10 વર્ષ સુધી મિયાં વૉટોની જરૂરિયાત નથી..’ CM હિમંત બિસ્વા સરમાએ કેમ કહી આ વાત?

આસામના મુખ્યમંત્રી હિમંત હિસવા સરમાએ રવિવારે કહ્યું કે, ભાજપને આગામી 10 વર્ષ સુધી ‘ચાર’ (નદીના રેતાળ) વિસ્તારોમાં મિયાં લોકોના વૉટોની જરૂરિયાત નથી, જ્યાં સુધી તેઓ બાળલગ્ન જેવી પ્રથાઓને છોડીને પોતાનામાં સુધાર કરી લેતા નથી. જો કે, સરમાએ કહ્યું કે, મિયાં લોકો તેમનું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું સમર્થન કરે છે અને તેઓ તેમને વોટ આપ્યા વિના ભગવા બ્રિગેડના પક્ષમાં નારા લગાવવાની ચાલુ રાખી શકે છે.

એક સવાલના જવાબમાં તેમણે પત્રકારોને કહ્યું કે, ભાજપ લોક કલ્યાણ કરશે અને તેઓ અમારું સમર્થન કરશે, પરંતુ તેમણે અમને વોટ આપવાની જરૂરિયાત નથી. અમારું સમર્થન કરવામાં કોઈ ખરાબી નથી. તેમને હિમંત બિસ્વા સરમા, નરેન્દ્ર મોદી અને ભાજપ માટે જિંદાબાદના નારા લગાવવા દો. ઉલ્લેખનીય છે કે, મિયાં શબ્દ બંગાળી ભાષી મુસ્લિમો માટે ઉપયોગ કરવામાં આવતો શબ્દ છે. હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે જ્યારે ચૂંટણી આવશે, તો હું પોતે તેમને અનુરોધ કરીશ કે તેઓ અમને વોટ ન આપે. જ્યારે તમે પોતે પરિવાર નિયોજનનું પાલન કરશો, બાળલગ્ન રોકશે અને કટ્ટરવાદ છોડી દેશે ત્યારે તમે અમને વોટ આપજો.

તેને પૂરા કરવામાં 10 વર્ષ લાગશે. તેમણે આગળ કહ્યું કે, અમે અત્યારે નહીં, 10 વર્ષ બાદ વૉટ માગીશું. તેમના અને ભાજપના પક્ષમાં મતદાન કરનારે 2 કે 3 કરતા વધુ બાળકો પેદા ન કરવા જોઈએ. પોતાની દીકરીઓને શાળાએ મોકલવી જોઈએ, બાળલગ્ન ન કરાવવા જોઈએ અને કટ્ટરવાદ છોડીને સૂફીવાદ અપનાવવો જોઈએ. સરમાએ પત્રકારોને કહ્યું કે, જ્યારે આ શરતો પૂરી થઈ જશે તો હું તમારી સાથે વૉટ માગવા ‘ચાર’ આવીશ. જ્યારે તેમને બતાવવામાં આવ્યું કે, ઘણા ‘ચાર’ જ્યાં મુખ્ય રૂપે બંગાળી ભાષી મુસ્લિમ રહે છે, ત્યાં ઉચિત શાળા નથી.

તેના પર તેમણે કહ્યું કે, જો તેમને એવા ક્ષેત્રમાં શાળાની ગેરહાજરી બાબતે સૂચિત કરવામાં આવશે તો તરત જ શાળા બનાવવામાં આવશે. એવું નહીં થઈ શકે કે લઘુમતી બાળકોને ભણવાનો અવસર નહીં મળે. અમે આગામી દિવસોમાં લઘુમતી ક્ષેત્રોમાં 7 કૉલેજ ખોલીશુ. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રવિવારે એક વનસ્પતિ ઉદ્યાનનું ઉદ્વઘાટન કર્યું હતું, જે એ ભૂમિ પર બનાવવામાં આવ્યું છે, જ્યાં એક સમયે ગુવાહાટી સેન્ટ્રલ જેલ રહેતી હતી. 2.58 એકર જળ સંસ્થાઓ સહિત 36 વીઘા (લગભગ 12 એકર)ના ક્ષેત્રોમાં ફેલાયેલું વનસ્પતિ ઉદ્યાન 59 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.