વગર ટિકિટે વંદે ભારતમાં ઘૂસી ગયો યુવક,ટોઈલેટમાં બેસી રહ્યો;ગેટ તોડીને...

વંદે ભારત એક્સપ્રેસના ટોયલેટમાં એક મુસાફરે પોતાની જાતને બંધ કરી દીધી હતી. શૌચાલયનો દરવાજો તોડીને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. તે કેરળના કાસરગોડથી ટ્રેનમાં ચડ્યો હતો જ્યાંથી ટ્રેન શરૂ થઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર તેની પાસે ટિકિટ નહોતી. ટ્રેનના મુસાફરોએ ઘણી વખત શૌચાલયનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ તેણે ખોલવાની ના પડી હતી, ત્યાર પછી તેમણે RPFને જાણ કરી હતી.

દેશની પ્રખ્યાત ટ્રેન વંદે ભારત ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા એક મુસાફરે પોતાને ટોયલેટમાં બંધ કરી દીધો હતો. ખબર પડતાં જ TTE સહિત અન્ય સિક્યોરિટી સ્ટાફે બહારથી બૂમો પાડીને તેને શૌચાલયમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું, પરંતુ તે માન્યો નહીં. ત્યાર પછી આગલા સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી, પછી શૌચાલયનો દરવાજો તોડી નાખ્યો અને પછી તેને બહાર કાઢ્યો.

આ મામલો કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો છે. ઘટના રવિવારની છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર યુવક કેરળના કાસરગોડથી ટ્રેનમાં ચઢ્યો હતો જ્યાંથી ટ્રેન શરૂ થઈ હતી. તેની પાસે ટિકિટ ન હોવાથી તેણે પોતાને વોશરૂમમાં બંધ કરી દીધો. મુસાફરોએ ઘણી વખત દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ ખૂલતો ન હતો, અને ત્યાર પછી રેલવે પ્રોટેક્શન ફોર્સને જાણ કરવામાં આવી હતી.

જ્યારે ટ્રેન કન્નુર અને કોઝિકોડ પહોંચી ત્યારે RPFએ તેને ટોયલેટમાંથી બહાર આવવા સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહી. અંતે જ્યારે ટ્રેન શોરાનુર સ્ટેશન પહોંચી ત્યારે શૌચાલયનો દરવાજો તોડીને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.

હવે રેલવે પોલીસ યુવકની પૂછપરછ કરી રહી છે. તે દરવાજો બંધ કરવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ જણાવી શક્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ટિકિટ ન હોવાના કારણે યુવકે જાણી જોઈને ટ્રેનના ટોઈલેટનો દરવાજો બંધ કરી દીધો હતો જેથી તે TTEથી બચી શકે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય રેલવે વંદે ભારતનું નેટવર્ક વધારવા માટે સતત કામ કરી રહી છે. PM નરેન્દ્ર મોદીએ ગયા એપ્રિલ મહિનામાં કેરળને વંદે ભારતની ભેટ આપી હતી. આ દેશની 16મી વંદે ભારત ટ્રેન છે. આ વંદે ભારત ટ્રેન તિરુવનંતપુરમથી કાસરગોડ વચ્ચે ચાલે છે.

About The Author

Top News

સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ 37મી...
Gujarat 
સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હજીરા-સુરત, ડિસેમ્બર 17, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ને વીજ મંત્રાલય દ્વારા આયોજિત અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી...
Gujarat 
AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

હૈદરાબાદ (તેલંગાણા) [ભારત], 15 ડિસેમ્બર: સેવા વિતરણ અને ઝડપી પ્રતિભાવમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને, હૈદરાબાદ જિલ્લા કલેક્ટર હરિ...
National 
હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

ડો. રામસિંહ રાજપૂતના પુસ્તકનું વિમોચન રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરાયું

સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવ ડો. રામસિંહ રાજપૂત અખબારી યાદીમાં જણાવે છે કે તા. 14/12/2025ને રવિવારના રોજ પાટણ જિલ્લાના સમી...
Gujarat 
ડો. રામસિંહ રાજપૂતના પુસ્તકનું વિમોચન રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરાયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.