ફરવા ગયેલા અધિકારીનો મોબાઈલ ડેમમાં પડ્યો, લાખો લીટર પાણી બહાર કાઢી બગાડ્યું

લાખ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન શોધવા માટે ફૂડ ઈન્સપેક્ટરે લાખો લીટર ડેમનું પાણી પમ્પથી બહાર કાઢીને વહેવડાવી દીધું આ પાણીના જથ્થાથી દોઢ હજાર એકર ખેતરોમાં સિંચાઈ થઈ શકી હોત. આવી કાળઝાળ ગરમીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે ભારે હાલાકી વેઠવી પડતી હોય છે, ત્યારે આ રીતે પાણી વહેવડાવવું ભારે બેદરકારી છે.

પંખાજૂરમાં, એક ખાદ્ય નિરીક્ષકે પાણીમાં પડી ગયેલો પોતાનો મોંઘો મોબાઈલ ફોન પાછો મેળવવા માટે લાખો લિટર ડેમનું પાણી બહાર કઢાવી નાખ્યું. એક ફોનને માટે વહેવડાવી દીધેલા પાણીથી દોઢ હજાર એકર ખેતરમાં સિંચાઈ થઈ શકી હોત. જો કે, અધિકારીનો કિંમતી મોબાઈલ ફોન તો મળી આવ્યો હતો પરંતુ હવે તે ખરાબ થઇ ચુક્યો હતો.

વાસ્તવમાં, કોયલીબેડા બ્લોકના એક ખાદ્ય અધિકારી રવિવારે રજા માણવા માટે ખેરકટ્ટા પરલકોટ જળાશય પહોંચ્યા હતા. જ્યાં અધિકારીનો મોંઘો મોબાઈલ ફોન ખેરકટ્ટા પરલકોટ જળાશયના ઓવરબ્રિજ પર 15 ફૂટ સુધી છલોછલ ભરાયેલા પાણીમાં પડ્યો હતો.

અધિકારીએ પહેલા નજીકના ગ્રામજનોને મોબાઈલ શોધવા માટે રોક્યા. સારામાં સારા તરવૈયા ઉતર્યા. પરંતુ ત્યાં માત્ર નિષ્ફળતા જ મળી હતી.

આ પછી ફોનને નીકાળવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારપછી કાયદેસર 30 HPનો પંપ લગાવીને જળાશયનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી પાણી કાઢવા માટે પંપ સતત ચાલુ રહ્યો હતો.

જો કે, જળાશયમાંથી સતત પાણી નીકળવાની વાત ઉપર સુધી પહોંચતા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. આવી ને એમણે પંપને બંધ કરાવી દીધો હતો. ત્યાર બાદ ફરી શોધખોળ કરવા પર મોબાઈલ ફોન તો મળી આવ્યો હતો, પરંતુ તે ખરાબ થઇ ગયો હતો.

અંદાજ મુજબ ગત સોમવારથી ગુરુવાર સુધીમાં સતત 24 કલાક ચાલતા 30 હોર્સ પાવરના બે ડીઝલ પંપ દ્વારા આશરે 21 લાખ લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ પાણીનો જથ્થો દોઢ હજાર એકર જમીનને સિંચાઈ માટે પૂરતો હતો.

હવે સવાલ એ થાય છે કે, આખરે અધિકારીના મોબાઈલમાં એવું તે શું હતું? જેના માટે સિંચાઈ માટે વપરાતું પાણી આટલી હદે વહેવડાવી દેવામાં આવ્યું હતું.

જ્યારે, આ કિસ્સામાં, જળ સંસાધન વિભાગના ઉપ-વિભાગીય અધિકારી, રામ લાલ ધિનવારનું કહેવું છે કે, 5 ફૂટ સુધી પાણી ખાલી કરવાની મંજૂરી મૌખિક રીતે આપવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધીમાં 10 ફૂટથી વધુ પાણી વહેવડાવી દેવામાં આવ્યું છે.

જો કે આટલી કાળઝાળ ઉનાળાની ઋતુમાં પણ સિંચાઈના પાણીનો નકામો બગાડ કરતા, વિસ્તારના સેંકડો ખેડૂતોના જીવનનિર્વાહના સાધન કરતાં અધિકારીના મોંઘા ફોનની કિંમત વધુ હોવાનું જણાય છે.

ભાજપના મહામંત્રી O.P.ચૌધરીએ લાખો લીટર પાણી વેડફી નાંખનાર ફૂડ ઓફિસરને બરતરફ કરવાની માંગ કરી છે. ખાદ્ય અધિકારીએ મોંઘા મોબાઈલ માટે જળાશય ખાલી કરવાનું ખોટું કામ કર્યું છે. તેના પર કુદરતી સંસાધનોનું શોષણ કરવાનો આરોપ છે.

Related Posts

Top News

71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ

92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે...
Business 
71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે;  26,560 કરોડની છે સંપત્તિ

ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ...
National  Politics 
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
Sports 
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
National 
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.