ઉભેલા વાહનને ટક્કર મારવાના કિસ્સા 22 ટકા વધ્યા, આ રાજ્યમાં સૌથી વધારે અકસ્માત

માર્ગ અને પરિવહન મંત્રાલયે ભારતમાં થતા અકસમાતો-2022 પર વાર્ષિક રિપોર્ટ રજૂ કરી છે. આ રિપોર્ટ અનુસાર, 2022માં કુલ 4,61,312 રોડ અકસ્માત થયા હતા. જેમાં 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે 4,43,366 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ પ્રમાણે, દર એક કલાકે 53 રોડ અકસ્માત થયા અને દર એક કલાકમાં 19 લોકોના મોત થયા. જેમાં સીટ બેલ્ટ અને હેલમેટનો ઉપયોગ ન કરનારાઓની સંખ્યા સૌથી વધારે રહી.

ઊભા રહેલા વાહનને ટક્કરના મામલાઓમાં સૌથી વધારે 22 ટકા વૃદ્ધિ જોવા મળી. તો સામસામી ટક્કરના મામલામાં ભલે વૃદ્ધિ 2.1 ટકા જોવા મળી, પણ આ અકસ્માતનો બીજો સૌથી મોટો પ્રકાર છે.

સતત વધી રહી છે સંખ્યા

રોડ અકસ્માતની ગંભીરતા, પ્રતિ 100 દુર્ઘટનાઓમાં મરનારા લોકોની સંખ્યાથી માપવામાં આવે છે. પાછલા એક દશકામાં આમાં વધારો થયો છે. 2012માં આની સંખ્યા 28.2 ટકા હતી, જે 2022માં વધીને 36.5 ટકા થઇ છે. જેમાં દર વર્ષે સતત વૃદ્ધિ થઇ રહી છે.

સરકારી આંકડા અનુસાર, એક્સપ્રેસવે સહિત દેશના રોડ નેટવર્કનો વિસ્તાર થયો છે અને ગાડીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને લીધે રોડ અકસ્માતને લીધે મૃત્યુ દરમાં પણ વધારો જોવા મળ્યો છે. આંકડા અનુસાર, કારમાં બેઠેલા એ 16715 લોકોના મોત થયા છે, જેમણે સીટ બેલ્ટ નહોતા પહેર્યા. જેમાં 8300 લોકો ડ્રાઈવ કરી રહ્યા હતા, જ્યારે 8331 લોકો કારમાં સવાર હતા.

આ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ગયા વર્ષે દર કલાકે લગભગ 53 અકસ્માત થયા અને 19 લોકોના મોત થયા. દેશભરમાં કુલ 461312 રોડ અકસ્માત થયા. જેમાં 168491 લોકોએ જીવ ગુમાવ્યો. 2022માં રોડ અકસ્માતોની સંખ્યામાં 11.9 ટકાની વૃદ્ધિ થઇ અને મોતોમાં 9.4 ટકાની વૃદ્ધિ થઇ.

જીવલેણ હાઈવે

દેશનો રોડ નેટવર્ક 2019માં 58.98 લાખ કિમીનો હતો. જે 2022માં વધીને 6332 લાખ કિમી થયો. નેશનલ અને સ્ટેટ હાઈવેની હિસ્સેદારી કુલ રોડ નેટવર્કમાં માત્ર 4.9 ટકા છે. રોડ અકસ્માતોના કારણોમાં હાઈસ્પીડથી 72.3 ટકા અકસ્માતો થયા અને 71.2 ટકા મોતો નોંધાઈ.

આ રાજ્યમાં સૌથી વધુ અકસ્માતો

દેશમાં સૌથી વધારે અકસ્માતો તમિલનાડુમાં થયા હતા. 2022માં 64,105 રોડ અકસ્માત થયા. જે કુલ અકસ્માતના 13.9 ટકા છે. તમિલનાડુ બાદ સૌથી વધારે અકસ્માતો મધ્ય પ્રદેશમાં 54,432, ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં 22,595 થયા. આ રિપોર્ટથી એ પણ સામે આવ્યું કે મરનારાઓમાં મોટાભાગના 18-45 વર્ષના હતા. 2022માં રોડ અકસ્માતને કારણે 9528 બાળકોના પણ મોત થયા. એટલે કે વર્ષ દરમિયાન રોજ લગભગ 26 બાળકોના મોત થયા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.