વરૂણની ટિકિટ ભાજપે હજુ નક્કી ન કરતા કોંગ્રેસની લાળ ટપકી...

ભારતીય જનતા પાર્ટી (BJP)ની પાંચમી લિસ્ટમાં પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી દેવામાં આવી છે. પાર્ટીએ તેમની જગ્યાએ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. તેના પર હવે પશ્ચિમ બંગાળના બેહરામપુર સીટથી કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહાર કર્યો છે. વરુણ ગાંધીને કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર આપી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, વરુણ ગાંધીએ કોંગ્રેસમાં સામેલ થવું જોઈએ. જો તેઓ કોંગ્રેસમાં આવશે, તો અમને ખુશી થશે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, વરુણ ગાંધી એક કદાવર અને ખૂબ કુશળ નેતા છે. તેમનો ગાંધી પરિવાર સાથે સંબંધ છે એટલે ભાજપે તેમને ટિકિટ ન આપી. અમે ઈચ્છીએ છીએ કે વરુણ ગાંધી કોંગ્રેસમાં સામેલ થઈ જાય.

શું હશે વરુણનું આગામી પગલું?

પીલીભીતથી ટિકિટ કપાયા બાદ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વરુણ ગાંધીનું આગામી પગલું શું હશે? શું તેઓ કોંગ્રેસ કે કોઈ અન્ય પાર્ટીમાં સામેલ થશે કે અપક્ષ ચૂંટણી લડશે? જાણકારો મુજબ, વરુણ ગાંધી હવે પીલીભીતથી ચૂંટણી નહીં લડે. તેમણે પોતાના નજીકનાઓને કહ્યું કે, તેમની સાથે છળ થયું છે અને હવે તેઓ ચૂંટણી નહીં લડે. જો કે, ભાજપની લિસ્ટમાં વરુણ ગાંધીના માતા મેનકા ગાંધીને સુલ્તાનપુર સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કયા છળનો ઈશારો કરી રહ્યા છે વરુણ?

વરુણ ગાંધી પોતાના નજીકનાઓને કહી રહ્યા છે કે તેમની સાથે છળ થયું છે. તો અંતે કયું છળ? રાજનીતિક ગલિયારામાં ચર્ચા છે કે પાંચમી લિસ્ટમાં વરુણ ગાંધીની ટિકિટ કાપી દેવામાં આવી તો તેમના માતા મેનકા ગાંધીને સુલ્તાનપુરથી ટિકિટ આપવામાં આવી છે. પીલીભીતમાં ચૂંટણી પહેલા ચરણમાં તો સુલ્તાનપુરમાં અંતિમ એટલે કે સાતમા ચરણમાં છે. જો વરુણ બળવાખોર બને છે તો તેમના માતાની ચૂંટણી પર નકારાત્મક અસર પડશે.

અધીર રંજન ચૌધરીએ આપી ઓફર:

વરુણ ગાંધીનો આગામી માર્ગ શું હશે? તેને લઈને ઘણા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. કોઈ તેઓ અપક્ષ લડવાની સાંભવના વ્યક્ત કરી રહ્યું છે, તો કોઈ કોંગ્રેસથી લડવાની સલાહ આપી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ તેને લઈને ડિબેટ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર તો લોકો વરુણને એ સલાહ પણ આપવા લાગ્યા કે તેઓ હવે ગાંધી પરિવાર એટલે કે કોંગ્રેસ તરફ આવતા રહે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ તેમણે પાર્ટીમાં સામેલ થવાની ખુલ્લી ઓફર આપી દીધી છે.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.