પુત્ર-વહુથી નારાજ વૃદ્ધે દોઢ કરોડની મિલકત સરકારના નામે લખી,અગ્નિદાહનો હક છીનવ્યો

ઈન્ટરનેટના આ યુગમાં જીવન જીવવાનો અર્થ પણ બદલાઈ ગયો છે. એક સમયે સંયુક્ત કુટુંબનો સમયગાળો હતો, જે હવે ધીમે ધીમે વિભક્ત કુટુંબની પ્રથામાં ફેરવાઈ રહ્યો છે. એક સમયે પરિવારના આધારસ્તંભ કહેવાતા ઘરના વડીલો હવે બોજ ગણાય છે. વૃદ્ધાશ્રમોની સંખ્યા જે પહેલા ગણીગાંઠી હતી, આજે તેમની સંખ્યા સતત વધી રહી છે. પોતાના જ પરિવારના વડીલો સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી સામે આવ્યો છે, જ્યાં એક 80 વર્ષીય વ્યક્તિએ પોતાના પુત્ર અને પુત્રવધૂથી પરેશાન થઈને રાજ્યપાલને પોતાની મિલકત દાનમાં આપી દીધી.

80 વર્ષીય નાથુ સિંહ વ્યવસાયે ખેડૂત છે પરંતુ તેમના પુત્ર અને પુત્રવધૂના વ્યવહારથી તેઓ ખૂબ જ દુઃખી છે. નાથુ સિંહનું કહેવું છે કે, પુત્ર અને પુત્રવધૂ તેમની સાથે સારો વ્યવહાર નથી કરતા, જેના કારણે તેમણે લગભગ 1.5 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત રાજ્યના ગવર્નરને દાનમાં આપી દીધી છે. નાથુ સિંહ તેના પુત્રથી એટલો નારાજ છે કે, તે નથી ઈચ્છતો કે પુત્ર અને પુત્રવધૂ તેની મિલકતનો વારસો મેળવે.

મુઝફ્ફરનગરના બિરલ ગામના રહેવાસી નાથુ સિંહ હાલમાં વૃદ્ધાશ્રમમાં રહે છે. તેમને એક પુત્ર ઉપરાંત ત્રણ પુત્રીઓ પણ છે. તેણે કહ્યું કે તે નથી ઈચ્છતો કે તેના કોઈ સંતાનને તેની મિલકતનો વારસો મળે. નાથુ સિંહ કહે છે, 'શનિવારે મેં UPના ગવર્નરને પ્રોપર્ટી સોંપવા માટે એફિડેવિટ ફાઈલ કરી હતી, જેમાં વિનંતી કરવામાં આવી હતી કે, સરકાર મારા મૃત્યુ પછી જમીન પર સ્કૂલ કે હોસ્પિટલ ખોલે.'

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૃદ્ધ નાથુ સિંહે કહ્યું, 'ઉંમરના આ તબક્કે મારે મારા પુત્ર અને પુત્રવધૂ સાથે રહેવું જોઈતું હતું, પરંતુ તેઓએ મારી સાથે સારો વ્યવહાર કર્યો નહીં. તેથી જ મેં રાજ્યપાલને મિલકત ટ્રાન્સફર કરવાનું મન બનાવ્યું. જેથી તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય. વૃદ્ધાશ્રમના પ્રભારી રેખા સિંહે જણાવ્યું હતું કે, 'નાથુ સિંહ મક્કમ હતા અને તેમણે શનિવારે પોતાની મિલકત સોંપવા માટે એફિડેવિટ દાખલ કરી હતી.' નાથુ સિંહ નથી ઈચ્છતા કે પરિવારના સભ્યો તેમના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપે.

દરમિયાન, બુઢાના તહસીલના સબ-રજિસ્ટ્રાર પંકજ જૈને કહ્યું, 'વૃદ્ધ વ્યક્તિની વિનંતી નોંધવામાં આવી છે. તેણે સોગંદનામામાં તેની આશરે રૂ. 1.5 કરોડની સંપત્તિનો ખુલાસો કર્યો છે, જેમાં રહેણાંક મકાન, તેની 10 વીઘા ખેતીની જમીન અને સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે. આ બધું તેમના મૃત્યુ પછી અમલમાં લાવવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.