અગ્નિપથ ભરતીના નિયમોમાં ફેરફાર, આ ડિગ્રીધારકો પણ કરી શકશે અરજી

ગયા વર્ષે કેન્દ્રની NDA સરકારે ત્રણેય સેનાઓમાં સૈનિકોની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. સરકારે હવે અગ્નિપથ યોજના હેઠળ ભરતીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત ITI-પોલીટેકનિક પાસ આઉટ પણ અરજી કરી શકશે.

સેનાએ અગ્નિપથ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પાત્રતાના માપદંડમાં વધારો કર્યો છે. પૂર્વ-કુશળ યુવાનો પણ અગ્નિપથ ભરતીમાં ભાગ લઈ શકશે. ITI- પોલિટેકનિક પાસ આઉટ, ટેકનિકલ શાખામાં અરજી કરી શકશે. આનાથી પૂર્વ-કુશળ યુવાનોને વિશેષ પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં, તેની તાલીમનો સમય પણ ઓછો હશે. આ મોટા ફેરફાર બાદ હવે વધુ યુવા ઉમેદવારોને આ યોજનામાં જોડાવાની તક મળશે.

અહીં તમને જણાવી દઈએ કે, ગત 16 ફેબ્રુઆરીથી અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવીરોની ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ ભરતી વર્ષ 2023-24 માટે અપરિણીત પુરૂષ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે જ્યારે પસંદગી કસોટી 17 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે.

બહાર પાડેલી સૂચના મુજબ, અગ્નિવીર જનરલ ડ્યુટી, ટેકનિકલ ક્લાર્ક, સ્ટોર કીપર, ટ્રેડ્સમેનની જગ્યાઓ ભરવામાં આવશે. અગ્નિવીર પસંદગી પ્રક્રિયામાં તાજેતરના ફેરફારો પછી, હવે ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. આમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને જ શારીરિક કસોટી માટે આમંત્રિત કરવામાં આવશે. લેખિત પરીક્ષા 17 એપ્રિલે લેવામાં આવશે.

16 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ધોરણ 10 પાસ ઉમેદવારો અગ્નિવીર (જનરલ ડ્યુટી) (તમામ આર્મ્સ) માટે અરજી કરી શકે છે. જ્યારે, અગ્નિવીર (ટેકનિકલ) (તમામ આર્મ્સ) માટે 12મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે 12મું પાસ અગ્નિવીર ક્લાર્ક (સ્ટોર કીપર)ની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. 8મું-10મું પાસ ઉમેદવારો અગ્નિવીર ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. હવે થયેલા નવા બદલાવ મુજબ ITI-પોલીટેકનિક પાસ આઉટ યુવાનો પણ અરજી કરી શકશે. આ પ્રશિક્ષિત યુવાનોએ સેનાની ટેકનિકલ શાખામાં અરજી કરવાની રહેશે. તેમની તાલીમ પણ ઓછા સમયની હશે.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.