10 વર્ષ સુધી મિયાં વૉટોની જરૂરિયાત નથી..’ CM હિમંત બિસ્વા સરમાએ કેમ કહી આ વાત?

આસામના મુખ્યમંત્રી હિમંત હિસવા સરમાએ રવિવારે કહ્યું કે, ભાજપને આગામી 10 વર્ષ સુધી ‘ચાર’ (નદીના રેતાળ) વિસ્તારોમાં મિયાં લોકોના વૉટોની જરૂરિયાત નથી, જ્યાં સુધી તેઓ બાળલગ્ન જેવી પ્રથાઓને છોડીને પોતાનામાં સુધાર કરી લેતા નથી. જો કે, સરમાએ કહ્યું કે, મિયાં લોકો તેમનું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું સમર્થન કરે છે અને તેઓ તેમને વોટ આપ્યા વિના ભગવા બ્રિગેડના પક્ષમાં નારા લગાવવાની ચાલુ રાખી શકે છે.

એક સવાલના જવાબમાં તેમણે પત્રકારોને કહ્યું કે, ભાજપ લોક કલ્યાણ કરશે અને તેઓ અમારું સમર્થન કરશે, પરંતુ તેમણે અમને વોટ આપવાની જરૂરિયાત નથી. અમારું સમર્થન કરવામાં કોઈ ખરાબી નથી. તેમને હિમંત બિસ્વા સરમા, નરેન્દ્ર મોદી અને ભાજપ માટે જિંદાબાદના નારા લગાવવા દો. ઉલ્લેખનીય છે કે, મિયાં શબ્દ બંગાળી ભાષી મુસ્લિમો માટે ઉપયોગ કરવામાં આવતો શબ્દ છે. હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે જ્યારે ચૂંટણી આવશે, તો હું પોતે તેમને અનુરોધ કરીશ કે તેઓ અમને વોટ ન આપે. જ્યારે તમે પોતે પરિવાર નિયોજનનું પાલન કરશો, બાળલગ્ન રોકશે અને કટ્ટરવાદ છોડી દેશે ત્યારે તમે અમને વોટ આપજો.

તેને પૂરા કરવામાં 10 વર્ષ લાગશે. તેમણે આગળ કહ્યું કે, અમે અત્યારે નહીં, 10 વર્ષ બાદ વૉટ માગીશું. તેમના અને ભાજપના પક્ષમાં મતદાન કરનારે 2 કે 3 કરતા વધુ બાળકો પેદા ન કરવા જોઈએ. પોતાની દીકરીઓને શાળાએ મોકલવી જોઈએ, બાળલગ્ન ન કરાવવા જોઈએ અને કટ્ટરવાદ છોડીને સૂફીવાદ અપનાવવો જોઈએ. સરમાએ પત્રકારોને કહ્યું કે, જ્યારે આ શરતો પૂરી થઈ જશે તો હું તમારી સાથે વૉટ માગવા ‘ચાર’ આવીશ. જ્યારે તેમને બતાવવામાં આવ્યું કે, ઘણા ‘ચાર’ જ્યાં મુખ્ય રૂપે બંગાળી ભાષી મુસ્લિમ રહે છે, ત્યાં ઉચિત શાળા નથી.

તેના પર તેમણે કહ્યું કે, જો તેમને એવા ક્ષેત્રમાં શાળાની ગેરહાજરી બાબતે સૂચિત કરવામાં આવશે તો તરત જ શાળા બનાવવામાં આવશે. એવું નહીં થઈ શકે કે લઘુમતી બાળકોને ભણવાનો અવસર નહીં મળે. અમે આગામી દિવસોમાં લઘુમતી ક્ષેત્રોમાં 7 કૉલેજ ખોલીશુ. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રવિવારે એક વનસ્પતિ ઉદ્યાનનું ઉદ્વઘાટન કર્યું હતું, જે એ ભૂમિ પર બનાવવામાં આવ્યું છે, જ્યાં એક સમયે ગુવાહાટી સેન્ટ્રલ જેલ રહેતી હતી. 2.58 એકર જળ સંસ્થાઓ સહિત 36 વીઘા (લગભગ 12 એકર)ના ક્ષેત્રોમાં ફેલાયેલું વનસ્પતિ ઉદ્યાન 59 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.