IPS અધિકારીની દીકરીને જોઈએ છે ઉચ્ચ જાતિનો કે વાર્ષિક 80 લાખ કમાતો યુવક અને...

આજના યુગમાં, જ્યારે આપણે પોતાને આધુનિક અને પ્રગતિશીલ કહીએ છીએ, ત્યારે પણ લગ્ન કરતી વખતે જાતિ અને પૈસાદાર જેવા સૌથી મોટા પરિબળો ભાગ ભજવતા હોય છે. તાજેતરમાં જ, 'ધ ડેટ ક્રૂ'ના સ્થાપક ઓએંડ્રિલા કપૂરે એક એવી ઘટના શેર કરી છે, જેણે ભારતીય સમાજની વિચારસરણી પર ઘણા સવાલો ઉભા કર્યા છે. એક શિક્ષિત ફેશન ઉદ્યોગસાહસિક દ્વારા જીવનસાથી પસંદ કરવા માટે નક્કી કરવામાં આવેલી શરતોએ બધાને ચોંકાવી દીધા છે.

Woman-Groom-Criteria1
ndtv.com

ઓએંડ્રિલા કપૂરે LinkedIn પર એક 32 વર્ષીય મહિલા સાથે થયેલી પોતાની વાતચીત શેર કરી. આ મહિલા પોતાનું ફેશન લેબલ ચલાવે છે અને ઉચ્ચ શિક્ષિત પરિવારમાંથી આવે છે. તેના પિતા એક IPS અધિકારી છે અને તેની માતા શિક્ષિકા છે. આટલી ઉચ્ચ પૃષ્ઠભૂમિ હોવા છતાં, લગ્ન માટે તેની પહેલી પસંદગી ફક્ત 'ઉચ્ચ જાતિ'ના યુવકો માટે છે.

મહિલાએ સ્પષ્ટપણે કહ્યું કે, તે ફક્ત બ્રાહ્મણ અથવા રાજપૂત પરિવારોમાં જ લગ્ન કરવા માંગે છે. જો કે, તેણે આ પર આશ્ચર્યજનક 'ડિસ્કાઉન્ટ' પણ આપ્યું. તેઓએ કહ્યું કે જો છોકરો આ જાતિઓ સિવાય બીજી જાતિનો હોય, તો તેની વાર્ષિક આવક ઓછામાં ઓછી 80 લાખ રૂપિયા હોવી જોઈએ. આનો અર્થ એ છે કે જો તમારા ખિસ્સામાં પૈસા હોય, તો જાતિનો અવરોધ તોડી શકાય એમ છે.

ઓએંડ્રિલા કપૂરે કટાક્ષમાં લખ્યું કે, મોટા શહેરોમાં શિક્ષિત પરિવારોમાં જાતિવાદ હવે 'રિવાજો' પાછળ છુપાઈ ગયો છે. લોકો કહે છે કે, આપણે આપણા સમાજમાં જ લગ્ન કરવાના છે, પરંતુ હકીકતમાં, તે સામાજિક પદનો ખેલ છે. તેમના મતે, પૈસા આજકાલ સામાજિક પદ ખરીદી શકે છે, તેથી 80 લાખ રૂપિયાની શરત રાખવામાં આવી છે.

Woman-Groom-Criteria3
vistaarnews.com

આ પોસ્ટ વાયરલ થયા પછી, ઇન્ટરનેટ ટિપ્પણીઓથી ભરાઈ ગયું હતું. એક યુઝરે લખ્યું કે, ભારતીય લગ્ન, ખાસ કરીને એરેન્જ લગ્ન, હંમેશા એક વ્યવહાર (લેતી-દેતી જેવા જ) રહ્યા છે. લોકો કહે છે કે જ્યાં પ્રેમ અને સુસંગતતાને પ્રાથમિકતા આપવી જોઈતી હતી, ત્યાં CTC (પગાર પેકેજ) અને ગોત્રએ હવે જગ્યા લઇ લીધી છે. ઓએંડ્રિલા કપૂર કહે છે કે, આ પરંપરાને તોડવા માટે, યુવાનોએ તેમના માતાપિતા સાથે વાતચીત કરવાની જરૂર છે. આપણે સ્પષ્ટપણે કહેવું પડશે કે, અમે જાતિના આધારે અમારા જીવનસાથીને ફિલ્ટર કરીશું નહીં. શિક્ષણ એટલે ફક્ત ડિગ્રી જ મેળવવી એવું નથી, પણ જૂની, સંકુચિત માનસિકતાઓમાંથી બહાર નીકળવાનું છે.

About The Author

Related Posts

Top News

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-06-2026 દિવસ: ગુરુવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.