ભાજપના સાંસદનો લવારો, પહેલા લોકો ભૂખથી મરતા હવે ખાય-ખાયને મરે છે

ઉત્તર પ્રદેશના બાગપતના સાંસદ સત્યપાલે હજુ એક દિવસ પહેલાં જ વિચિત્ર નિવેદન આપ્યું હતું કે કમળને વોટ આપજો નહીં તો, લક્ષ્મી માતા રિસાઇ જશે. હવે ભાજપના અન્ય એક સાંસદે પણ લવારા કર્યા છે. ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ ડો. રામશંકર કઠેરિયાએ વાહિયાત નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે, 2014 પહેલાં કોંગ્રેસની સરકારમાં ગરીબો ભૂખથી મરી જતા હતા, પરતુ અમારી સરકાર 2014 પછી એટલું બધું આપી રહી છે કે વધુ ખાવાથી ગરીબો મરી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની નવ વર્ષની સિદ્ધિઓ ગણવા સિહોર આવેલા યુપીના ભાજપના સાંસદ રામશંકર કથેરિયાએ આ નિવેદન આપ્યું હતું.

સિહોર જિલ્લાના મુખ્યાલયની એક હોટલમાં ઉત્તર પ્રદેશના ઇટાવાથી ભાજપના સાંસદ ડો. રમાશંકર કઠેરિયાએ એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે સફળ 9 વર્ષ ભારતના નિર્માણ, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની દરેક ક્ષણ દેશને મહાશક્તિ બનાવવા માટે લગાડી છે. આજે આખી દુનિયા કહી રહી છે કે 21મી સદી ભારતની સદી છે. તેમણે મોદી સરકારની 9 વર્ષની સફળતાને 9 મુદાઓમાં સમજાવી હતી.

કથેરિયાએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ, નવીનતા, સુરક્ષા, આંતરિક અને સરહદી સુરક્ષા, સરકારની કાર્યશૈલીમાં ફેરફાર, ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા, ટેક્નોલોજીનો ઉપયોગ વધારવો, સાંસ્કૃતિક મૂલ્યના મુદ્દા પાછા લાવવા, ધાર્મિક વિકાસ, ધાર 370 અને 35A ની પાછી ખેંચી લેવી જેવા કારણોથી ભારતના વિશ્વ મંચ પર માન વધી રહ્યું છે.

ભાજપ સાંસદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દેશના 9.6 કરોડ પરિવારોને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો, 11.50 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા. ગામડા, ગરીબો, શ્રમિકો અને ખેડૂતોના કલ્યાણ માટે યોજનાઓ બનાવવાનું અને લાયક પરિવારોને લાભ આપવાનું કામ આ 9 વર્ષમાં કરવામાં આવ્યું છે. જ્યારે સરકારે સત્તા સંભાળી ત્યારે દેશના 24 હજાર ગામડાઓમાં વીજળી નહોતી, આજે તે તમામ 24 હજાર ગામો વીજળીથી ઝળહળી રહ્યાં છે.

આ 9 વર્ષમાં રેલવે, એરપોર્ટ, ગ્રામણી રસ્તાઓના ક્ષેત્રમાં ઐતિહાસિક કામ થયા છે, જે પ્રજાને નજરે પડે છે. 9 વર્ષમાં ભારતની રાજનીતિ, સંસ્કૃતિમાં એક આદર્શ સ્વરૂપ વિકસિત કર્યું છે. ભારતે ‘સબ કા સાથ સબકા વિકાસની’ વાર્તા લખી છે. પહેલાં ભારતનો અવાજ સંભળાતો નહોતો, આજે જ્યારે ભારત બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઅ જાતિવાદ, પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તૃષ્ટિકરણના રાજકારણને ખતમ કરીને વિકાસવાદની રાજનીતિ કરી છે.

સાંસદે આગળ કહ્યું કે, પહેલા યોજનાઓ માત્ર કાગળ પર રહી જતી હતી, હવે એક જ કાર્યકાળમાં યોજના બને છે, જમીન પર ઉતારવામાં આવે છે અને પૂર્ણ કરવામાં આવે છે.કઠેરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં અયોધ્યાના રામમંદિર, ઇન્ડિયા ગેટ, જનધન ખાતા વગેરેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.