અસમતમાંથી બની નેહા, ટીચરે હિંદુ ધર્મ અપનાવ્યો, CM પાસે માગી સુરક્ષા

ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતી મુસ્લિમ સમુદાયની એક યુવતીએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. ધર્મ બદલીને તે અસમત અલીમાંથી નેહા સિંહ બની છે. અસમતમાંથી નેહા બનેલી યુવતીએ કહ્યું કે, ટ્રિપલ તલાક, હલાલા જેવી બાબતોથી ડરીને મેં સનાતન ધર્મ અપનાવ્યો છે. જો કે તેના પરિવારજનો આ વાતથી નારાજ છે. તેથી તેના પરિવારથી તેના જીવને ખતરો હોવાનું કહીને તેણે વહીવટીતંત્ર અને પોલીસ પાસે રક્ષણની માંગ કરી છે.

નેહા (અસમત) જિલ્લાના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તે વ્યવસાયે શિક્ષક છે. તેણે કહ્યું કે, હું શરૂઆતથી જ ભગવાન શિવને મારા આરાધ્ય દેવ માનું છું. મેં મહાકાલના દરબારમાં હાજરી પણ આપી છે. હાલમાં જ પરિવારના સભ્યોએ તેના અપહરણની ખોટી ફરિયાદ નોંધાવી હતી, ત્યારપછી નેહાએ આગળ આવીને બધાને સત્ય જણાવ્યું.

અસમતનું કહેવું છે કે, તેણે ઈસ્લામ છોડીને સનાતન ધર્મ સ્વીકાર્યો છે. તેના પિતાનું નામ અસગર અલી છે, જેઓ બીજ વિકાસ નિગમમાં એકાઉન્ટન્ટ હતા. તે હવે આ દુનિયામાં નથી. નેહાએ જણાવ્યું કે, તેને શરૂઆતથી જ સનાતન ધર્મનો પ્રેમ હતો.

બરેલી કોલેજમાંથી સ્નાતક થયા પછી તે હાલમાં B.Edનો અભ્યાસ કરી રહી છે. સાથે જ તે ટીચિંગ વર્ક પણ કરી રહી છે. તે શિક્ષિત અને નોકરી કરે છે.

નેહાએ કહ્યું કે, તેની બહેન, ભાભી અને માતા તેના લગ્ન એવા વ્યક્તિ સાથે કરવા જઈ રહ્યા હતા જેણે તેની પત્નીને તલાક આપ્યા પછી તેના હલાલા કરાવી ચુક્યો હતો. પરિવારનો આવો ખરાબ નિર્ણય મેં સ્વીકાર્યો ન હતો. જ્યારે મેં આનો વિરોધ કર્યો, તો મારા પરિવારના સભ્યો મારા પર બિનજરૂરી દબાણ કરવા લાગ્યા. અંતે મેં સ્વેચ્છાએ ઘર છોડી દીધું અને ઇસ્લામનો ત્યાગ કર્યો અને વૈદિક રિવાજોને અનુસરીને સનાતન ધર્મ અપનાવી લીધો.

નેહાના કહેવા પ્રમાણે, તેના ધર્મ છોડવાથી પરિવાર નારાજ છે. એક કાવતરાના ભાગરૂપે, તેઓએ બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનમાં મારા સાથીદાર મોહિત સિંહ વિરુદ્ધ અપહરણનો ખોટો રિપોર્ટ નોંધાવ્યો. જ્યારે, અપહરણની વાર્તામાં બિલકુલ સત્ય નથી. મેં મારી પોતાની મરજીથી ઘર છોડ્યું છે. અને કોઈ ના પણ દબાણ વગર સનાતન ધર્મ અપનાવ્યો છે.

નેહાએ એમ પણ કહ્યું કે, તેને તેના પરિવારના સભ્યો તરફથી તેના જીવ પર ખતરો છે. નેહાએ UPના CM યોગી આદિત્યનાથ સાથે બરેલીના DM અને SSPને પત્ર મોકલીને તેના જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કરીને સુરક્ષાની વિનંતી કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો તેને સુરક્ષાને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે તો તેના પરિવારના સભ્યો જવાબદાર રહેશે.

દરમિયાન, આ મામલામાં એરિયા ઓફિસર અનિતા ચૌહાણે જણાવ્યું કે, યુવતીની માતા વતી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.