મજાક-મજાકમાં દીયરે ભાભી પર તાકી દીધી પિસ્તોલ અને દબાઇ ગયું ટ્રિગર; સાસરિયાઓએ ડીપ ફ્રીઝરમાં બોડી છુપાવી, પછી...

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં, થાટીપુર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના તૃપ્તિ નગર વિસ્તારમાં, એક કૌટુંબિક કાર્યક્રમમાં ઉજવણી દરમિયાન ગોળીબાર દરમિયાનમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના પછી બદનામી અને પોલીસ કાર્યવાહીના ડરથી સાસરિયાઓએ જીવ ગુમાવનાર મહિલાના મૃતદેહને ડીપ ફ્રીઝરમાં છુપાવી દીધો અને રાતના અંધારામાં તેના અંતિમ સંસ્કાર કરવાના ચક્કરમાં હતા. જોકે, પડોશીઓને શંકા ગઈ અને તેમણે પોલીસને જાણ કરી, જેના કારણે આ કાવતરા પરથી પર્દો ઉઠી ગયો.

આ ઘટના તૃપ્તિ નગરના રહેવાસી કુશવાહા પરિવારમાં 'દોષ્ટોન' સમારોહ (બાળકના જન્મની પરંપરાગત ઉજવણી) ચાલી રહ્યો હતો. આ ઉત્સવના વાતાવરણ વચ્ચે મૃતક જ્યોતિ કુશવાહાનો દીયર યોગેશ કુશવાહાએ પિસ્તોલ (કટ્ટા)થી ગોળીબાર કરી રહ્યો હતો. આ દરમિયાન, એક ગોળી જ્યોતિને વાગી અને તેનું ઘટનાસ્થળે જ જીવ જતો રહ્યો હતો.

Abhishek-Mishra2
x.com/Benarasiyaa

મહિલાના મૃત્યુ પછી અને પોલીસ અને સામાજના ડરથી પતિ મનોજ કુશવાહ, દીયર યોગેશ અને પરિવારના અન્ય સભ્યોએ મળીને સત્ય છુપાવવાનું કાવતરું ઘડ્યું. તેઓએ મૃતકના માતા-પિતાના પરિવારને ફોન કર્યો, જેઓ મૂળ ભિંડ જિલ્લાના લહરના રહેવાસી છે પરંતુ હાલમાં બરોડામાં રહે છે. તેમને ફોન કરીને ખોટું બોલ્યા કે જ્યોતિનું મૃત્યુ છત પરથી પડી જવાથી થયું છે. ત્યારબાદ, મૃતદેહનો નિકાલ કરવા માટે ઘરમાં એક ડીપ ફ્રીઝર લાવવામાં આવ્યું; મૃતદેહને સંપૂર્ણપણે ઢાંકીને તેની અંદર છુપાવી દેવામાં આવ્યો હતો, જેથી રાત્રિ પડી ગયા પછી ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરી  શકાય.

કુશવાહા પરિવારનું કાવતરું સફળ થઈ શક્યું જતું, જો પડોશીઓને મોડી રાત્રે ઘરમાં ડીપ ફ્રીઝર લાવવામાં આવતું જોઈને શંકા ન થઈ હોત. વિલંબ કર્યા વિના, તેઓએ તાત્કાલિક થાથીપુર પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ. પોલીસે ઘરની તપાસ કરી ત્યારે, ડીપ ફ્રીઝરમાંથી જ્યોતિ કુશવાહાની લાશ મળી આવી.

murder2
bhaskar.com

લાશ મળી આવ્યા પછી પોલીસે મૃતકના પતિ મનોજ કુશવાહાની કડક પૂછપરછ કરી; તો, તેણે સત્ય કબૂલ્યું. ઘટના બાદ આરોપી દીયર યોગેશ કુશવાહ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો; જેને, પોલીસે એક બાતમીદારની સૂચનાના આધારે વિસ્તારને ઘેરાબંધી કરીને પકડી લીધો. પોલીસ કસ્ટડીમાં, આરોપી યોગેશે જણાવ્યું કે તેને લાગ્યું છે કે જે હથિયારથી કે ગોળી ચલાવી રહ્યો હતો તેમાં કારતૂસ નથી. તેણે મજાક-મજાકમાં ભાભી તરફ હથિયારનો ઇશારો કરતા ટ્રિગર દબાવી દીધું; પરંતુ બંદૂકની અંદર ફસાયેલી ગોળી સીધી જ્યોતિને વાગી.

ઘટનાના સમાચાર મળતા જ મૃતક મહિલાના પરિવારના સભ્યો બરોડાથી ગ્વાલિયર પહોંચ્યા. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેમાં તેના સાસરિયાઓ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો. થાટીપુર પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, અને આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી દીયરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પતિ અને પરિવારના અન્ય સભ્યોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જો કે, મૃતદેહ છુપાવવો અને પુરાવાનો નાશ કરવો એ ગંભીર ગુનો છે, તેથી પતિ અને પરિવારના અન્ય સભ્યો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.