Video: છોકરાઓએ દુપટ્ટો ખેંચ્યો, સાઇકલ પરથી નીચે પડી, બાઇક સાથે અથડાઈ, થયું મોત

ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં કેટલાક લોકોએ રસ્તા પર ચાલી રહેલી સગીર વિદ્યાર્થિનીનો દુપટ્ટો ખેંચી લીધો હતો, ત્યાર પછી બાઇક સાથે અથડાતા તેનું મોત થયું હતું. આ ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બાઇક પર સવાર બદમાશો સાઇકલ પર ઘરે જઇ રહેલી છાત્રાનો દુપટ્ટો ખેંચે છે. દુપટ્ટો બચાવવાના પ્રયાસમાં યુવતી સાઇકલ પરથી પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. ત્યારે પાછળથી આવતી અન્ય બાઇક સાથે તે અથડાય જાય છે. આ ઘટનામાં વિદ્યાર્થિનીનું માથું કચડાઈ ગયું હતું અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળે છે.

આંબેડકરનગર પોલીસના જણાવ્યા અનુસાર, મામલો હંસવાર પોલીસ સ્ટેશન વિસ્તારના વરહી ગામનો છે. જીવ ગુમાવનાર વિદ્યાર્થીની ઉંમર 17 વર્ષની હતી. તે રામરાજી ઈન્ટર કોલેજમાં 12મા ધોરણમાં ભણતી હતી. 15 સપ્ટેમ્બરે તે તેની સહેલી સાથે શાળાએથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે બાઇક પર સવાર બે લોકોએ તેનો દુપટ્ટો ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી.

પરિવારે હંસવર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે, આરોપીઓ વિદ્યાર્થીનિને ઘણા દિવસોથી હેરાન કરતા હતા. પોલીસને મૌખિક ફરિયાદ પણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ત્યાર પછી પોલીસે ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમના નામ શાહબાઝ, અરબાઝ અને ફૈઝલ છે.

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં યુવતીના પિતા સભાજીત વર્માએ કહ્યું કે, તેની પુત્રી અભ્યાસમાં ઘણી સારી હતી અને તે ડોક્ટર બનવા માંગતી હતી. બાળકીની માતાનું આઠ વર્ષ પહેલા અવસાન થયું હતું. આ મામલે વિદ્યાર્થીના પિતાનું કહેવું છે કે, આ અકસ્માતમાં તેમની પુત્રીનું જડબું તૂટી ગયું છે. ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં તેનું મોત નીપજ્યું હતું. પિતાનો આરોપ છે કે, ત્રણ બદમાશો છેલ્લા કેટલાક દિવસોથી તેની પુત્રીને હેરાન કરી રહ્યા હતા અને તેણે પોલીસને મૌખિક ફરિયાદ પણ કરી હતી. સગીર વિદ્યાર્થિનીના મિત્રએ એમ પણ જણાવ્યું કે આરોપી પહેલા પણ તેનો પીછો કર્યા કરતો હતો.

પોલીસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તમામ પાસાઓ પર વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.