સિનિયોરિટીના નિયમ પર સુનાવણી દરમિયાન હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ઘર્ષણ ઉભું થયું! એકબીજાની વિરુદ્ધ થયા

'સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના મામલાઓથી પોતાના હાથને દૂર રાખવા જોઈએ!' આ અમે નથી કહી રહ્યા પરંતુ, પાંચ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ અલ્હાબાદ હાઈકોર્ટનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ આવું કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટ અને અલ્હાબાદ હાઈકોર્ટ વચ્ચે તાજેતરમાં તણાવ વધીને સપાટી પર આવી રહ્યો છે. તમને યાદ હશે કે, ઓગસ્ટ 2025માં, અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ પ્રશાંત કુમારને સુપ્રીમ કોર્ટે અયોગ્ય રીતે સુનાવણી કરવા બદલ ઠપકો આપ્યો હતો. અને તેમને તમામ ફોજદારી કેસમાંથી પણ દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાર પછી, રોસ્ટરમાંથી તેમનું નામ દૂર થતાંની સાથે જ, મુખ્ય ન્યાયાધીશ અરુણ ભણસાલી સહિત 13 હાઈકોર્ટના ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટને એક પત્ર મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટ આ રીતે હાઈકોર્ટના ન્યાયાધીશનું અપમાન કરી શકે નહીં.' ત્યારપછી, સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ પ્રશાંત કુમારના રોસ્ટરને ફક્ત પુનઃસ્થાપિત જ ન કર્યો, પરંતુ તેમની વિરુદ્ધની ટિપ્પણીઓ પણ પાછી ખેંચી લીધી હતી.

Allahabad-High-Court

હવે, એક નવા કેસમાં એવું બન્યું કે, 29 ઓક્ટોબર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી. મુખ્ય ન્યાયાધીશ B.R. ગવઈની આગેવાની હેઠળ પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ આ કેસ માટેની સુનાવણી કરી રહી હતી. ચાલો આપણે પહેલા આ મામલો શું હતો તેને સમજી લઇએ.

તો એમાં એવું છે કે, વર્ષોથી, જિલ્લા અને સત્ર અદાલતોમાં ન્યાયાધીશોની વરિષ્ઠતા કેવી રીતે નક્કી કરવામાં આવશે તે અંગે વિવાદ ચાલી રહ્યો છે. બંધારણના કેટલાક અનુચ્છેદોને વાંચીએ તો, તમામ ઉચ્ચ અદાલતોને રાજ્યની જિલ્લા અને સત્ર અદાલતોમાં કોની અને કેવી રીતે વરિષ્ઠતા હશે તે નક્કી કરવાનો અધિકાર છે. કાં તો ઉંમરમાં વરિષ્ઠ ન્યાયાધીશ હશે તેને વરિષ્ઠનો દરજ્જો આપવામાં આવશે, અથવા જેમના નામ મેરિટ લિસ્ટમાં આગળ આવશે તેમને વરિષ્ઠ ગણવામાં આવશે. પરંતુ તે એટલું પણ સરળ નથી. આ મુદ્દો જટિલ બની જાય છે, કારણ કે દરેક રાજ્યમાં ન્યાયાધીશો માટે તાલીમનો સમયગાળો અલગ અલગ હોય છે.

Supreme-Court.jpg-2

હવે, આને કારણે, ઘણી વખત મેરિટ લિસ્ટમાં આગળ ઉપર આવનારાઓ તેમના પ્રમાણમાં લાંબા તાલીમ સમયગાળાને કારણે વરિષ્ઠતામાં પાછળ રહી જાય છે, અને અહીંથી જ આખો મામલો જટિલ બની જાય છે. આ સુનાવણી એટલા માટે હાથ ધરવામાં આવી રહી હતી કે, સુપ્રીમ કોર્ટ એક નિયમ, એક માર્ગદર્શિકા ઘડી શકે, જેના હેઠળ ઉચ્ચ ન્યાયતંત્ર, એટલે કે, જિલ્લા અને સત્ર અદાલતોમાં વરિષ્ઠતા એકસરખી રીતે નક્કી કરવામાં આવે.

પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટે આ સમગ્ર સુનાવણી સામે વાંધો ઉઠાવ્યો. હાઈકોર્ટના મતે, આ આખું કામ તેના કામ અને સત્તામાં સંપૂર્ણ દખલગીરી કરવા જેવું છે. તે ન્યાયાધીશોની ભલામણ કરવાના તેના અધિકારનું ઉલ્લંઘન કરે છે. અલ્હાબાદ હાઈકોર્ટનું પ્રતિનિધિત્વ કરતા, વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું, 'સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના કામમાં દખલ ન કરવી જોઈએ. તેણે ભરતી, બઢતી અથવા જિલ્લા ન્યાયાધીશો માટેના ક્વોટા સંબંધિત બાબતોમાં દખલ ન કરવી જોઈએ. જો તેને કંઈ કહેવું હોય, તો તેણે ફક્ત સામાન્ય માર્ગદર્શિકા પ્રદાન કરવી જોઈએ. હાઈકોર્ટો તેમના પોતાના સંજોગોને શ્રેષ્ઠ રીતે સમજે છે, તેથી તેમણે આ બાબતોને સંભાળવી જોઈએ. જો તેમના પ્રયાસો દરમિયાન કોઈ ભૂલ થાય તો પણ હાઈકોર્ટને જ તેને સુધારવાની તક આપવી જોઈએ. હાઈકોર્ટને અવગણવી અથવા તેની જવાબદારીઓ છીનવી લેવી યોગ્ય નથી. હવે જરૂર છે હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોને મજબૂત બનાવવાની, નહીં કે તેમને કમજોર કરવાની.'

