એક જ શાળામાં 5 સંગીત શિક્ષકની ભરતી કરી દેવાઈ, હવે વિભાગે આ પગલું ભર્યું

બિહારમાં આવેલા સારણ જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષકોની પોસ્ટિંગમાં થતી ગેરરીતિઓને લઈને શિક્ષણ વિભાગના મુખ્ય સચિવે છાપરાના DEO કૌશલ કિશોર અને DPO એસ્ટાબ્લિશમેન્ટ ધનંજય પાસવાન પાસેથી જવાબો મંગાવ્યા છે. તેમને પૂછવામાં આવ્યું છે કે, આટલી મોટી ગેરરીતિ કયા સંજોગોમાં થઈ છે. જાહેર કરાયેલી યાદીમાં જિલ્લાની રામપુર કલાની હાયર સેકન્ડરી સ્કૂલમાં સંગીત વિષયમાં એકસાથે પાંચ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે, ગરખા સ્થિત સૈદ સરાયની ઉચ્ચતર માધ્યમિક શાળામાં, બિઝનેસ વિષયના અભ્યાસ માટે શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ત્યાં વાણિજ્ય વિષય ભણાવવામાં જ નથી આવતો.

જિલ્લાના સદર બ્લોકમાં આવેલી બે અપગ્રેડ મિડલ સ્કૂલોમાં લઘુમતી સમુદાયનો એક પણ વિદ્યાર્થી નથી. આ બે શાળાઓની 3 કિલોમીટરની ત્રિજ્યામાં આ સમુદાયની કોઈ વસ્તી નથી. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ ઉર્દૂ ભણનારા વિદ્યાર્થીઓ નથી. પરંતુ તેમ છતાં, આ બંને શાળાઓમાં ધોરણ 1 થી 5 ના બાળકોને ભણાવવા માટે બે-બે ઉર્દૂ શિક્ષકો મુકવામાં આવ્યા છે.

ઘણી શાળાઓમાં જે વિષયોમાં અગાઉ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી, તે જ વિષયોમાં ફરીથી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે જે વિષયમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા છે અને લાંબા સમયથી સંબંધિત વિષયના શિક્ષક નથી. તે સંબંધિત વિષયોમાં શિક્ષકોની પોસ્ટ કરવામાં આવી ન હતી. એટલું જ નહીં, ઘણી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પ્લસ ટુમાં એક પણ શિક્ષકની નિમણૂક કરવામાં આવી નથી. જ્યારે ઘણી શાળાઓમાં ચારથી પાંચ શિક્ષકો મુકાયા છે, જે ચોક્કસપણે મહેકમ કચેરીની ગેરરીતિ દર્શાવે છે.

હકીકતમાં, શિક્ષણ વિભાગ દ્વારા રેન્ડમાઇઝેશન કરીને સંપૂર્ણ પારદર્શક રીતે વિદ્યાર્થીઓના પ્રમાણમાં શિક્ષકોની પોસ્ટિંગનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાએ DM અમન સમીરે DEO અને તેમની ટીમને રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા વધુ સારી રીતે કરવા સૂચના આપી હતી. પરંતુ પોસ્ટીંગને લગતી ઓનલાઈન યાદી જાહેર થયા પછી જે ગેરરીતિઓ થઈ છે તેમાં તેના ધોરણોની અવગણનાનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના જણાવ્યા મુજબ, પોસ્ટિંગ માટેની ખાલી જગ્યાઓનું રોસ્ટર જિલ્લા મુખ્યાલયથી મોકલવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટિંગ રાજ્યના મુખ્યાલયમાંથી થઈ હતી. આવી સ્થિતિમાં સમગ્ર મામલામાં ક્યાં ભૂલ થઈ છે તેની તપાસ કર્યા પછી જ સાચી સ્થિતિ જાણી શકાશે.

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.