કપડાંની દુકાને શેઠની જેમ ગાય બેસે છે; વર્ષોનો આ નિયમ હજુ તૂટ્યો નથી

એમ તો તમે દરેક ગાયને મુક્તપણે ફરતી, ગૌશાળામાં અથવા ખેડૂતો દ્વારા ગાયની સંભાળ લેતા જોયું જ હશે. પણ એક શેઠજીના રૂપમાં ક્યાંક ગાય આવીને દુકાન પર બેસી જાય તો તમે શું કહેશો. તે અદ્ભુત નથી? આવી જ એક ઘટના શનિવારે મંદસૌરમાં બની હતી. શહેરના ભીડવાળા વિસ્તાર સદર બજારમાં નાનાલાલ માંગીલાલ પોરવાલની કપડાની દુકાન આવેલી છે. જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી આ દુકાનમાં એક ગાય આવે છે અને શેઠની જગ્યાએ બેસી જાય છે. દોઢથી બે કલાક સુધી બેસી રહ્યા પછી તે પોતે જ પોતાની મેળે ઉભી થઈને નીકળી જાય છે. નવાઈની વાત એ છે કે, આ ગાય તેની નિર્ધારિત જગ્યાએ જ બેસે છે. ત્યાં તે ન તો કોઈને ખલેલ પહોંચાડે છે કે ન તો કોઈ પ્રકારની ગંદકી કરે છે. જે લોકો માટે કુતૂહલનો વિષય બની રહ્યો છે.

ગાયની દુકાને આવવાનો સમય નક્કી જ હોય છે. તે દરરોજ બપોરે 12 વાગ્યે અહીં આવે છે અને આવીને ચારો ખાય છે. ચારો ખાધા પછી તે શેઠજી પાસે ગાદલા પર બેસે છે. ક્યારેક ગાયની સાથે તેનું વાછરડું પણ આવે છે અને વાછરડું પણ ગાય સાથે ગાદલા પર બેસે છે.

દુકાન સંચાલક કુશલચંદ્ર સેહરાવત કહે છે કે, આ ગાય પાંચ-છ મહિનાની હતી ત્યારથી દુકાને આવીને બેસે છે. આજે જ્યારે તે વાછરડાની માતા બની ગઈ છે, ત્યારે પણ આ ગાય રોજ આવીને દુકાનની સીટ પર બેસે છે. તેમણે કહ્યું કે આ ગાય માતાએ ક્યારેય કોઈને પરેશાન કર્યા નથી અને ક્યારેય અહીં ગંદકી કરી નથી. તે પોતાની મરજીથી આવે છે અને એક-બે કલાક બેસીને જતી રહે છે. આ સમય દરમિયાન દુકાનમાં ગ્રાહકોનું આવન જાવન સતત ચાલુ રહે છે. પરંતુ કોઈને કોઈ સમસ્યા નથી થતી.

દુકાન સંચાલકનું કહેવું છે કે, આ કોઈ ચમત્કારથી ઓછું નથી. અમે પણ આ ગાયને લક્ષ્મીજીનો ચમત્કાર માનીએ છીએ. તેથી જ આ ગાય માતા રોજ કોઈને નુકસાન પહોંચાડ્યા વિના અમારી દુકાનમાં આવીને બેસે છે અને જતી રહે છે. જ્યારથી આ માતા ગાય અમારી દુકાનમાં આવીને બેઠી છે ત્યારથી અમે તેને ક્યારેય ભગાડવાનો પ્રયાસ કર્યો નથી.

અહીં આવતા ગ્રાહકોને પણ અગવડતા નથી લાગતી. તેઓને અહીં આ ગાય જોવાની આદત પડી ગઈ છે. ઘણીવાર અહીં આવતા દુકાનદારો જેમાં મહિલાઓ પણ સામેલ હોય છે. નિર્ભયતાથી દુકાનની અંદર આવે છે અને ખરીદી કરીને પાછી નીકળી જાય છે. ગાય ન તો તેમને મારે છે અને ન તો કોઈ ગ્રાહકને અંદર આવતા અટકાવે છે. અહીં આવતા નિયમિત ગ્રાહકો અને આસપાસના લોકોને દુકાનની અંદર બેઠેલી ગાય જોવાની આદત પડી ગઈ છે.

જ્યારે સનાતન ધર્મ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ અહીં આવીને દુકાનની અંદર એક ગાયને ચારો ખાતી જોઈ તો કહ્યું, ગાયની સેવા કરવી એ સારી વાત છે. આ દુકાનમાં ગાયના પગ પડે છે અને તેમને ગાયની સેવા કરવાનો મોકો મળી રહ્યો છે તે પણ સારી વાત છે. ગાય લક્ષ્મીનું સ્વરૂપ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.