ત્રિપુરાના પૂર્વ CM બિપ્લબ દેબના ઘર પર હુમલો, આ લોકો પર લાગ્યો આરોપ

ત્રિપુરાના પૂર્વ CM બિપ્લબ દેબના પૈતૃક ઘર પર હુમલો થયો છે. હુમલાખોરોએ તેમના ઘરની આસપાસની દુકાનોમાં પણ આગચંપી કરવાની ઘટનાને અંજામ આપ્યો છે. બદમાશોએ કારમાં તોડફોડ કરતા કાચ તોડી નાખ્યા હતા. CPMના કાર્યકરો પર આ ઘટનાને અંજામ આપવાનો આરોપ છે. જે પૂર્વ CMના ઘર પર હુમલો થયો છે તે ગોમતી જિલ્લાના ઉદયપુર સબ-ડિવિઝનના જામજુરીમાં આવેલું છે.

BJP સાથે સંકળાયેલા સૂત્રોનો દાવો છે કે, બિપ્લબ દેબના પિતા સ્વર્ગસ્થ હિરુધન દેબની યાદમાં અહીં વાર્ષિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ તેના એક દિવસ પહેલા જ કમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે ઘરમાં કોઈ નહોતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન પાર્ટીના ઝંડા તોડી નાખવામાં આવ્યા હતા. આ પછી એક દુકાન અને કેટલાક વાહનોમાં તોડફોડ કર્યા બાદ આગ ચાંપી દીધી હતી.

ત્રિપુરાના પૂર્વ CM બિપ્લબ દેબના પૈતૃક ઘર પર હુમલાની માહિતી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન BJPના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. બીજી તરફ કેટલાક લોકો આ ઘટના પાછળ CPM કાર્યકર્તાઓનું ષડયંત્ર જણાવી રહ્યા છે.

ભીડમાં હુમલાનો ભોગ બનેલા પૂજારી જિતેન્દ્ર કૌશિકે જણાવ્યું કે, 'હું મા ત્રિપુરા સુંદરી મંદિરના દર્શન કરવા આવ્યો હતો. હું બુધવારે યોજાનાર યજ્ઞની તૈયારીઓ જોવા મારા ગુરુદેવજીની સૂચનાથી અહીં આવ્યો હતો, ત્યારે અચાનક એક ટોળું આવ્યું અને મારા પર હુમલો કર્યો અને મારા વાહનની તોડફોડ કરી. આસપાસના લોકો અને સ્થાનિક લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો નાસી છૂટ્યા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, 15 મે 2022ના રોજ બિપ્લબ દેબના સ્થાને માણિક સાહાને ત્રિપુરાના CM બનાવવામાં આવ્યા હતા. અગાઉ, એપ્રિલ 2022માં, માણિક સાહા ત્રિપુરાની માત્ર એક રાજ્યસભા બેઠક પરથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ એપ્રિલ 2028માં પૂરો થવાનો હતો. પરંતુ તે પહેલા રાજકીય ઉથલપાથલ થઈ હતી.

સપ્ટેમ્બર 2021માં, બિપ્લબ દેબ વિવાદોમાં ફસાઈ ગયા. ત્યારબાદ તેમના પર ન્યાયતંત્રની 'મજાક' કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને CM મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ દેબ પર પોતાનું નિવેદન ટ્વીટ કરતા નિશાન સાધ્યું હતું. ત્રિપુરા સિવિલ સર્વિસ ઓફિસર્સ એસોસિએશનના દ્વિવાર્ષિક સંમેલનને સંબોધતા, તત્કાલિન CM બિપ્લબ દેબે સિવિલ સેવકોને વિનંતી કરી હતી કે, તેઓ તેમના કામના માર્ગમાં ન્યાયતંત્રનો ડર ન આવવા દે.

આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ વિપક્ષી દળોએ બિપ્લબ દેબ પર પ્રહારો કર્યા હતા. ટ્વિટર પર પ્રહાર કરતાં TMC સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે, તેમણે લોકશાહીની શરમજનક મજાક ઉડાવી, માનનીય ન્યાયતંત્રની મજાક ઉડાવી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.