અસમતમાંથી બની નેહા, ટીચરે હિંદુ ધર્મ અપનાવ્યો, CM પાસે માગી સુરક્ષા

ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતી મુસ્લિમ સમુદાયની એક યુવતીએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. ધર્મ બદલીને તે અસમત અલીમાંથી નેહા સિંહ બની છે. અસમતમાંથી નેહા બનેલી યુવતીએ કહ્યું કે, ટ્રિપલ તલાક, હલાલા જેવી બાબતોથી ડરીને મેં સનાતન ધર્મ અપનાવ્યો છે. જો કે તેના પરિવારજનો આ વાતથી નારાજ છે. તેથી તેના પરિવારથી તેના જીવને ખતરો હોવાનું કહીને તેણે વહીવટીતંત્ર અને પોલીસ પાસે રક્ષણની માંગ કરી છે.

નેહા (અસમત) જિલ્લાના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તે વ્યવસાયે શિક્ષક છે. તેણે કહ્યું કે, હું શરૂઆતથી જ ભગવાન શિવને મારા આરાધ્ય દેવ માનું છું. મેં મહાકાલના દરબારમાં હાજરી પણ આપી છે. હાલમાં જ પરિવારના સભ્યોએ તેના અપહરણની ખોટી ફરિયાદ નોંધાવી હતી, ત્યારપછી નેહાએ આગળ આવીને બધાને સત્ય જણાવ્યું.

અસમતનું કહેવું છે કે, તેણે ઈસ્લામ છોડીને સનાતન ધર્મ સ્વીકાર્યો છે. તેના પિતાનું નામ અસગર અલી છે, જેઓ બીજ વિકાસ નિગમમાં એકાઉન્ટન્ટ હતા. તે હવે આ દુનિયામાં નથી. નેહાએ જણાવ્યું કે, તેને શરૂઆતથી જ સનાતન ધર્મનો પ્રેમ હતો.

બરેલી કોલેજમાંથી સ્નાતક થયા પછી તે હાલમાં B.Edનો અભ્યાસ કરી રહી છે. સાથે જ તે ટીચિંગ વર્ક પણ કરી રહી છે. તે શિક્ષિત અને નોકરી કરે છે.

નેહાએ કહ્યું કે, તેની બહેન, ભાભી અને માતા તેના લગ્ન એવા વ્યક્તિ સાથે કરવા જઈ રહ્યા હતા જેણે તેની પત્નીને તલાક આપ્યા પછી તેના હલાલા કરાવી ચુક્યો હતો. પરિવારનો આવો ખરાબ નિર્ણય મેં સ્વીકાર્યો ન હતો. જ્યારે મેં આનો વિરોધ કર્યો, તો મારા પરિવારના સભ્યો મારા પર બિનજરૂરી દબાણ કરવા લાગ્યા. અંતે મેં સ્વેચ્છાએ ઘર છોડી દીધું અને ઇસ્લામનો ત્યાગ કર્યો અને વૈદિક રિવાજોને અનુસરીને સનાતન ધર્મ અપનાવી લીધો.

નેહાના કહેવા પ્રમાણે, તેના ધર્મ છોડવાથી પરિવાર નારાજ છે. એક કાવતરાના ભાગરૂપે, તેઓએ બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનમાં મારા સાથીદાર મોહિત સિંહ વિરુદ્ધ અપહરણનો ખોટો રિપોર્ટ નોંધાવ્યો. જ્યારે, અપહરણની વાર્તામાં બિલકુલ સત્ય નથી. મેં મારી પોતાની મરજીથી ઘર છોડ્યું છે. અને કોઈ ના પણ દબાણ વગર સનાતન ધર્મ અપનાવ્યો છે.

નેહાએ એમ પણ કહ્યું કે, તેને તેના પરિવારના સભ્યો તરફથી તેના જીવ પર ખતરો છે. નેહાએ UPના CM યોગી આદિત્યનાથ સાથે બરેલીના DM અને SSPને પત્ર મોકલીને તેના જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કરીને સુરક્ષાની વિનંતી કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો તેને સુરક્ષાને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે તો તેના પરિવારના સભ્યો જવાબદાર રહેશે.

દરમિયાન, આ મામલામાં એરિયા ઓફિસર અનિતા ચૌહાણે જણાવ્યું કે, યુવતીની માતા વતી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.