BJPનો ચૂંટણી ઢંઢેરો GYAN (જ્ઞાન) પર આધારિત હશે, જાણો શું છે આ 4 શબ્દોનો અર્થ

On

લોકસભાની ચૂંટણી શરૂ થવામાં હવે ત્રણ અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં તમામ પાર્ટીઓ જલ્દી જ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર BJPનો મેનિફેસ્ટો GYAN (જ્ઞાન) પર આધારિત હશે. જ્ઞાનના 4 શબ્દોનો અર્થ, G એટલે ગરીબ, Y એટલે યુવાની, A એટલે અન્નદાતા અને N એટલે સ્ત્રી શક્તિ. આગામી પાંચ વર્ષ સુધી સત્તામાં આવીને BJP લોકો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ પર કામ કરવા માંગે છે. BJPએ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરી હતી. જેમાં વિકસિત ભારતનો એજન્ડા અને રૂપરેખા તૈયાર કરવાની વાત કરવામાં આવી હતી.

BJPના આઠ કેન્દ્રીય પ્રધાનો અને ચાર CM ઉપરાંત, BJPની ચૂંટણી ઢંઢેરાની સમિતિમાં ઘણા ભૂતપૂર્વ CMનો પણ સમાવેશ થાય છે. આ સમિતિની પ્રથમ બેઠક 1 એપ્રિલના રોજ મળી હતી. ત્યારપછી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, BJPને તેની મિસ્ડ કોલ સર્વિસ દ્વારા 3.75 લાખથી વધુ સૂચનો મળ્યા છે અને PM નરેન્દ્ર મોદીની એપ (NaMo) પર લગભગ 1.70 લાખ સૂચનો મળ્યા છે.

પીયૂષ ગોયલે કહ્યું હતું કે, 'બેઠકમાં 2047 સુધી વિકસિત ભારતની બ્લુપ્રિન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. અમારા ઢંઢેરામાં લોકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી PM નરેન્દ્ર મોદી પરનો તેમનો વિશ્વાસ અને તેમની પાસેથી તેમની અપેક્ષાઓ દર્શાવે છે.' BJPના નેતાએ કહ્યું હતું કે, લોકો તરફથી મળેલા તમામ સૂચનોને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવશે અને પછી સમિતિની આગામી બેઠકમાં તેમની પર ચર્ચા કરીને તેને ઉકેલવામાં આવશે. PM નરેન્દ્ર મોદી ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે તેમની સરકારની પ્રાથમિકતાઓને સતત હાઈલાઈટ કરતા હોવાથી, શાસક પક્ષ તેમને સંબંધિત મુદ્દાઓને મહત્વ આપે તેવી શક્યતા છે.

સમિતિના સહ-સંયોજક ગોયલે જણાવ્યું હતું કે, દેશના 3,500 વિધાનસભા ક્ષેત્રોમાં 916 વિડિયો વાન પણ ચલાવવામાં આવી હતી, જે લોકો સુધી પહોંચે છે અને મેનિફેસ્ટો માટે તેમના મંતવ્યો માંગે છે. BJPએ શનિવારે લોકસભા ચૂંટણી માટે 27 સભ્યોની મેનિફેસ્ટો કમિટીની રચના કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણને કન્વીનર અને ગોયલને કો-કન્વીનર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાનો અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખર ઉપરાંત, સમિતિમાં પક્ષ શાસિત રાજ્યોના CM અને કેટલાક ભૂતપૂર્વ DyCMનો પણ સમાવેશ થાય છે. CMમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના CM મોહન યાદવ, આસામના CM હિમંતા વિશ્વ શર્મા અને છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાઈનો સમાવેશ થાય છે. પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંધરા રાજે પણ તેમાં સામેલ હતા.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.