બાબરી કેસના પક્ષકાર ઇકબાલ અંસારીએ પ્રધાનમંત્રી મોદીના કાફલા પર ફુલોની વર્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યામાં એરપોર્ટના ઉદઘાટન માટે પહોંચ્યા હતા અને તેમનો રોડ શો થયો હતો ત્યારે એક દ્રશ્ય જોઇને બધા ચોંકી ઉઠ્યા હતા.અયોધ્યા કેસનો જે વિરોધ કરી રહ્યા હતા અને બાબરી મસ્જિદ કેસના મુખ્ય પક્ષકાર હતા તેવા ઇકબાલ અંસારી PMના કાફલા પર ફુલોનો વરસાદ કરી રહ્યા હતા. 

બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારી અને મુસ્લિમ સમુદાયના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા પર ફૂલોની વર્ષા કરી હતી. તેમણે કહ્યું કે અયોધ્યા દરેકને સંદેશ આપે છે, અહીં હિંદુ અને મુસ્લિમ બધા સાથે રહે છે અને એકબીજાના કાર્યક્રમોમાં ભાગ લે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા પહોંચ્યા ત્યારે એરપોર્ટથી નીકળ્યા બાદ તેમનો રોડ શો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોએ તેમનું ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું. રસ્તાની બંને બાજુ લોકોના ટોળા એકઠા થયા હતા અને દરેક વ્યક્તિ પોતાના વડાપ્રધાનની એક ઝલક મેળવવા આતુર જણાતા હતા. આ દરમિયાન એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું.બાબરી કેસના પક્ષકાર હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારી PM મોદીના કાફલા પર ગુલાબના ફૂલ વરસાવતા દેખાયા હતા.

જ્યારે મીડિયાએ ઇકબાલ અંસારીને આના વિશે પુછ્યું તો તેમણે કહ્યુ કે,અયોધ્યા દરેકને સંદેશ આપે છે, અહીં હિન્દુ અને મુસ્લિમ બધા સાથે રહે છે અને એકબીજાના કાર્યક્રમોમાં ભાગ લે છે.

ઇકબાલ અંસારી બાબરી કેસમાં પક્ષકાર હતા અને મંદિર માટે આ જમીન આપવાના વિરોધમાં હતા. તે આ માટે કોર્ટમાં કેસ લડી રહ્યા હતા.પરંતુ આજે જ્યારે વડાપ્રધાન રોડ શોનો કાફલો આગળ વધી રહ્યો હતો ત્યારે તેઓ PM મોદી પર ફૂલ વરસાવતા જોવા મળ્યા હતા. કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ઈકબાલ અંસારી ચહેરા તરીકે આગળ આવ્યા હતા.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2020માં રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા પહોંચ્યા હતા, ત્યારે બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ઈકબાલ અંસારીને ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તે વખતે આમંત્રણ મળ્યા બાદ ઈકબાલ અંસારીએ કહ્યું હતું કે હું ચોક્કસ કાર્યક્રમમાં જઈશ. તેમણે કહ્યું કે અમને ભગવાન રામની ઈચ્છા મુજબ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં ગંગા-જામુની સંસ્કૃતિ અકબંધ છે. હું હંમેશા મઠો અને મંદિરોની મુલાકાત લેતો આવ્યો છું. જો મને કાર્ડ મળશે, તો હું ચોક્કસ જઈશ.

 

About The Author

Top News

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.