એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ થઈ ઘર પર પડ્યું, પાયલટ બચી ગયા 4 ગામવાસીના નિધન

રાજસ્થાનના હનુમાનગઢમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું અને રહેણાંક વિસ્તારમાં પડ્યું. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જો કે, બંને પાઇલોટ્સ પોતાને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં સફળ રહ્યા હતા.

હનુમાનગઢના SP સુધીર ચૌધરીએ જણાવ્યું કે, વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. તે બહલોલનગરમાં ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયું અને એક ઘર પર પડ્યું. અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

વાયુસેનાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, વાયુસેનાના મિગ-21એ આજે સવારે નિયમિત તાલીમ ઉડાન ભરી હતી. પછી તે ક્રેશ થયું. બંને પાયલોટ પોતાની જાતને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ પરિવારના સભ્યો પ્રશાસનના લોકોને ઘટનાસ્થળેથી મૃતદેહ ઉપાડવા દેતા નથી. વહીવટીતંત્ર સામે વિરોધ વ્યક્ત કરી સગાસંબંધીઓએ લેખિતમાં વળતરની માંગ કરી છે. સંબંધીઓનું કહેવું છે કે, અધિકારીઓ સ્થળ પર જ વાયદો કરીને જતા રહે છે, ત્યાર પછી તેમને કંઈ મળતું નથી. જ્યાં સુધી તેઓને વહીવટીતંત્ર તરફથી વળતરની લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહને લઈ જવા દેશે નહીં.

આ પહેલા જુલાઈ 2022માં રાજસ્થાનના બાડમેર પાસે એક મિગ-21 એરક્રાફ્ટ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતીય વાયુસેના (IAF)ના બે પાયલોટ શહીદ થયા હતા.

મિગ-21 દુર્ઘટનાની આજની ઘટનાએ સોવિયત મૂળના મિગ-21 વિમાન પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. 1960ના દાયકાની શરૂઆતમાં ભારતીય વાયુસેનાના કાફલામાં મિગ-21 એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને 2022 સુધીમાં મિગ-21 વિમાનથી લગભગ 200 અકસ્માતો થયા છે.

મિગ-21 લાંબા સમયથી ભારતીય વાયુસેનાનો મુખ્ય આધાર હતો. જોકે, એરક્રાફ્ટનો સેફ્ટી રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. વિમાન દુર્ઘટનાઓમાં પણ અનેક લોકોના જીવ ગયા છે. ગયા વર્ષે માર્ચમાં, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ત્રણેય સેવાઓના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સાથે સંકળાયેલા અકસ્માતોમાં 42 સંરક્ષણ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 45 હવાઈ અકસ્માતો થયા છે, જેમાંથી 29 IAF પ્લેટફોર્મ સામેલ છે.

મિગ-21 ક્રેશની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને એરફોર્સ તેને તેના કાફલામાંથી હટાવી રહી છે. એરફોર્સે ગયા વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં મિગ 21 બાઇસનની એક સ્ક્વોડ્રનને હટાવી દીધી હતી. 2025 સુધીમાં મિગ 21ના બાકીના ત્રણ સ્ક્વોડ્રનને તબક્કાવાર બહાર કરવાની યોજના છે.

ફેબ્રુઆરી 2019માં, બાલાકોટ સ્ટ્રાઇકના એક દિવસ પછી, વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું, તે સમયે તેઓ મિગ-21 જ ઉડાવી રહ્યા હતા

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.