ફરવા ગયેલા અધિકારીનો મોબાઈલ ડેમમાં પડ્યો, લાખો લીટર પાણી બહાર કાઢી બગાડ્યું

લાખ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન શોધવા માટે ફૂડ ઈન્સપેક્ટરે લાખો લીટર ડેમનું પાણી પમ્પથી બહાર કાઢીને વહેવડાવી દીધું આ પાણીના જથ્થાથી દોઢ હજાર એકર ખેતરોમાં સિંચાઈ થઈ શકી હોત. આવી કાળઝાળ ગરમીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે ભારે હાલાકી વેઠવી પડતી હોય છે, ત્યારે આ રીતે પાણી વહેવડાવવું ભારે બેદરકારી છે.

પંખાજૂરમાં, એક ખાદ્ય નિરીક્ષકે પાણીમાં પડી ગયેલો પોતાનો મોંઘો મોબાઈલ ફોન પાછો મેળવવા માટે લાખો લિટર ડેમનું પાણી બહાર કઢાવી નાખ્યું. એક ફોનને માટે વહેવડાવી દીધેલા પાણીથી દોઢ હજાર એકર ખેતરમાં સિંચાઈ થઈ શકી હોત. જો કે, અધિકારીનો કિંમતી મોબાઈલ ફોન તો મળી આવ્યો હતો પરંતુ હવે તે ખરાબ થઇ ચુક્યો હતો.

વાસ્તવમાં, કોયલીબેડા બ્લોકના એક ખાદ્ય અધિકારી રવિવારે રજા માણવા માટે ખેરકટ્ટા પરલકોટ જળાશય પહોંચ્યા હતા. જ્યાં અધિકારીનો મોંઘો મોબાઈલ ફોન ખેરકટ્ટા પરલકોટ જળાશયના ઓવરબ્રિજ પર 15 ફૂટ સુધી છલોછલ ભરાયેલા પાણીમાં પડ્યો હતો.

અધિકારીએ પહેલા નજીકના ગ્રામજનોને મોબાઈલ શોધવા માટે રોક્યા. સારામાં સારા તરવૈયા ઉતર્યા. પરંતુ ત્યાં માત્ર નિષ્ફળતા જ મળી હતી.

આ પછી ફોનને નીકાળવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારપછી કાયદેસર 30 HPનો પંપ લગાવીને જળાશયનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી પાણી કાઢવા માટે પંપ સતત ચાલુ રહ્યો હતો.

જો કે, જળાશયમાંથી સતત પાણી નીકળવાની વાત ઉપર સુધી પહોંચતા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. આવી ને એમણે પંપને બંધ કરાવી દીધો હતો. ત્યાર બાદ ફરી શોધખોળ કરવા પર મોબાઈલ ફોન તો મળી આવ્યો હતો, પરંતુ તે ખરાબ થઇ ગયો હતો.

અંદાજ મુજબ ગત સોમવારથી ગુરુવાર સુધીમાં સતત 24 કલાક ચાલતા 30 હોર્સ પાવરના બે ડીઝલ પંપ દ્વારા આશરે 21 લાખ લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ પાણીનો જથ્થો દોઢ હજાર એકર જમીનને સિંચાઈ માટે પૂરતો હતો.

હવે સવાલ એ થાય છે કે, આખરે અધિકારીના મોબાઈલમાં એવું તે શું હતું? જેના માટે સિંચાઈ માટે વપરાતું પાણી આટલી હદે વહેવડાવી દેવામાં આવ્યું હતું.

જ્યારે, આ કિસ્સામાં, જળ સંસાધન વિભાગના ઉપ-વિભાગીય અધિકારી, રામ લાલ ધિનવારનું કહેવું છે કે, 5 ફૂટ સુધી પાણી ખાલી કરવાની મંજૂરી મૌખિક રીતે આપવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધીમાં 10 ફૂટથી વધુ પાણી વહેવડાવી દેવામાં આવ્યું છે.

જો કે આટલી કાળઝાળ ઉનાળાની ઋતુમાં પણ સિંચાઈના પાણીનો નકામો બગાડ કરતા, વિસ્તારના સેંકડો ખેડૂતોના જીવનનિર્વાહના સાધન કરતાં અધિકારીના મોંઘા ફોનની કિંમત વધુ હોવાનું જણાય છે.

ભાજપના મહામંત્રી O.P.ચૌધરીએ લાખો લીટર પાણી વેડફી નાંખનાર ફૂડ ઓફિસરને બરતરફ કરવાની માંગ કરી છે. ખાદ્ય અધિકારીએ મોંઘા મોબાઈલ માટે જળાશય ખાલી કરવાનું ખોટું કામ કર્યું છે. તેના પર કુદરતી સંસાધનોનું શોષણ કરવાનો આરોપ છે.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.