Supreme-Court-2

તેમણે બંધારણના ભાગ 6નો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, બંધારણ હાઈકોર્ટને ચોક્કસ નિર્ણય લેવાની સત્તાઓ પણ આપે છે, જેમાં સુપ્રીમ કોર્ટ દખલ કરી શકતી નથી.

સિનિયર એડવોકેટ રાકેશ દ્વિવેદીની વાત સાંભળ્યા પછી, મુખ્ય ન્યાયાધીશ B.R. ગવઈએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ કોઈપણ રીતે હાઈકોર્ટની સત્તાને ઓછી કરવા માંગતી નથી. તેઓ ફક્ત એટલું જ ઇચ્છે છે કે, મૂંઝવણ દૂર કરવા માટે રાજ્યોમાં અસ્તિત્વમાં રહેલા અલગ અલગ નિયમોમાં એકરૂપતા આવે. તેમણે કહ્યું, 'અમે હાઈકોર્ટનું નામ સૂચવવાનો અધિકાર છીનવી રહ્યા નથી, પરંતુ દરેક હાઈકોર્ટ માટે અલગ અલગ નિયમો કેમ હોવા જોઈએ? અમારો એવો કોઈ ઈરાદો નથી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, કે તમારી શક્તિ ઓછી થઇ જાય.'

અલહાબાદ હાઈકોર્ટે આ અગાઉ પણ સુપ્રીમ કોર્ટની કેટલીક માર્ગદર્શિકાઓ સામે ખુલ્લેઆમ વાંધો વ્યક્ત કર્યો છે. અમે શરૂઆતમાં જ એક ઘટના શેર કરી હતી. પરંતુ આને ન્યાયતંત્ર વચ્ચે સ્વસ્થ ચર્ચા તરીકે જોઈ શકાય છે, ન કે ટકરાવાની સ્થિતિ જેવું, જ્યાં બંને ન્યાયતંત્ર તેમના મતભેદોને છુપાવવાને બદલે ખુલ્લેઆમ આમને સામને વ્યક્ત કરવાનું પસંદ કરે છે.

About The Author

Related Posts

Top News

અમે બંગાળ સરકાર પર બોલીશું, પણ દીદીનું નામ નહીં લઈએ! BJPની નવી રણનીતિથી TMC ટેન્શનમાં

પશ્ચિમ બંગાળનું રાજકારણ ફરી એકવાર ગરમાઈ રહ્યું છે. ચૂંટણી પંચ આજે સાંજે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને ચૂંટણીની...
National 
અમે બંગાળ સરકાર પર બોલીશું, પણ દીદીનું નામ નહીં લઈએ! BJPની નવી રણનીતિથી TMC ટેન્શનમાં

પરિવારને ખુશ કરવા માટે પહેરી વર્દી, નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ

પ્રયાગરાજમાં એક નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ GRP પોલીસ સ્ટેશનની પોલીસે કરી છે. આરોપી ઘણા દિવસોથી...
National 
પરિવારને ખુશ કરવા માટે પહેરી વર્દી, નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ

LPG ગેસની અછત? શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવી પાણીપુરી; વીડિયો વાયરલ

ભારતભરના શહેરોમાં હાલમાં LPG સપ્લાયની તંગીને કારણે ગભરાટનો માહોલ છે, ત્યારે પશ્ચિમ બંગાળની એક સરકારી શાળાએ આ સમસ્યાનો એક...
National 
LPG ગેસની અછત? શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવી પાણીપુરી; વીડિયો વાયરલ

ઓપિનિયન પોલને કારણે BJPનું ટેન્શન વધી ગયું; CM મમતા બેનર્જીને ચૂંટણી જીતવામાં આ 'કેપ્સ્યુલ 7' મદદ કરશે!

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો બ્યુગલ વાગી ચૂક્યો છે. 24 કલાકની અંદર, CM મમતા બેનર્જીના નજીકના ગણાતા ઘણા અધિકારીઓની બદલીઓ શરૂ...
National 
ઓપિનિયન પોલને કારણે BJPનું ટેન્શન વધી ગયું; CM મમતા બેનર્જીને ચૂંટણી જીતવામાં આ 'કેપ્સ્યુલ 7' મદદ કરશે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.