આંગણામાં પડ્યું 40 વર્ષ જૂનું ઝાડ, 85 વર્ષીય વૃદ્ધનું ખૂલી ગયું નસીબ

સામાન્ય રીતે, વરસાદની ઋતુમાં ઝાડ પડવાના સમાચાર નુકસાનના હોય છે, પરંતુ બેંગલુરુના 85 વર્ષીય એન.જી. કેસરી માટે, એક પડી ગયેલું ઝાડ તેમના જીવનના શ્રેષ્ઠ સમાચાર બની ગયું. ભારે વરસાદ અને તોફાન દરમિયાન લગભગ 40 વર્ષથી તેમના આંગણામાં ઉભું ચંદનનું ઝાડ પડી ગયું, પરંતુ આ ઝાડે તેમને આશરે 28 લાખના માલિક બનાવી દીધા. આટલું જ નહીં, સરકારે તેમને ધીરજ અને વૃક્ષને સાચવવાના પ્રયાસોને માન્યતા આપવા માટે સેન્ડલવૂડ શિરોમણી' એવોર્ડથી સન્માનિત કર્યા.

લગભગ ચાર દાયકા અગાઉ, તેમના આંગણામાં એક ચંદનનું છોડ સ્વયંભૂ ઉગી નીકળ્યું હતું. કેસરીએ તેનું પાલન-પોષણ કર્યું, અને સમય જતાં, તે સમય સાથે એક વિશાળ વૃક્ષ બની ગયું. તેની સુગંધ દૂર દૂર સુધી ફેલાવા લાગી, પરંતુ આનાથી લાકડા ચોરોનું ધ્યાન પણ તેના પર પડી. વૃક્ષને બચાવવા માટે, તેમણે તેની આસપાસ એક મજબૂત લોખંડનું પાંજરું લગાવ્યું હતું.

2

આ વર્ષે જૂનમાં થયેલા ભારે વરસાદ અને વાવાઝોડા દરમિયાન, નજીકમાં એક મોટું ઝાડ ચંદનના ઝાડ પર પડ્યું, જેના કારણે તે પણ ઘરાશાયી થઇ ગયું. નુકસાનને બદલે કેસરીએ નિયમોનું પાલન કર્યું અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી. વિભાગની પરવાનગીથી, ઝાડને મૈસુરના સરકારી ચંદન ડેપોમાં મોકલવામાં આવ્યું, જ્યાં તપાસમાં જાણવા મળ્યું કે તેનું વજન લગભગ એક ટન હતું.

 ત્યારબાદ, કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડે ચંદનનું લાકડું ખરીદ્યું, જેનાથી કેસરીને આશરે ₹28 લાખનો ચોખ્ખો નફો થયો. રાજ્ય સરકારે ચંદનના ઝાડના રક્ષણ અને જાળવણી માટેના તેમના વર્ષોના સમર્પણ માટે તેમને ‘સેન્ડલવૂડ શિરોમણી’ પુરસ્કારથી પણ સન્માનિત કર્યા.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.