જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગને લઈને હાઇકોર્ટનો મોટો નિર્ણય

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં આદેશ આપ્યો છે કે, ASI જ્ઞાનવાપીના વજુખાનામાંથી મળેલા શિવલિંગનું વૈજ્ઞાનિક સર્વે કરે. તેના જવાબમાં અંજુમન વ્યવસ્થા સમિતિના મહામંત્રીએ જણાવ્યું હતું કે, દૂધનું દૂધ પાણીનું પાણી હોવું જોઈએ, આજે પણ આપણે કહીએ છીએ કે, તે શિવલિંગ નથી, ફુવારો છે.

બીજી તરફ, શૃંગાર ગૌરી દર્શન કેસના મુખ્ય વકીલ રાખી સિંહના એડવોકેટ જિતેન્દ્ર સિંહ બિસેને કહ્યું કે, શિવલિંગ સાથેની જગ્યા સુપ્રીમ કોર્ટના આદેશ પર સીલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તપાસ કેવી રીતે થશે, પરંતુ શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના તપાસ કરવામાં આવે તો કોઈ વાંધો નથી. આ રીતે, તમામ પક્ષકારો હાઇકોર્ટના નિર્ણય સાથે સહમત થયા હતા, પરંતુ દાવો કરાયેલ શિવલિંગની જગ્યા સુપ્રીમ કોર્ટના આદેશથી સીલ કરવામાં આવી છે. 

હાઈકોર્ટ દ્વારા શિવલિંગના કાર્બન ડેટિંગ ટેસ્ટની મંજૂરી આ વિવાદના નિરાકરણમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ પહેલા વારાણસીની કાર્બન ડેટિંગ ટેસ્ટની માંગ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી. 

પરંતુ હવે હાઈકોર્ટે વારાણસીના જિલ્લા ન્યાયાધીશના અગાઉના નિર્ણયને બદલી નાખ્યો છે. હાઈકોર્ટમાં શુક્રવારે જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાની સિંગલ બેંચમાં આ કેસની સુનાવણી થઈ હતી. આ મામલે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ગઈકાલે જ સીલબંધ કવરમાં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં કોર્ટ કમિશનની કાર્યવાહી દરમિયાન મસ્જિદના વજુખાનામાંથી શિવલિંગ મળી આવ્યું હતું. 

આ અરજી પર રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ M. C. ચતુર્વેદી અને ચીફ પરમેનન્ટ એડવોકેટ બિપિન બિહારી પાંડેએ પક્ષ લીધો હતો. અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદ વતી એડવોકેટ હરીશંકર જૈન, વિષ્ણુ શંકર જૈન અને S. F. A. નકવી હાજર થયા હતા. કોર્ટે કેન્દ્ર સરકારના એડવોકેટ મનોજ કુમાર સિંહને પૂછ્યું હતું કે, શું શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના કાર્બન ડેટિંગ કરી શકાય. કારણ કે, આ પ્રકારની તપાસથી શિવલિંગની ઉંમરનો ખુલાસો થશે. ASIએ કહ્યું હતું કે, શિવલિંગનું કાર્બન ડેટિંગ ટેસ્ટ નુકસાન વિના કરી શકાય એમ છે. 

અહીં તમને જણાવી દઈએ કે, જ્ઞાનવાપી કેમ્પસમાં કમિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન, 16 મે, 2022ના રોજ, કેમ્પસમાં એક કથિત શિવલિંગ મળી આવ્યું હતું, જેના માટે જિલ્લા કોર્ટ, વારાણસીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ASI પાસેથી વૈજ્ઞાનિક સર્વેની માંગ કરવામાં આવી હતી. જો કે, જિલ્લા અદાલતે અરજી ફગાવી દીધી હતી કે, સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે. આવી સ્થિતિમાં સિવિલ કોર્ટને આદેશ આપવાનો અધિકાર નથી. 

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.