કે કોંગ્રેસમાં સનાતનને કોણે ગાળો આપી? અમારા પરિવારની વાત હોય કે પાર્ટીની, તેમના હુમલા હંમેશા એકસરખા જ હોય છે અને તે ખોટા હોય છે. અમારી દેશભક્તિ પર હુમલો થયો છે, અમારા પરિવારના લોકો શહીદ થયા છે, જ્યારે તમે શહીદ થયેલા તમારા પોતાના સ્વજનના મૃતદેહને ઘરે લાવો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે દેશભક્તિ શું છે, તમે તે દેશભક્તિ પર સવાલ કરો છો. અમને કહેવામાં આવે છે કે, અમે ભ્રષ્ટ છીએ, અમે ધાર્મિક નથી. હું કહેવા માંગુ છું કે, અમારા વિશે ભલે ગમે તેટલું કહેવામાં આવે, અમે સેવા ચાલુ રાખીશું, ભલે તેઓ અમને સંસદમાંથી હાંકી કાઢે, અમારા ગૃહો છીનવી લે, અમારા પર આરોપ મૂકે, અમારી સામે કેસ કરે, અમને ભ્રષ્ટ કહે પરંતુ અમે સેવા ચાલુ રાખીશું.'

ઈન્દિરા ગાંધી પર PM મોદીના નિવેદન પર પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'PM મોદીજીએ ઈન્દિરાજી વિશે બોલવું જોઈએ નહીં, અમે જાણીએ છીએ કે, તેમનો ધર્મ શું હતો, આ દેશનો ધર્મ દેશભક્તિનો ધર્મ છે. દેશ માટે શહીદ થવું એ તેમનો ધર્મ હતો. તેમના પર પ્રશ્ન કરવાનો કોઈને અધિકાર નથી, તેમણે રૂદ્રાક્ષ પહેર્યો હતો કે નહીં તે કહેવાનો કોઈને અધિકાર નથી. તે હિંદુ ધર્મમાં માનતી હતી, અમે તેમાં માનીએ છીએ, કોંગ્રેસ પાર્ટી તેમાં માને છે અને મહાત્મા ગાંધી તેમાં માનતા હતા અને તે ધર્મના આધારે અમારું આંદોલન ચાલ્યું હતું. એ સત્યનો ધર્મ હતો.'

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.