નેતા બોલ્યા-વંદે માતરમની ઇજ્જત કરું છું, પણ વાંચી નહીં શકું, ઇસ્લામમાં કોઈ...

મહારાષ્ટ્રની સમાજવાદી પાર્ટી (SP)ના એક નેતાએ કહ્યું કે, વંદે માતરમનું તેમના મનમાં ખૂબ ઇજ્જત છે. પાર્ટીના ધારાસભ્ય અબુ આજમીએ કહ્યું કે, ‘જ્યારે પણ સદનમાં વંદે માતરમ થાય છે તો હું ઊભો થઈને સન્માન કરું છું, પરંતુ હું વાંચી નહીં શકું કેમ કે મારા ધર્મમાં કહેવામાં આવ્યું છે કે, અલ્લાહ જેણે જમીન બનાવી, આકાશ બનાવ્યું, સૂરજ બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, આખી દુનિયા બનાવી, અમે તેમના સિવાય કોઇની આગળ માથું નહીં ઝુકાવી શકીએ. એમ મારા ધર્મમાં કહેવામાં આવ્યું છે. હું તમારું કોઈ અપમાન કરી રહ્યો નથી. સુપ્રીમ કોર્ટે મને અધિકાર આપ્યો છે.

અબુ આજમી બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં સંભાજીનગર જિલ્લામાં દંગાના મુદ્દા પર પોતાની વાત રાખતા કહ્યું કે, સરકાર અસલી મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવવા માટે વંદે માતરમનો મુદ્દો ઉછાળી રહી છે. આ દેશ જેટલો તમારો છે, એટલો અમારો પણ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, અમે એ છીએ જેના પૂર્વજોએ આ દેશ માટે પોતાનો જીવ આપ્યો, અમે એ છીએ. જેમણે પાકિસ્તાનને નહીં ભારતને પોતાનો દેશ માન્યો. અમને ઇસ્લામ શીખવે છે કે માથું એની આગળ જ ઝુકાવો, જેણે આ આખી દુનિયા બનાવી છે.

મારા ધર્મ મુજબ, જો હું વંદે માતરમ નહીં બોલી શકું તો તેનાથી મારા દિલમાં મારા દેશ માટે ઇજ્જત અને મારી વતનપરસ્તીમાં કોઈ કમી હોતી નથી અને તેનાથી કોઈને આપત્તિ પણ ન હોવી જોઈએ. જેટલા તમે આ દેશના છો, એટલા અમે પણ. તેમના આ નિવેદન પર પલટવાર કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરી. તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીના અબુ આજમી કહે છે કે હું વંદે માતરમ નહીં કહું. હું પોતાનું માથું નહીં ઝુકાવું, કેમ કે મારો ધર્મ તેની મંજૂરી આપતો નથી. શું તે INDIAનો વિચાર છે? અથવા એ ભારત વિરોધી છે? સમાજવાદી પાર્ટી આ કથિત INDIAનો હિસ્સો છે.

તેમણે આગળ કહ્યું કે, નામમાં INDIA છે, પરંતુ એજન્ડામાં નહીં! આ અગાઉ સમાજવાદી પાર્ટીએ આતંકવાદીઓને મુક્ત કરાવ્યા અને યાકુબ, અફઝલને સંરક્ષણ આપ્યું. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નોર્વેકરે ધારાસભ્યોને શાંત રહેવાની આપીલ કરી અને કહ્યું કે, આજમીની ટિપ્પણીઓ વિષય માટે અપ્રાસંગિક છે. તેમણે ચર્ચા માટે સૂચિબદ્ધ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. નોર્વેકરની અપીલ બાદ પણ હોબાળો ચાલુ રહ્યો અને ત્યારબાદ તેમણે સદનની કાર્યવાહી 10 મિનિટ માટે સ્થગિત કરી દીધી.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.