એક જ શાળામાં 5 સંગીત શિક્ષકની ભરતી કરી દેવાઈ, હવે વિભાગે આ પગલું ભર્યું

બિહારમાં આવેલા સારણ જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષકોની પોસ્ટિંગમાં થતી ગેરરીતિઓને લઈને શિક્ષણ વિભાગના મુખ્ય સચિવે છાપરાના DEO કૌશલ કિશોર અને DPO એસ્ટાબ્લિશમેન્ટ ધનંજય પાસવાન પાસેથી જવાબો મંગાવ્યા છે. તેમને પૂછવામાં આવ્યું છે કે, આટલી મોટી ગેરરીતિ કયા સંજોગોમાં થઈ છે. જાહેર કરાયેલી યાદીમાં જિલ્લાની રામપુર કલાની હાયર સેકન્ડરી સ્કૂલમાં સંગીત વિષયમાં એકસાથે પાંચ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે, ગરખા સ્થિત સૈદ સરાયની ઉચ્ચતર માધ્યમિક શાળામાં, બિઝનેસ વિષયના અભ્યાસ માટે શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ત્યાં વાણિજ્ય વિષય ભણાવવામાં જ નથી આવતો.

જિલ્લાના સદર બ્લોકમાં આવેલી બે અપગ્રેડ મિડલ સ્કૂલોમાં લઘુમતી સમુદાયનો એક પણ વિદ્યાર્થી નથી. આ બે શાળાઓની 3 કિલોમીટરની ત્રિજ્યામાં આ સમુદાયની કોઈ વસ્તી નથી. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ ઉર્દૂ ભણનારા વિદ્યાર્થીઓ નથી. પરંતુ તેમ છતાં, આ બંને શાળાઓમાં ધોરણ 1 થી 5 ના બાળકોને ભણાવવા માટે બે-બે ઉર્દૂ શિક્ષકો મુકવામાં આવ્યા છે.

ઘણી શાળાઓમાં જે વિષયોમાં અગાઉ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી, તે જ વિષયોમાં ફરીથી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે જે વિષયમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા છે અને લાંબા સમયથી સંબંધિત વિષયના શિક્ષક નથી. તે સંબંધિત વિષયોમાં શિક્ષકોની પોસ્ટ કરવામાં આવી ન હતી. એટલું જ નહીં, ઘણી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પ્લસ ટુમાં એક પણ શિક્ષકની નિમણૂક કરવામાં આવી નથી. જ્યારે ઘણી શાળાઓમાં ચારથી પાંચ શિક્ષકો મુકાયા છે, જે ચોક્કસપણે મહેકમ કચેરીની ગેરરીતિ દર્શાવે છે.

હકીકતમાં, શિક્ષણ વિભાગ દ્વારા રેન્ડમાઇઝેશન કરીને સંપૂર્ણ પારદર્શક રીતે વિદ્યાર્થીઓના પ્રમાણમાં શિક્ષકોની પોસ્ટિંગનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાએ DM અમન સમીરે DEO અને તેમની ટીમને રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા વધુ સારી રીતે કરવા સૂચના આપી હતી. પરંતુ પોસ્ટીંગને લગતી ઓનલાઈન યાદી જાહેર થયા પછી જે ગેરરીતિઓ થઈ છે તેમાં તેના ધોરણોની અવગણનાનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના જણાવ્યા મુજબ, પોસ્ટિંગ માટેની ખાલી જગ્યાઓનું રોસ્ટર જિલ્લા મુખ્યાલયથી મોકલવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટિંગ રાજ્યના મુખ્યાલયમાંથી થઈ હતી. આવી સ્થિતિમાં સમગ્ર મામલામાં ક્યાં ભૂલ થઈ છે તેની તપાસ કર્યા પછી જ સાચી સ્થિતિ જાણી શકાશે.

About The Author

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.