શું ચાઇનીઝ ન્યૂમોનિયાના 7 કેસ ભારતમાં મળ્યા? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ

ચીનમાં ફેલાયેલા રહસ્યમય ન્યૂમોનિયાને લઈને આખી દુનિયામાં ચિંતા વધી ગઈ છે. ચીનની હૉસ્પિટલોમાં માઇકોપ્લાઝ્મા ન્યૂમોનિયાથી પીડિત બાળકો ભરેલા પડ્યા છે, જેને વોકિંગ ન્યૂમોનિયા કે વ્હાઇટ લંગ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. હાલમાં જ ઇન્ટરનેશનલ મેડિકલ જર્નલ લેન્સેટમાં છપાયેલા એક સ્ટડીના સંદર્ભે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ચાઇનીઝ ન્યૂમોનિયાએ ભારતમાં પણ દસ્તક દઈ દીધી છે.

આ લેન્સેટના આ રિપોર્ટ અને AIIMSમાં આ સ્ટડીને કરનારા એક મુખ્ય ડૉક્ટરના સંદર્ભે કહેવામાં આવ્યું કે, નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં સપ્ટેમ્બર 2022થી લઈને વર્ષ 2023 સુધી 7 કેસ વોકિંગ ન્યૂમોનિયા એટલે કે માઇકોપ્લાઝ્મા ન્યૂમોનિયાના આવ્યા છે. રિપોર્ટ કહે છે કે, આ બધા આંકડા અલગ-અલગ સેમ્પલોની અલગ-અલગ તપાસ પ્રક્રિયામાં સામે આવ્યા હતા.

જો કે, હવે લેન્સેટની આ સ્ટડીના આધાર પર ચાલી રહેલા સમાચારોને લઈને ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જે પણ મીડિયા રિપોર્ટ્સ એવો દાવો કરી રહ્યા છે કે દિલ્હી AIIMSમાં મળેલા બેક્ટેરિયલ કેસીસનું ચીનમાં થયેલા ન્યૂમોનિયા આઉટબ્રેક સાથે કોઈ કનેક્શન છે, બધા ભ્રામક અને ખોટા છે. મંત્રાલયનું કહેવું છે કે, માઇકોપ્લાઝ્મા ન્યૂમોનિયા સમુદાયથી પ્રાપ્ત થનારા ન્યૂમોનિયાના સૌથી કોમન બેક્ટેરિયલ કારણ છે. દિલ્હી AIIMSમાં મળેલા ન્યૂમોનિયાના કેસોનું ચીનના બાળકોમાં ફેલાયેલા રેસ્પિરેટરી સંક્રમણની લહેર સાથે કોઈ લેવું દેવું નથી.

જાણો માઇકોપ્લઝ્મા ન્યૂમોનિયાના લક્ષણ:

જે બાળકોને માઇકોપ્લાઝ્મા ન્યૂમોનિયા સંક્રમણ હોય છે. તેમનામાં સામાન્ય રીતે કેટલાક સામાન્ય લક્ષણ નજરે પડે છે. તેમાં ગળું ખરાબ થવું, થાક લાગવો, તાવ, ખાંસી જે અઠવાડિયા કે મહિનાઓ સુધી બનેલા રહી શકે છે. હેલ્થ સાથે જોડાયેલા એક્સપર્ટ્સનું માનવું છે કે આ બેક્ટેરિયાના કારણે થનારા ન્યૂમોનિયા સામાન્ય હોય છે. આ જ કારણ છે કે તેને વોકિંગ ન્યૂમોનિયા કહેવામાં આવે છે, પરંતુ ન્યૂમોનિયાના ગંભીર કેસ સામે આવી શકે છે. તો આ જીવલેણ સંક્રમણની ઝપેટમાં સૌથી વધુ નાના અને શાળાના બાળકો આવી રહ્યા છે. જો કે, તેનાથી આ બીમારી કોઈને પણ થઈ શકે છે. ભીડવાળી જગ્યાઓ પર આ બીમારી થવાનું જોખમ વધુ હોય છે. સંક્રમણવાળા સ્થળો પર જવાથી આ બીમારી થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું...
National 
કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

એક હતા સરદાર અને એક છે અસરદાર... આપણા ભારતના બે ગૃહમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકીય ઇતિહાસમાં ગુજરાતની ધરતીએ ઘણા મહાન વ્યક્તિત્વોને જન્મ આપ્યો છે જેમાંથી બે નામ છે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ...
Opinion 
એક હતા સરદાર અને એક છે અસરદાર... આપણા ભારતના બે ગૃહમંત્રી

ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?

રાજ ઠાકરેના એક નિવેદન અને એ પછી ઉદ્ધવ ઠાકરેએ આપેલી પ્રતિક્રિયાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા શરૂ થયઇ કે રાજ...
Politics 
ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?

પાકિસ્તાનમાં પણ IPLનો જલવો, PSL જોવા પહોચેલો ફેન મોબાઇલમાં IPL જોતો નજરે પડ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે પોતાની 18મી સીઝનમાં છે. તો, પાકિસ્તાન સુપર લીગ (PSL) પોતાની 10...
Sports 
પાકિસ્તાનમાં પણ IPLનો જલવો, PSL જોવા પહોચેલો ફેન મોબાઇલમાં IPL જોતો નજરે પડ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.