બાબરી કેસના પક્ષકાર ઇકબાલ અંસારીએ પ્રધાનમંત્રી મોદીના કાફલા પર ફુલોની વર્ષા કરી

On

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યામાં એરપોર્ટના ઉદઘાટન માટે પહોંચ્યા હતા અને તેમનો રોડ શો થયો હતો ત્યારે એક દ્રશ્ય જોઇને બધા ચોંકી ઉઠ્યા હતા.અયોધ્યા કેસનો જે વિરોધ કરી રહ્યા હતા અને બાબરી મસ્જિદ કેસના મુખ્ય પક્ષકાર હતા તેવા ઇકબાલ અંસારી PMના કાફલા પર ફુલોનો વરસાદ કરી રહ્યા હતા. 

બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારી અને મુસ્લિમ સમુદાયના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા પર ફૂલોની વર્ષા કરી હતી. તેમણે કહ્યું કે અયોધ્યા દરેકને સંદેશ આપે છે, અહીં હિંદુ અને મુસ્લિમ બધા સાથે રહે છે અને એકબીજાના કાર્યક્રમોમાં ભાગ લે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા પહોંચ્યા ત્યારે એરપોર્ટથી નીકળ્યા બાદ તેમનો રોડ શો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોએ તેમનું ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું. રસ્તાની બંને બાજુ લોકોના ટોળા એકઠા થયા હતા અને દરેક વ્યક્તિ પોતાના વડાપ્રધાનની એક ઝલક મેળવવા આતુર જણાતા હતા. આ દરમિયાન એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું.બાબરી કેસના પક્ષકાર હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારી PM મોદીના કાફલા પર ગુલાબના ફૂલ વરસાવતા દેખાયા હતા.

જ્યારે મીડિયાએ ઇકબાલ અંસારીને આના વિશે પુછ્યું તો તેમણે કહ્યુ કે,અયોધ્યા દરેકને સંદેશ આપે છે, અહીં હિન્દુ અને મુસ્લિમ બધા સાથે રહે છે અને એકબીજાના કાર્યક્રમોમાં ભાગ લે છે.

ઇકબાલ અંસારી બાબરી કેસમાં પક્ષકાર હતા અને મંદિર માટે આ જમીન આપવાના વિરોધમાં હતા. તે આ માટે કોર્ટમાં કેસ લડી રહ્યા હતા.પરંતુ આજે જ્યારે વડાપ્રધાન રોડ શોનો કાફલો આગળ વધી રહ્યો હતો ત્યારે તેઓ PM મોદી પર ફૂલ વરસાવતા જોવા મળ્યા હતા. કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ઈકબાલ અંસારી ચહેરા તરીકે આગળ આવ્યા હતા.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2020માં રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા પહોંચ્યા હતા, ત્યારે બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ઈકબાલ અંસારીને ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તે વખતે આમંત્રણ મળ્યા બાદ ઈકબાલ અંસારીએ કહ્યું હતું કે હું ચોક્કસ કાર્યક્રમમાં જઈશ. તેમણે કહ્યું કે અમને ભગવાન રામની ઈચ્છા મુજબ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં ગંગા-જામુની સંસ્કૃતિ અકબંધ છે. હું હંમેશા મઠો અને મંદિરોની મુલાકાત લેતો આવ્યો છું. જો મને કાર્ડ મળશે, તો હું ચોક્કસ જઈશ.

 

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.