ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં લગભગ 95 લોકોની ઘર વાપસી, પહેલા હતા ઈસાઈ

બાગેશ્વર ધમના પિઠાધિશ્વસ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મોટા ભાગે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ વખત તેઓ એટલે ચર્ચામાં છે કેમ કે સાગરમાં તેમની ભાગવત કથા દરમિયાન લગભગ 95 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું. આ લોકોએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસેથી આશીર્વાદ લઈને ઘર વાપસી કરી છે અને તેમનું કહેવું છે કે, તેમણે લાલચના કારણે ઈસાઈ ધર્મ અપનાવી લીધો હતો અને હવે ભાગવત કથા સાંભળીને ફરીથી સનાતન ધર્મમાં આવી ગયા છે.

ઈસાઈ ધર્મમાંથી વાપસી કરનારા લોકો પર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન ધર્મથી વિમુખ થયેલા લોકોની ઘર વાપસીનું અભિયાન ચાલુ રહેશે. જ્યાં સુધી જીવું છું, અભિયાન ચાલતું રહેશે. ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ પણ સાગરના બહેરિયામાં ચાલી રહેલી ભાગવત કથાના છેલ્લા દિવસે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

હાલમાં જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એ સમયે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમને હૈહય વંશી ક્ષત્રિય સમાજના આરાધ્ય દેવ રાજરાજેશ્વર સહસ્ત્રબાહુ મહારાજ પર ટિપ્પણી કરી હતી. તેને લઈને હૈહય વંશી સમાજ મધ્ય પ્રદેશથી લઈને છત્તીસગઢ સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રહ્યો હતો. પરશુરામ જયંતીના અવસર પર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાના ભક્તો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા અને તમામ પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભગવાન પરશુરામ બાબતે બતાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે, આ ક્ષત્રિય આચરણથી પ્રગટ ક્યાંથી થઈ જાય છે તેના પર થોડીક ચર્ચા કરીએ.

સહસ્ત્રબાહૂ જે વંશથી હતા, એ વંશનું નામ હૈહય વંશ છે. હૈહય વંશના વિનાશ માટે ભગવાન પરશુરામે ફરસો પોતાના હાથમાં ઉઠાવ્યો હતો. હૈહય વંશનો રાજા ખૂબ જ કુકર્મી, સાધુઓ પર અત્યાચાર કરનારો હતો. બાબા બાગેશ્વરનું આ જ નિવેદન આખા દેશમાં હૈહય વંશ સમાજને પસંદ ન આવ્યો. મધ્ય પ્રદેશના સિકેરમાં હૈહય વંશ સમાજે કોતવાલી પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી અને ચેતવણી આપી કે જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી માફી નહીં માગે તો આખા દેશમાં FIR કરાવવામાં આવશે. આ અગાઉ તેઓ શિરડી સાંઈ બાબાને લઈને પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે સાંઈ બાબા સંત હોય શકે છે, ફકીર હોય શકે છે, પરંતુ ભગવાન નહીં.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.