મણિપુર હિંસામાં BJPના પૂર્વ ધારાસભ્ય સહિત 3ની ધરપકડ, હિંસામાં 2 ઘરોમાં લગાવી આગ

મણિપુરના પૂર્વી ઇમ્ફાલ જિલ્લામાં હથિયારધારી 2 બદમશોએ સોમવારે લોકોને પોતાની દુકાનો બંધ કરવા માટે મજબૂર કર્યા, ત્યારબાદ ફરી એક વખત હિંસા ભડકી ઉઠી. ઉગ્ર ભીડે પણ 2 ઘરોમાં આગ લગાવી દીધી. જો કે, હિંસાની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થવાની જાણકારી છે. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી છે. ભીડે એક બદમાશને માર માર્યો, જ્યારે બીજો ભાગવામાં સફળ રહ્યો. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ક્ષેત્રમાં તૈનાત સેનાના જવાન ઘટનાસ્થળ પર પહોંચ્યા અને તેમણે ભીડને વિખેરવા માટે બળ પ્રયોગ કર્યો અને ટિયર ગેસના ગોળા નાખ્યા, જેથી કેટલાક લોકોને સામાન્ય ઇજા થઈ.

સ્થાનિક લોકોએ રોડ પર ટાયર સળગાવીને આ ઘટનનો વિરોધ કર્યો. પૂર્વી ઇમ્ફાલ જિલ્લામાં પહેલા કર્ફ્યૂમાં ઢીલ આપવામાં આવી હતી, પરંતુ આ ઘટના બાદ સોમવારે ફરીથી તેને સખત કરી દેવામાં આવી. વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પહેલાંની જેમ બંધ કરી દેવામાં આવી છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે ઘટનાક્રમની પુષ્ટિ કરી છે અને ભાર આપીને કહ્યું કે, તેમાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હિંસામાં કથિત સંડોવાવાના આરોપમાં સોમવારે ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિત 3 લોકોને કસ્ટડીમાં લેવાં આવ્યા છે.

પૂર્વ ધારાસભ્યની ઓળખ ચુરાચાંદપુર જિલ્લાના હેંગલેપ મતવિસ્તાર ક્ષેત્રના ટી. થંગજાલમ હાઓકીપના રૂપમાં થઈ છે. તેઓ વર્ષ 2017માં આ સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરીકે જીતી ચૂક્યા છે. ટી થંગજાલમે વર્ષ 2020માં ભાજપ છોડી દીધી હતી. એન. બીરેન સિંહે કહ્યું કે, રવિવારની રાત્રે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક ઘટનામાં સામેલ 3 લોકોને સામાન્ય ઇજા થઈ છે. પોલીસે એ ગુનેગારોની ધરપકડ કરી લીધી છે.

તેમની પાસેથી ડબલ બેરલ બંદૂક મળી છે. એન. બીરેન સિંહે કહ્યું કે, ષડયંત્રમાં એક પૂર્વ ધરાસભ્યનું સામેલ હોવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. એક બેરલ બંદૂક માટે 2 શાસ્ત્રકર્મીઓએ વિક્રેતાઓને ધમકી આપી અને તેમને ક્ષેત્ર ખાલી કરવા માટે કહ્યું. આ બંને લોકોને પૂર્વ ધારાસભ્ય સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એન. બીરેન સિંહે કહ્યું કે, છેલ્લા 10 દિવસોમાં મણિપુરમાં સ્થિતિ કુલ મળાવીને શાંતિપૂર્ણ છે. તેમણે રાજ્યના લોકોને શાંત રહેવા અને જલદી જ શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવા માટે મદદ કરવાની અપીલ કરી છે.

મણિપુર એક મહિના કરતા વધુ સમયથી ઘણા મુદ્દાઓના કારણે જાતીય સંઘર્ષો ઝેલી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં અહીં ત્યારે હિંસા ફાટી નીકળી હતી, જ્યારે આદિવાસીઓએ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગના વિરોધમાં 3 મેના રોજ એકજૂથતા માર્ચ કાઢી હતી. એક અઠવાડિયા કરતા વધુ સમયથી ચાલી રહેલી હિંસામાં 70 કરતા વધુ લોકોના મોત થઈ ગયા હતા. હિસાના પ્રભાવિત વિસ્તારોમાં ઉપદ્રવીઓએ કરોડોની સરકારી સંપત્તિને આગ લગાવી દીધી હતી. હિંસાના કારણે હજારો લોકોને પોતાના ઘરો છોડવા મજબૂર થવું પડ્યું હતું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.