કાવડ યાત્રાવાળા આદેશ પર મુશ્કેલીમાં BJP? પોતાની જ પાર્ટીના નેતાઓએ ઉઠાવ્યા સવાલ

કાવડ યાત્રાને લઇને મુઝફ્ફરનગર પોલીસે આપેલા નિર્દેશ પર વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન પોતે NDAની પાર્ટીઓએ પોલીસના નિર્દેશ પર સવાલ ઊભા કર્યા છે. સહયોગી દળો JDU, RLD સહિત પોતે ભાજપના નેતા પોલીસના આ નિર્દેશ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તો સતત થઇ રહેલા વિવાદ બાદ પોલીસે વધુ એક નિર્દેશ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે હોટલ અને ઢાબાના માલિક પોતાની ઇચ્છાથી પોતાનું નામ અને રેટ કાર્ડ દુકાન બહાર લગાવી શકે છે, જેને પહેલા જરૂરી બતાવવામાં આવ્યો હતો.

મુઝફ્ફરનગર પોલીસે કાવડ યાત્રા શરૂ થવા અગાઉ તેને લઇને નિર્દેશ જાહેર કર્યો હતો. તેમ કહેવામાં આવ્યું હતું કે, કાવડ યાત્રાના રુટ પર પડતી દુકાનો, ઢાબા અને લારીઓ પર વિક્રેતાઓના નામ લખવા જરૂરી હશે. ત્યારબાદ વિપક્ષે ઉત્તર પ્રદેશ સરકારની નિંદા કરી. આ આદેશને ગેરકાયદેસર, સંવિધાન વિરોધી અને સામાજિક ગુનો ગણાવ્યો. હવે NDAના નેતા પણ તેની વિરુદ્ધ જતા દેખાઇ રહ્યા છે. JDU નેતા કે.સી. ત્યાગીએ કહ્યું કે, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત દેશભરમાં કાવડ યાત્રાઓ કાઢવામાં આવે છે, પરંતુ ક્યારેય કોઇ સાંપ્રદાયિક તણાવ થયો નથી. જો કોઇ અસામાજિક તત્વ છે તો પોલીસ તેને નિપટવામાં સક્ષમ છે.

કે.સી. ત્યાગીનું કહેવું છે કે ધાર્મિક સ્તર પર સીમાંકન કરવા પર સાંપ્રદાયિક સદ્વભાવને નુકસાન પહોંચી શકે છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એવી જગ્યાઓ છે જ્યાં 30-40 ટકા વસ્તી મુસ્લિમ છે. ત્યાંથી યાત્રા પસાર થાય છે. મુસ્લિમ લોકો તીર્થયાત્રીઓના કાવડ બનાવવા અને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં સામેલ થાય છે. એવો કોઇ મેસેજ ન જવો જોઇએ, જેથી સાંપ્રદાયિક વિભાજન ઉત્પન્ન થાય. શું યાત્રાના માર્ગ પર ક્યારેય કોઇ દંગો થયો છે?

એ સિવાય બિહારના બાંકા અને ભાગલપુર પણ બિહાર કાવડ યાત્રાના રુટ પર આવે છે. આ બંને ક્ષેત્રોના સાંસદોએ પણ આદેશ પર સવાલ ઉઠાવ્યા છે. બાંકાથી JDU સાંસદ ગિરિધારી યાદવે કહ્યું કે, તેમને કોઇ હિન્દુ-મુસ્લિમ મુદ્દો ખબર નથી. બિહારમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે રહે છે. અમે મુસ્લિમ તહેવારોમાં સામેલ થઇએ છીએ અને તેઓ પણ અમારા ધર્મનું સન્માન કરે છે. તો ભાગલપુરથી JDU સાંસદ સંજય કુમાર મંડળને જ્યારે આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, તેમને પૂછો જેમણે આ આદેશ આપ્યો છે. તેઓ આ મામલે શું કહી શકે છે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પોતાનો ખાસ પ્રભાવ રાખનારી RLDએ પણ આ આદેશ પર સવાલ ઉઠાવ્યા છે. RLD પ્રવક્તા અનિલ દુબેએ કહ્યું કે, સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે, પરંતુ દુકાનો પર પોતાનું નામ દેખાડવા માટે બાધ્ય કરવાની જરૂરિયાત નથી. એ પ્રશાસનનું કામ નથી. સીનિયર ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ X પર પોસ્ટ કરી. તેમણે તેમાં અધિકારીઓના આદેશની નિંદા કરી. સાથે જ ગત પોસ્ટ પર જે લોકોએ નકવીને ટ્રોલ કર્યા હતા. તેમને પણ સખત સંદેશ આપ્યો. તેમણે લખ્યું કે, ‘અરે ટ્રોલર ટટ્ટુઓ.. કાવડ યાત્રાના સન્માન અને શ્રદ્ધાનું સર્ટિફિકેટ ઓછામાં ઓછું મને તો ન વહેચો. મારું હંમેશાં માનવું છે કે કોઇ પણ આસ્થા અસાહિષ્ણુતા, અસ્પૃશ્યતાની બંધક ન હોવી જોઇએ.

વિપક્ષ સતત આ મુદ્દા પર ઉત્તર પ્રદેશ સરકાર પર હુમલાવર છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને તેને સમાજને વિભાજિત કરવા માટે કરવામાં આવેલો એક સામાજિક અપરાધ બતાવ્યો અને કોર્ટ પાસે પ્રશાસનની મંશાની તપાસ કરવાની માગ કરી. તો કોંગ્રસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેડાએ કહ્યું કે, જે લોકો નક્કી કરવા માગતા હતા કે કોણ શું ખાશે, તેઓ હવે એ પણ નક્કી કરશે કે કોણ શું ખરીદશે અને કોની પાસે ખરીદશે. સહારનપુરના DIGએ કહ્યું કે, પહેલા ઘણી વખત રેટ અને ધર્મને લઇને કાવડ યાત્રીઓમાં ઝઘડા થયા છે. તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.