આસામમાં મુસ્લિમ વસ્તી 1951માં 12 ટકાથી વધીને આજે 40 ટકા થઇ ગઇ છે: CM સરમા

આસામ સરકારે રાજ્ય મુસ્લિમ વિવાહ અને તલાક રજીસ્ટ્રેશન અધિનિયમ 1935ને રદ્દ કરી દીધો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આ બંને કાયદાઓની જગ્યાએ હવે આસામ રિપીલિંગ બિલ 2024 લેશે. મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે, અમે બાળ વિવાહ વિરુદ્ધ અતિરિક્ત સુરક્ષા ઉપાય કરીને પોતાની બહેન અને દીકરીઓ માટે ન્યાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે.

તેમણે કહ્યું કે, આજે આસામ કેબિનેટની બેઠકમાં અમે આસામ રિપિલ બિલ 2024ના માધ્યમથી મુસ્લિમ વિવાહ અને તલાક રજીસ્ટ્રેશન અધિનિયમ 1935ને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ કાયદાનું ઉદ્દેશ્ય આસામ મુસ્લિમ વિવાહ અને તલાક એક્ટ 1935ને રદ્દ કરવાનું છે. આ બિલને આગામી મોનસૂનમાં આસામ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આસામ મંત્રીમંડળે એવો પણ નિર્દેશ આપ્યો છે કે રાજ્યમાં મુસ્લિમ લગ્નોના રજીસ્ટ્રેશન માટે કાયદો લાવવામાં આવે. આ મુદ્દા પર પણ વિધાનસભામાં ચર્ચા કરવામાં આવશે.

આસામના મુખ્યમંત્રીએ એક દિવસ અગાઉ જ મુસ્લિમ વસ્તીમાં ઉલ્લેખનીય વૃદ્ધિ પર પ્રકાશ નાખતા જનસંખ્યાકીયા પરિવર્તનો બાબતે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બદલાતી જનસંખ્યા મારા માટે એક ગંભીર મુદ્દો છે. આસામમાં મુસ્લિમ વસ્તી 1951માં 12 ટકાથી વધીને આજે 40 ટકા થઇ ગઇ છે. આપણે ઘણા જિલ્લાઓ પર નિયંત્રણ ગુમાવી દીધું છે. એ માત્ર એક રાજનીતિક મુદ્દો નથી, એ મારા માટે જીવન અને મૃત્યુનો મામલો છે. તેમણે આ વાતો ઝારખંડની રાજધાની રાંચીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહી હતી.

આ દરમિયાન સરમાએ ઘૂસણખોરીના મુદ્દા તરફ ઇશારો કરતા કહ્યું હતું કે ઘૂસણખોર ઝારખંડ, બિહાર અને છત્તીસગઢ તરફથી પહેલા શરૂઆતમાં આસામ અને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. તેમણે ઝારખંડ હાઇકોર્ટ દ્વારા સરકારને આપેલા એક નિર્દેશનો સંદર્ભ આપ્યો જેમાં ગેરકાયદેસર પ્રવાસીઓની જાણકારી મેળવવા અને તેમને આશ્રિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સરમાએ એ વાત પર ભાર આપ્યો કે આ કાર્યને પૂરું કરવું કેન્દ્ર સરકારની નહીં, પરંતુ રાજ્ય સરકારોની જવાબદારી છે.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.